(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવના કેમ્પસ એકેડેમીક ડીરેકટર ડૉ. શૈલેષ વી. લુહારનું ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાᅠનવીᅠદિલ્હીᅠદ્વારા દમણ અને દીવ અને સિલવાસા અને ગુજરાત માટે જન ઔષધિ કેન્દ્ર માર્ગદર્શક તરીકે નામાંકન થયું. જે સંસ્થા તેમજ જિલ્લા માટે ખુબજ ગૌરવવંતી બાબત છે. જે બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધિસ્થાપક પૂજ્ય સ્વામી પૂરાણી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય પુરાણી કપિલ જીવનદાસજી, પૂજ્ય રામસ્વામીજી, ટ્રસ્ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ ડીરેક્ટર શ્રી હિતેન ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેતેમજ સંસ્થાના અન્ય આચાર્યઓએ અને તમામ સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા.