January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં ભાજપના ગાવ ચલો અભિયાન અંતર્ગત આગેવાનો ગામડા ખુંદી દરેક બુથ પર જઈ સરકારની યોજનાઓથી લોકોને વાકેફ કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.09: ચીખલીમાં કચ્‍છી સમાજની વાડીમાં ભાજપના શક્‍તિ કેન્‍દ્રના સંયોજકો, પ્રભારીઓ, પ્રવાસી કાર્યકરોની જિલ્લા ભાજપના મહામંત્રી ડોક્‍ટર અશ્વિનભાઈ પટેલ, જીગ્નેશભાઈ નાયક, તાલુકા ભાજપના પ્રમુખ મયંકભાઈ પટેલ, ખેરગામ તાલુકા ભાજપના મહામંત્રી લીતેશભાઈ ગાવિત, એપીએમસીના પૂર્વ ચેરમેન કિશોરભાઈ પટેલ, કિસાન મોરચાના આઈટી સેલના સહ સંયોજક દીપકભાઈ સોલંકી, તાલુકા જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો સહિતનાની ઉપસ્‍થિતિમાં ગાવ ચલો અભિયાન અંતર્ગત યોજાયેલ બેઠકમાં નવસારી લોકસભા બેઠકના ભાજપના પ્રભારી અશોકભાઈ ધોરાજીયાએ ઉપસ્‍થિતોને માર્ગદર્શન આપતા જણાવ્‍યું હતું કે જેમને જવાબદારી સોંપવામાં આવી છે તે દરેક પ્રવાસી કાર્યકરોએ સંયોજકો સાથે તેમને સોંપવામાં આવેલ બુથ પર જઈ ભાજપ સરકારની વિકાસલક્ષી અને વ્‍યક્‍તિગત લાભની યોજનાઓથી લોકોને વાકેફ કરી બુથ લેવલે સંગઠનાત્‍મક કામગીરીની પણ જરૂરી સમીક્ષા કરવા સાથે આગામી લોકસભાની ચૂંટણીમાં એક બુથ માઇનસ ન રહે તે માટે હમણાંથી જ કવાયત હાથ ધરવા અનુરોધ કર્યોહતો.
ભાજપના મહામંત્રી ડોક્‍ટર અશ્વિનભાઈ પટેલે પણ 24 કલાક વીજળી 108 ની સુવિધા ગંભીર રોગોમાં દસ લાખ રૂપિયા સુધીની સારવાર માટે આયુષ્‍યમાન કાર્ડ, કિસાન સન્‍માન નિધિ, વિનામૂલ્‍ય અનાજ જેવી અનેક યોજનાઓથી તમામ વર્ગની ભાજપ સરકારે ચિંતા કરી છે. સાથે રસ્‍તા પાણી આરોગ્‍ય શિક્ષણ ક્ષેત્રે પણ કરોડો રૂપિયાના કામો આપણા વિસ્‍તારમાં થયા છે અને વિકાસના કામોનો પ્રવાહ નિરંતર ચાલુ છે જેને લઈને માળખાકીય સુવિધાઓમાં અનેકગણો વધારો થયો છે. આ બધી બાબતોથી લોકોને અવગત કરી તમામ બુથો પર આપણા ભાજપ પક્ષની સરસાઈ વધુને વધુ રહે તે માટે તેમણે હાંકલ કરી હતી.
આગામી ત્રણ દિવસોમાં ભાજપના પ્રવાસી કાર્યકરો ગામડાઓ ખૂંદી દરેક બુથોનો પ્રવાસ કરવાની કવાયત હાથ ધરી હતી.

Related posts

નવસારી વિજલપોર ખાતે આવેલ મારૂતિનગર મરાઠી શાળામાં વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’  દાનહ અને દમણ-દીવે શિક્ષણના ક્ષેત્રે આભને આંબતી કરેલી દમદાર પ્રગતિ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિકાસલક્ષી અભિગમ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્‍ટિથી સંઘપ્રદેશ એજ્‍યુકેશન હબ બનવા તરફ અગ્રેસરઃ પ્રદેશમાં મેડિકલ, એન્‍જિનિયરીંગ, ફેશન, આઈ.ટી., લો જેવા વિશ્વ સ્‍તરના અભ્‍યાસક્રમનો પ્રારંભ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરાયું

vartmanpravah

નાની દમણ મશાલચોકના મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરે 14મી માર્ચથી શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવનો થનારો આરંભ

vartmanpravah

દમણમાં શહેર ભ્રમણ માટે નિકળેલી ભગવાન શ્રી જગન્નાથની ભવ્‍ય શોભાયાત્રા

vartmanpravah

Leave a Comment