Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં ભાજપના ગાવ ચલો અભિયાન અંતર્ગત આગેવાનો ગામડા ખુંદી દરેક બુથ પર જઈ સરકારની યોજનાઓથી લોકોને વાકેફ કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.09: ચીખલીમાં કચ્‍છી સમાજની વાડીમાં ભાજપના શક્‍તિ કેન્‍દ્રના સંયોજકો, પ્રભારીઓ, પ્રવાસી કાર્યકરોની જિલ્લા ભાજપના મહામંત્રી ડોક્‍ટર અશ્વિનભાઈ પટેલ, જીગ્નેશભાઈ નાયક, તાલુકા ભાજપના પ્રમુખ મયંકભાઈ પટેલ, ખેરગામ તાલુકા ભાજપના મહામંત્રી લીતેશભાઈ ગાવિત, એપીએમસીના પૂર્વ ચેરમેન કિશોરભાઈ પટેલ, કિસાન મોરચાના આઈટી સેલના સહ સંયોજક દીપકભાઈ સોલંકી, તાલુકા જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો સહિતનાની ઉપસ્‍થિતિમાં ગાવ ચલો અભિયાન અંતર્ગત યોજાયેલ બેઠકમાં નવસારી લોકસભા બેઠકના ભાજપના પ્રભારી અશોકભાઈ ધોરાજીયાએ ઉપસ્‍થિતોને માર્ગદર્શન આપતા જણાવ્‍યું હતું કે જેમને જવાબદારી સોંપવામાં આવી છે તે દરેક પ્રવાસી કાર્યકરોએ સંયોજકો સાથે તેમને સોંપવામાં આવેલ બુથ પર જઈ ભાજપ સરકારની વિકાસલક્ષી અને વ્‍યક્‍તિગત લાભની યોજનાઓથી લોકોને વાકેફ કરી બુથ લેવલે સંગઠનાત્‍મક કામગીરીની પણ જરૂરી સમીક્ષા કરવા સાથે આગામી લોકસભાની ચૂંટણીમાં એક બુથ માઇનસ ન રહે તે માટે હમણાંથી જ કવાયત હાથ ધરવા અનુરોધ કર્યોહતો.
ભાજપના મહામંત્રી ડોક્‍ટર અશ્વિનભાઈ પટેલે પણ 24 કલાક વીજળી 108 ની સુવિધા ગંભીર રોગોમાં દસ લાખ રૂપિયા સુધીની સારવાર માટે આયુષ્‍યમાન કાર્ડ, કિસાન સન્‍માન નિધિ, વિનામૂલ્‍ય અનાજ જેવી અનેક યોજનાઓથી તમામ વર્ગની ભાજપ સરકારે ચિંતા કરી છે. સાથે રસ્‍તા પાણી આરોગ્‍ય શિક્ષણ ક્ષેત્રે પણ કરોડો રૂપિયાના કામો આપણા વિસ્‍તારમાં થયા છે અને વિકાસના કામોનો પ્રવાહ નિરંતર ચાલુ છે જેને લઈને માળખાકીય સુવિધાઓમાં અનેકગણો વધારો થયો છે. આ બધી બાબતોથી લોકોને અવગત કરી તમામ બુથો પર આપણા ભાજપ પક્ષની સરસાઈ વધુને વધુ રહે તે માટે તેમણે હાંકલ કરી હતી.
આગામી ત્રણ દિવસોમાં ભાજપના પ્રવાસી કાર્યકરો ગામડાઓ ખૂંદી દરેક બુથોનો પ્રવાસ કરવાની કવાયત હાથ ધરી હતી.

Related posts

કોરોમંડલ મેડિકલ સેન્‍ટર ખાતે સરીગામ સહિતના આજુબાજુના 52,874 દર્દીઓએ લીધેલો હેલ્‍થકેર સુવિધાનો લાભ

vartmanpravah

મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘ભારત રત્‍ન’ વિશ્વ વિભૂતિ ડો. બાબા સાહેબ આંબેડકરને અર્પિત કરેલી પુષ્‍પાંજલિ

vartmanpravah

વલસાડના પાલણ ગામે ડમ્‍પર ચાલકે સાગમટે સાત થાંભલા તોડી નાખ્‍યા

vartmanpravah

વાપી સલવાવ ગુરુકુળમાં સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજનો સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નરોલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સર્વાનુમતે નયનાબેન પટેલની વરણી

vartmanpravah

વાપી ગુંજન ચાર રસ્‍તા, ગીતાનગર સહિત અનેક વિસ્‍તારોમાં વરસાદી ખાડા તેમજ પાણી ભરાવાથી વણસેલી સ્‍થિતિ

vartmanpravah

Leave a Comment