October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવમાં વસંતપંચમી ઉત્‍સવ નિમિત્તે માઁ સરસ્‍વતીનું પૂજન તથા યજ્ઞ

(વર્તમાનપ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે વસંત પંચમી ઉત્‍સવ નિમિત્તે શાળાના કેમ્‍પસમાં માઁ સરસ્‍વતીનું પૂજન તથા યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવના મેનેજિંગ દ્રષ્ટિ પૂજ્‍ય કપિલ સ્‍વામીના માર્ગદર્શન હેઠળ સંસ્‍થામાં ચાલતા વિવિધ શૈક્ષણિક વિભાગો દ્વારા સંયુક્‍ત રીતે વસંત પંચમી ઉત્‍સવ ઉજવાયો હતો. બ્રાહ્મણના શાષાોક્‍ત મંત્રો ચાર સાથે માઁ સરસ્‍વતીનું પૂજન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ યજ્ઞ પણ કરવામાં આવ્‍યો હતો જેમાં સંસ્‍થાના તમામ શૈક્ષણિક, બિન શૈક્ષણિક સ્‍ટાફે યજ્ઞમાં સમિધ પુર્યા હતા.
આ પ્રસંગે સંસ્‍થાના સ્‍થાપક પૂજ્‍ય પુરાણી સ્‍વામીજીનો પણ જન્‍મદિવસ હોય સૌએ તેમનું પણ પૂજન કરી આશીર્વાદ મેળવ્‍યા હતા. આ પ્રસંગે મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામીજી દ્વારા વસંત પંચમી ઉત્‍સવનું મહત્‍વ સમજાવવામાં આવ્‍યુ હતું. પૂજ્‍ય પુરાણી સ્‍વામીજીએ આશીર્વચન આપ્‍યા હતા. ત્‍યારબાદ ગૌશાળામાં ગૌ પૂજન પણ કરવામાં આવ્‍યું હતું. વિદ્યાર્થીઓ અને સંગીત શિક્ષક દ્વારા સરસ્‍વતીના ભજન તથા ધૂનનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. સમગ્ર કાર્યક્રમમાં સુંદર ધાર્મિક અને પવિત્ર મહોલ સર્જાયો હતો.
આ પ્રસંગે પૂજ્‍ય રામસ્‍વામી પૂજ્‍ય હરિસ્‍વામી દ્રષ્ટિ મંડળના સભ્‍યો બાબુભાઈ, હરેશભાઈ,મનસુખભાઈ, જયશ્રીબેન દયાબેન યોગીની બેન, ડાયરેક્‍ટર ડો. શૈલેષભાઈ લુહાર, હિતેનભાઈ ઉપાધ્‍યાય, આચાર્ય ગણમાં મીનલબેન દેસાઈ, આશાબેન દામા રીનાબેન દેસાઈ, દક્ષાબેન પટેલ, નીતુ સિંહ, ડો. સચિન નારખેડે, ચંદ્રવદન પટેલ સહિત મોટી સંખ્‍યામાં આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઉમરગામ પાલિકાએ નિર્મળ ગુજરાત સ્‍વચ્‍છતા પખવડિયા અંતર્ગત પ્રારંભ કરેલી કામગીરી

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજના એગ્રીકલ્‍ચર ઈનોવેશન પ્રોજેકટની રાષ્‍ટ્રીય કક્ષાના હેકથોનમાં સિદ્ધિ

vartmanpravah

ચીખલી સમરોલી સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દસ વર્ષ પૂર્ણ થતા હરિભક્તો દ્વારા દિવ્યતા અને ભવ્યતા સાથે કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

લક્ષદ્વીપના જિલ્લા અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણ જિલ્લા પંચાયતની લીધેલી મુલાકાત પેટાઃ બંને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વિકાસની થયેલી ચર્ચાઃ મોદી સરકારના આગમન બાદ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો દરેક ક્ષેત્રે થયેલો અકલ્‍પનીય વિકાસ પેટાઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા હોવાનું લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળનું મંતવ્‍ય (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 આજે કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણની મુલાકાત લીધી હતી અને સાંજે દમણ જિલ્લા પંચાયત ખાતે સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યો સાથે વિચારોનું આદાન-પ્રદાન પણ કરાયું હતું. દમણ જિલ્લા પંચાયત ખાતે લક્ષદ્વીપ અને દમણના જિલ્લા પંચાયત તથા સરપંચો સાથે આયોજીત બેઠકનું નેતૃત્‍વ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે કર્યું હતું. દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે લક્ષદ્વીપના પ્રમુખ અને ચીફ કાઉન્‍સેલર શ્રી હસન બોડુમુકાગોથી સહિત અન્‍ય 19 સભ્‍યોનું અભિવાદન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમથી દમણ-દીવ અને દાદરા નગર હવેલીના થયેલા સર્વાંગીવિકાસની ઝલક પ્રસ્‍તુત કરી હતી. તેમણે દમણના થયેલા પ્રવાસન અને શૈક્ષણિક વિકાસની પણ ગાથા જણાવી હતી. આ પ્રસંગે દમણના વિવિધ સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યોએ પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવના થયેલા સર્વાંગી વિકાસ પાછળ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પરિશ્રમ અને તેમની દીર્ઘદૃષ્‍ટિને શ્રેય આપ્‍યો હતો. સભ્‍યોએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, જ્‍યારે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રદેશના વિકાસની બ્‍લ્‍યુપ્રિન્‍ટ બતાવતા હતા ત્‍યારે કોઈને કલ્‍પના પણ નહીં હતી કે, આવા ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં શિક્ષણ, સંસ્‍કાર, પ્રવાસન ઉદ્યોગ, મચ્‍છીમારી, ઉદ્યોગ સહિત દરેક ક્ષેત્રે સુપ્રિમ કક્ષાનો વિકાસ થશે. આ પ્રસંગે લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળે પણ દમણની એન્‍જિનિયરીંગ કોલેજ, બીચ રોડ, સ્‍કૂલ વગેરેની કરેલી મુલાકાતથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને તેઓએ પણ વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા છે. તેઓએ દમણના જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોને લક્ષદ્વીપ આવવાનું આમંત્રણ પણ પાઠવ્‍યું હતું. આ કાર્યક્રમમાં દમણ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah

દમણ જિલ્લાની ચારેય શાખાઓ દ્વારા બેંક ઓફ બરોડાના 115મા સ્‍થાપના દિનના ઉપલક્ષમાં વિકલાંગ વિદ્યાર્થીઓને અભ્‍યાસ અને જીવન જરૂરી સુવિધાઓનું કરેલું વિતરણ

vartmanpravah

દીવના પોલીસ સ્‍ટેશન ખાતે વિધિવત ગણપતિ સ્‍થાપન કરવામાં આવી

vartmanpravah

Leave a Comment