Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકા કોળી પટેલ સમાજવાડીમાં ગોપાળજી સાંસ્‍કળતિક ભવનનું ધાર્મિક કાર્યક્રમોના સાથે દાતા પરિવારના હસ્‍તે કરાયેલું લોકાર્પણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.23: સમરોલીમાં જુના વલસાડ રોડ સ્‍થિત કોળી સમાજની વાડીના બીજા માળે જૂન-2021 માં તત્‍કાલીન પ્રમુખ કિશોરભાઈ પટેલ ફરજકાળ દરમ્‍યાન બલવાડા ગામના મુખ્‍યદાતા ઉત્તમભાઈ પટેલ, રતિલાલ પટેલ, મગનભાઈ પટેલ સહિતના ગોપાળજી પરિવારના આર્થિક સહયોગથી ગોપાલજી સાંસ્‍કળતિક ભવનનું નિર્માણ શરૂ કરાયું હતું. અધતન સુવિધા સાથેનું આ ભવન તૈયાર થતા ગાયત્રી યજ્ઞ અને પૂજા વિધિ સાથે મુખ્‍ય દાતા ઉત્તમભાઈ ગોપાળભાઈ પટેલ અને સમગ્ર ગોપાળજી પરિવાર તથા સમાજના મંડળના પ્રમુખ સમીરભાઈ ટ્રસ્‍ટી અને પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ટ્રસ્‍ટી મગનભાઈ એસ. કે. પટેલ ઉપ-પ્રમુખ દીપકભાઈ સમરોલી સહિતનાની ઉપસ્‍થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે સમાજના ટ્રસ્‍ટી અને પૂર્વ પ્રમુખ કિશોરભાઈ પટેલે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિતઓને સંબોધતા જણાવ્‍યું હતું કે, ગોપાળજી સાંસ્‍કળતિક ભવનના નિર્માણથી સમાજની વાડીની સુવિધામાં વધારો થવા પામ્‍યો છે. જે ખરેખર આનંદની વાત છે. સાથે તેમણે આ સાંસ્‍કળતિક ભવનના નિર્માણ માટેઆર્થિક યોગદાન આપનાર ઉત્તમભાઈ પટેલ સહિતના બલવાડાના ગોપાળજી પરિવાર તથા તમામ દાતાઓ પ્રત્‍યે આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી. અને સમાજના માટે કંઈક કરી છૂટવાની ભાવના રાખનાર ગોપાળજી પરિવારનું યોગદાન અન્‍ય માટે પણ હંમેશા પ્રેરણાદાયી રહેશે પ્રમુખ સમીરભાઈ પટેલે પણ પ્રસંગોચિત વક્‍તવ્‍ય રજૂ કરી બલવાડાના ગોપાળજી પરિવાર સહિત તમામ દાતાઓ પ્રત્‍યે આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી. આભાર વિધિ આંતરિક અન્‍વેષક રવજીભાઈ પટેલે કરી હતી.

Related posts

વાપી બજારમાં બે મહિનાથી ગેસ્‍ટ હાઉસમાં રોકાયેલ આધેડની આત્‍મહત્‍યા કરેલી ડીકમ્‍પોઝ લાશ મળી

vartmanpravah

વાપીને ગુજરાતની માડેલ પાલિકા બનાવવા માટે પ્રાદેશિક કમિશ્‍નરએ ઈચ્‍છા વ્‍યક્‍ત કરી

vartmanpravah

વાપી-વલસાડથી કુંભ મેળા માટે પશ્ચિમ રેલવે દ્વારા સ્‍પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવશે

vartmanpravah

પ્રદેશના શહેરી વિભાગના સચિવ, ન.પા. અધ્‍યક્ષ અને ચીફ ઓફિસરે દાનહ અને દમણ-દીવને પીએમએવાય-યુમાં મળેલ પુરસ્‍કારને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અર્પણ કરી કરેલો ઋણ સ્‍વીકાર

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૪૪૬૫૭૯ બાળકોને કૃમિનાશક દવા અપાઈ, ૯૭.૪ ટકા લક્ષ્યાંક સિધ્ધ

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment