December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગણદેવી તાલુકાના નાંદરખામાં બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટ અંતર્ગત એલ એન્‍ડ ટી કંપની દ્વારા ખેડૂતોની જમીનનો ભાડા કરાર કરાવી માટી ખનન કરી બિન ઉપજાવ બનાવી યોગ્‍ય વળતર ન ચૂકવી છેતરપીંડી કરી હોવાની કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.06: કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગણદેવી તાલુકાના નાંદરખામાં બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટ અંતર્ગત એલ એન્‍ડ ટી કંપની દ્વારા ખેડૂતોની જમીનનો ભાડા કરાર કરાવી માટી ખનન કરી બિન ઉપજાવ બનાવી યોગ્‍ય વળતર ન ચૂકવી છેતરપીંડી કરી હોવાની રજૂઆત કરી 15-દિવસમાં ખેડૂતોને ન્‍યાય ન મળે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્‍ચારવામાં આવી છે.
ધારાસભ્‍ય અનંતભાઈ પટેલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ સહિતનાનીઆગેવાનીમાં નાદરખા ગામના ખેડૂતો દ્વારા ગણદેવીમાં મામલતદારને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્‍યું છે કે મોદી સરકારનો ડ્રીમ પ્રોજેક્‍ટ એવા બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટને સફળ બનાવવા અમે ખેડૂતોએ પૂરતો સહયોગ આપ્‍યો છે પરંતુ એલ એન્‍ડ ટી કંપનીને કોન્‍ટ્રાક્‍ટ આપવામાં આવેલ છે. અમો એલ એન્‍ડ ટી કંપનીને અમારી જમીન ભાડુઆત તરીકે આપી હતી પરંતુ એલ એન્‍ડ ટી કંપનીએ અમોને કહેલ કોઈ શરતોનું પાલન કર્યું નથી અમારી સાથે છેતરપિંડી કરેલ છે અને અમારો પરિવાર આ ખેતીની જમીન પર ગુજરાત ચલાવતા હતા પરંતુ હાલમાં એલએન્‍ડટી કંપનીએ અમારી પરવાનગી વગર 25 થી 30 ફૂટ ઊંડે સુધી માટી ખનન કર્યું છે સાથે ભોંય તળિયામાં સિમેન્‍ટ કોંક્રીટ કર્યું છે જેથી એમાં ખેતી કરી શકાય એવી કોઈ શકયતા નથી રહી જમીનમાં ઊંડા ખાડાઓ કરવામાં આવ્‍યા હોવાથી ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો થાય છે ત્‍યાં જીગ્નેશભાઈનું મકાન પણ આવેલ છે જેમની પાસે રહેવા માટે બીજું કોઈ જગ્‍યા નથી.
અમે ખેડૂતોએ સરપંચ, તલાટી, મામલતદાર, કલેક્‍ટર, ધારાસભ્‍ય, સાંસદને રજૂઆત કરી હોવા છતાં ન્‍યાય મળેલ નથી. બીજી તરફ એલ એન્‍ડ ટી કંપનીના મોટર સાહેબ કહે છે કે આ મોદી સરકારનો ડ્રીમ પ્રોજેક્‍ટ છે. તમારાથી જ્‍યાં કેસ થતો હોય ત્‍યાં કરો.કોઈનું કશું ચાલવાનું નથી. આગામી 15 દિવસમાં ન્‍યાય ન મળે તો અમારી જમીન પર બેસીને આંદોલન કરી અમારી જમીન પર ચાલતા કામોને અટકાવી ગાંધી ચીંધ્‍યા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્‍ચારમાં આવી છે.

નાદરખામાં એલ એન્‍ડ ટી કંપનીએ જમીન ભાડે લીધા પછી ખેતીની જમીનમાં કોઈપણ જાતની પરવાનગી વિના બીન ખેતીનું કળત્‍ય કરેલ છે. મામલતદાર ખાણ ખનીજની પરવાનગી વિના ખેડૂતોના ભાડા કરારમાં કોઈપણ જાતનો ઉલ્લેખ ન હોવા છતાં મોટાપાયે માટી ખનન કરી ખેડૂતોને અન્‍યાય કરી હાલે ખેડૂતોને કોઈ સાંભળતા પણ નથી ત્‍યારે ખેડૂતોને ન્‍યાય ન મળે ત્‍યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.
– શૈલેષભાઈ, પ્રમુખ-જિલ્લા કોંગ્રેસ

Related posts

દાદરા નગર હવેલીમાં પાછોતરા વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થતાં પ્રશાસન દ્વારા સર્વે હાથ ધરવા સેલવાસ ન.પા. કાઉન્‍સિર સુમનભાઈ પટેલની માંગ

vartmanpravah

જે પિતૃનું શ્રાદ્ધ કરવામાં નથી આવતું તે અતૃપ્ત અવસ્‍થામાં પાછા જાય છે અને મનોમન ઉદાસ બની જાય છે તેનું વિપરીત પરિણામ કુટુંબને ભોગવવું પડતું હોય છે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘સંકલ્‍પ સપ્તાહ’ના શુભારંભ પ્રસંગે દરેકને મિશન મોડમાં કામ કરવા આપેલી સલાહઃ ઓક્‍ટો.-નવે.-2024માં ફરી ફિઝિકલી મળી કાર્યક્રમનો હિસાબ-કિતાબ લેવા આપેલું વચન

vartmanpravah

વલસાડ સહિત જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં વાજતે ગાજતે દિવાસાના દિવસે દશામાની મૂર્તિઓની સ્‍થાપના

vartmanpravah

દાનહના સાંસદ અને કલેક્‍ટર સમક્ષ કરેલી રજૂઆતમાં સેલવાસ ન.પા.ના વોર્ડ નં.3ના સભ્‍ય સુમનભાઈ પટેલની હૈયાવરાળ : સેલવાસ શહેરમાં લોકોને પડતી મુશ્‍કેલીઓ જલ્‍દીથી દુર કરો

vartmanpravah

સમસ્‍ત સંઘપ્રદેશ મહિલા સશક્‍તિકરણના પર્યાય અને મહિલાઓના આદર્શ ઉત્તરપ્રદેશના રાજ્‍યપાલ આનંદીબેન પટેલને વધાવવા ઘેલુ બન્‍યું છે

vartmanpravah

Leave a Comment