Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગણદેવી તાલુકાના નાંદરખામાં બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટ અંતર્ગત એલ એન્‍ડ ટી કંપની દ્વારા ખેડૂતોની જમીનનો ભાડા કરાર કરાવી માટી ખનન કરી બિન ઉપજાવ બનાવી યોગ્‍ય વળતર ન ચૂકવી છેતરપીંડી કરી હોવાની કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.06: કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગણદેવી તાલુકાના નાંદરખામાં બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટ અંતર્ગત એલ એન્‍ડ ટી કંપની દ્વારા ખેડૂતોની જમીનનો ભાડા કરાર કરાવી માટી ખનન કરી બિન ઉપજાવ બનાવી યોગ્‍ય વળતર ન ચૂકવી છેતરપીંડી કરી હોવાની રજૂઆત કરી 15-દિવસમાં ખેડૂતોને ન્‍યાય ન મળે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્‍ચારવામાં આવી છે.
ધારાસભ્‍ય અનંતભાઈ પટેલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ સહિતનાનીઆગેવાનીમાં નાદરખા ગામના ખેડૂતો દ્વારા ગણદેવીમાં મામલતદારને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્‍યું છે કે મોદી સરકારનો ડ્રીમ પ્રોજેક્‍ટ એવા બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટને સફળ બનાવવા અમે ખેડૂતોએ પૂરતો સહયોગ આપ્‍યો છે પરંતુ એલ એન્‍ડ ટી કંપનીને કોન્‍ટ્રાક્‍ટ આપવામાં આવેલ છે. અમો એલ એન્‍ડ ટી કંપનીને અમારી જમીન ભાડુઆત તરીકે આપી હતી પરંતુ એલ એન્‍ડ ટી કંપનીએ અમોને કહેલ કોઈ શરતોનું પાલન કર્યું નથી અમારી સાથે છેતરપિંડી કરેલ છે અને અમારો પરિવાર આ ખેતીની જમીન પર ગુજરાત ચલાવતા હતા પરંતુ હાલમાં એલએન્‍ડટી કંપનીએ અમારી પરવાનગી વગર 25 થી 30 ફૂટ ઊંડે સુધી માટી ખનન કર્યું છે સાથે ભોંય તળિયામાં સિમેન્‍ટ કોંક્રીટ કર્યું છે જેથી એમાં ખેતી કરી શકાય એવી કોઈ શકયતા નથી રહી જમીનમાં ઊંડા ખાડાઓ કરવામાં આવ્‍યા હોવાથી ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો થાય છે ત્‍યાં જીગ્નેશભાઈનું મકાન પણ આવેલ છે જેમની પાસે રહેવા માટે બીજું કોઈ જગ્‍યા નથી.
અમે ખેડૂતોએ સરપંચ, તલાટી, મામલતદાર, કલેક્‍ટર, ધારાસભ્‍ય, સાંસદને રજૂઆત કરી હોવા છતાં ન્‍યાય મળેલ નથી. બીજી તરફ એલ એન્‍ડ ટી કંપનીના મોટર સાહેબ કહે છે કે આ મોદી સરકારનો ડ્રીમ પ્રોજેક્‍ટ છે. તમારાથી જ્‍યાં કેસ થતો હોય ત્‍યાં કરો.કોઈનું કશું ચાલવાનું નથી. આગામી 15 દિવસમાં ન્‍યાય ન મળે તો અમારી જમીન પર બેસીને આંદોલન કરી અમારી જમીન પર ચાલતા કામોને અટકાવી ગાંધી ચીંધ્‍યા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્‍ચારમાં આવી છે.

નાદરખામાં એલ એન્‍ડ ટી કંપનીએ જમીન ભાડે લીધા પછી ખેતીની જમીનમાં કોઈપણ જાતની પરવાનગી વિના બીન ખેતીનું કળત્‍ય કરેલ છે. મામલતદાર ખાણ ખનીજની પરવાનગી વિના ખેડૂતોના ભાડા કરારમાં કોઈપણ જાતનો ઉલ્લેખ ન હોવા છતાં મોટાપાયે માટી ખનન કરી ખેડૂતોને અન્‍યાય કરી હાલે ખેડૂતોને કોઈ સાંભળતા પણ નથી ત્‍યારે ખેડૂતોને ન્‍યાય ન મળે ત્‍યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.
– શૈલેષભાઈ, પ્રમુખ-જિલ્લા કોંગ્રેસ

Related posts

વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસ દ્વારા સેલવાસ અને ખાનવેલમાં જન સુનાવણી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દીવ ઘોઘલાના શાસ્ત્રી રાજીવ ઈશ્વરલાલ પંડ્‍યાએ જ્યોતિષમાં પીઍચડીની પદવી મેળવી

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘પંચાયત આપણાં આંગણામાં’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

આઝાદીના 75 વર્ષ બાદ પણ કપરાડાના લીખવડ ગામની 2000ની વસતિને આજદિન સુધી રસ્‍તાની સુવિધા મળી શકી નથી

vartmanpravah

સ્‍વ. ચુનીલાલ પોપટલાલ ગુટકા, સ્‍વ. રંજનબેન ચુનીલાલ ગુટકા અને કુમુદબેન હિતેશ ગુટકા તરફથી વિરારથી વાપીના 65 વર્ષથી વધુ વયના જૈન લોકો માટે નિઃશુલ્‍ક / નિસ્‍વાર્થ ભાવે મુંબઈથી લોનાવાલા એક દિવસીય યાત્રા પ્રવાસનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment