સુરત, નવસારી, વડોદરા જેવા શહેરમાં મૂર્તિની ઊંચાઈ અંગે કોઈ ગાઈડલાઈન નથી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17: હજુ તો ગણેશ મહોત્સવની વાર છે. પરંતુ ગણેશ મંડળો દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી અંગેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન જિલ્લા કલેક્ટર મેજીસ્ટ્રેટ દ્વારા ગણેશ પ્રતિમાની ઊંચાઈ 9 ફૂટથી વધારે રાખી શકાશે નહીં તેવું જાહેરનામું બહાર પાડવામાં આવતા વલસાડના વિવિધ ગણેશમંડળો દ્વારા વિરોધનો સુર શરૂ થયો હતો.
વલસાડ પાલિકા પૂર્વ પ્રમુખ રાજુભાઈ મરચા અને વિવિધ ગણેશ મંડળના આગેવાનોની એક મિટિંગ યોજાઈ હતી. જેમાં આગામી ગણેશ મહોત્સવમાં 9 ફૂટ ઊંચાઈની મર્યાદામાં ગણેશ મૂર્તિઓ રાખવી તેવા જાહેરનામાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આયોજકોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સુરત, નવસારી, વડોદરા જેવા શહેરમાં મૂર્તિની ઊંચાઈ અંગે કોઈ વિરોધ નથી તો વલસાડમાં કેમ મિટિંગમાં ગણેશની મૂર્તિઓ ઈકો ફ્રેન્ડલી રાખવા સહિત વિસર્જન અંગેની ચર્ચા-વિચારણા થઈ હતી.