February 5, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘આદિત્‍ય એન.જી.ઓ.’ દ્વારા 2 માર્ચથી નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શિવકથાનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલીના નરોલી ગામે બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે મહા શિવરાત્રી નિમિતે શિવકથાનું આયોજન કરવામાં આવશે. મહાશિવરાત્રિ નિમિતે શ્રી બાલેશ્વર મહાદેવ મંદિરમાં ‘આદિત્‍ય એન.જી.ઓ.’ દ્વારા તા.02/03/24ને શનિવારથી 08/03/2024ને શુક્રવાર સુધી ભવ્‍ય શિવકથાનું આયોજન કરવામાં આવેલ છે. વ્‍યાસપીઠ પર સુપ્રસિદ્ધ કથાકાર પ.પૂ.હરેશભાઈ ભોગાયતા પોતાની ઓજસ્‍વી મધુર વાણી દ્વારા સંગીતમય શિવકથાનું રસપાન કરાવશે.
કથાના પ્રારંભ પહેલાં પોથીયાત્રા શનિવાર 02માર્ચના રોજ બપોરે 2:30 કલાકે શ્રી ગંગેશ્વર મંદિરથી નીકળી શ્રી બાલેશ્વર મંદિર પાસે કથા સ્‍થળે પહોંચશે. આ શિવકથા દરમ્‍યાન કથા માહાત્‍મ્‍ય શ્રવણ વિધિ, અગ્નિસ્‍તંભ પ્રાગટય, શિવલિંગ, ભસ્‍મ, રુદ્રાક્ષ મહિમા, સતિ જન્‍મ કથા, શિવ પાર્વતી વિવાહ, કાર્તિકેય ગણેશ ચરિત્ર, ઉમા સંહિતા, કૈલાસ માહાત્‍મ્‍ય, જ્‍યોતિર્લિંગ મહાત્‍મ કથા, શિવનામ મહિમા વગેરે વર્ણવવામાં આવશે.
કથાનો સમય દરરોજ બપોરે 3:00 વાગ્‍યાથી સાંજે 6:00 વાગ્‍યાનો રાખવામાં આવેલ છે. શિવકથાના આયોજક ‘આદિત્‍ય એન.જી.ઓ.’ના પ્રમુખ શ્રીમતી જુલી સોલંકી અને શ્રી યોગેશસિંહ સોલંકીદ્વારા આ શિવકથાનો લાભ લેવા માટે ભાવિક ભક્‍તોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલભાઈ પટેલલે સભા, રેલી, શક્‍તિ પ્રદર્શન, જુસ્‍સાના માહોલ સાથે ઉમેદવારી નોંધાવી

vartmanpravah

વલસાડની 7 વર્ષિય જૈવી ભાનુશાલી કુડો નેશનલ ચેમ્‍પિયનશીપમાં ચેમ્‍પિયન બની

vartmanpravah

વલસાડ જિલ્લામાં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં 13053 વિદ્યાર્થીઓ હાજર અને 579 ગેરહાજર

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાર ગામોને પડોશના કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં સમાવવા થઈ રહેલી હિલચાલ

vartmanpravah

વાપીમાં છેલ બટાઉ આધેડએ મહિલાની છેડતી કરતા પોલીસે કાયદાનો પાઠ ભણાવ્‍યો

vartmanpravah

ચીખલી તાલુકામાં ત્રણ શિક્ષક સહિત ચાર જેટલા કોરોના પોઝિટિવ: આરોગ્‍ય વિભાગે તકેદારીના પગલાં લેવાની તજવીજ હાથ ધરી

vartmanpravah

Leave a Comment