દાનહ અને દમણ-દીવના સર્વાંગી કલ્યાણની પણ મહાનુભાવોએ ભગવાન ભોળાનાથને કરેલી કામના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : આજે મહાશિવરાત્રીના પાવન પ્રસંગે દાદરા નગર હવેલીના ખાનવેલ નજીક બિન્દ્રાબિન ખાતે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિરમાં પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદી, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી સુનિલભાઈ પાટીલ અને શ્રી જીતુભાઈ માઢા તથા પૂર્વ મહામંત્રી શ્રી મનિષભાઈ દેસાઈ અને અન્ય મહાનુભાવોએ પૂજા-અર્ચના સાથે જળાભિષેક કરી મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને પ્રદેશવાસીઓ માટે સુખ-સમૃદ્ધિ અને કલ્યાણની કામના કરી હતી.
મહાશિવરાત્રીના પાવન પ્રસંગે આયોજીત મહાપ્રસાદમાં ભાગ લઈ પ્રદેશ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદી તથા અન્ય મહાનુભાવોએ ભાવિક ભક્તોને પ્રેમથી પ્રસાદ પણ વિતરીત કર્યો હતો.