August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય દ્વારા શિવરાત્રી પર્વે યોજાયેલ ત્રિદિવસીય આધ્‍યાત્‍મિક મેળાનું સમાપન

બાર જ્‍યોતિર્લીંગ અને આધ્‍યાત્‍મિક પ્રદર્શન નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉદ્દઘાટન કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વાપીમાં છરવાડા રોડ ઉપર બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય વાપી દ્વારા શિવરાત્રી પર્વના ઉપલક્ષમાં તા.8 થી તા.10 માર્ચ ત્રિદિવસીય આધ્‍યાત્‍મિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બાર જ્‍યોર્તિલિંગ દર્શન, યોગ, પ્રાર્થનાનો મહિમા સહિતના આધ્‍યાત્‍મિક ચિત્રોનું સુંદર પ્રદર્શનનું આયોજન કરાયું હતું. ત્રણ દિવસ દરમિયાન સેંકડો શ્રધ્‍ધાળુઓએ ભાગ લીધો હતો.
બ્રહ્માકુમારી આધ્‍યાત્‍મક પ્રદર્શનનું ઉદ્દઘાટન નાણામંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્‍તે કરાયું હતું. પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલ, પૂર્વ પ્રમુખ વી.આઈ.એ. કમલેશ પટેલ, સ્‍વામિનારાયણ ગુરુકુળના શ્રી કપિલ સ્‍વામી જેવા અનેક મહાનુભાવોએ પ્રદર્શનની મુલાકાતલીધી હતી. જુદી જુદી સ્‍કૂલના બાળકો પણ પ્રદર્શન નિહાળવા આવતા તેમજ આધ્‍યાત્‍મિકતાનું સિંચન કરતા હતા. ઉલ્લેખનીય છે કે, બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય વાપીના સંચાલિક બ્રહ્મકુમારી રશ્‍મિકાબેન અને તેમની ટીમ પ્રત્‍યેક શિવરાત્રી પર્વની ઉજવણીના ભાગ રૂપે આવા આધ્‍યાત્‍મિક કાર્યક્રમનું આયોજન કરે છે.

Related posts

વાંસદા બેઠક માટે નાયબ મામલતદારની સરકારી નોકરી કરી રહેલા પિયુષ પટેલે ભાજપ માટે દાવેદારી નોંધાવી

vartmanpravah

માલનપાડા નવીનગરી પ્રાથમિક શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ પરમાર જ્ઞાનભૂષણ એવોર્ડથી સન્માનિત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દમણમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે બહુસ્‍તરીય બેઠકનું કરેલું નેતૃત્‍વ 

vartmanpravah

ચીખલી સાદડવેલ ગામે શેરડીના ખેતરમાંથી મૃત હાલતમાં દિપડો મળી આવ્યો

vartmanpravah

મુસ્‍કાન એનજીઓ વાપી દ્વારા હિન્‍દી દિવસ નિમિત્તે વક્‍તવ્‍ય સ્‍પર્ધાનું કરેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં: ભિલાડ પાસે ઝરોલીમાં ટનલની કામગીરી શરૂ

vartmanpravah

Leave a Comment