Vartman Pravah
Breaking NewsOtherખેલગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

તમિલનાડુના કોઈમ્‍બતુરમાં યોજાનાર એન.સી.એ. અંડર-23 ઇમર્જિંગ હાઈ પરફોર્મન્‍સ કેમ્‍પ માટે દમણના ઉભરતા યુવા ક્રિકેટ ખેલાડી ઉમંગ ટંડેલની પસંદગી

ઉમંગ ટંડેલ ગુજરાત ક્રિકેટ એસોસિએશન(જી.સી.એ.) તરફથી દુલીપ ટ્રોફી માટે પસંદગી પામવા એકમાત્ર હોટફેવરિટ ખેલાડીઃ કોચ ભગુ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બી.સી.સી.આઈ.)ની અખિલ ભારતીય વરિષ્ઠ સમિતિ દ્વારા આગામી 10 જૂનથી 29 જૂન, 2024 દરમિયાન તમિલનાડુના કોઈમ્‍બતુરમાં યોજાનાર નેશનલ ક્રિકેટ એકેડેમી(એન.સી.એ.) અંડર-23 ઇમર્જિંગ હાઈ પરફોર્મન્‍સ કેમ્‍પ માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દમણના ઉભરતા ક્રિકેટર ઉમંગ ટંડેલની પસંદગી કરી છે.
ઉમંગ ટંડેલના ક્રિકેટ કોચ ભગુભાઈ પટેલના જણાવ્‍યા પ્રમાણે ઉમંગ ટંડેલ ખૂબ જ સારો બેટ્‍સમેન ઓલરાઉન્‍ડર ખેલાડી છે, જેને મેં ક્રિકેટની યુક્‍તિ ખૂબ નજીકથી શીખવી છે, જે આજે ઉમંગે સિદ્ધ કરીને બતાવ્‍યું છે. બી.સી.સી.આઈ. દ્વારા આયોજિત ઘરેલું સ્‍પર્ધા રણજી ટ્રોફી-2024-’25માં ગુજરાતની ટીમ માટે રમતી વખતે ઉમંગે ઘણી મેચોમાં ગુજરાતની ટીમના ટોપ ઓર્ડરના બેટ્‍સમેનો વહેલા આઉટ થઈ ગયા હતા અને ટીમને મુશ્‍કેલીઓનો સામનો કરવો પડ્‍યો હતો, ત્‍યારે ઉમંગે મેચમાં ઉભા રહી પોતાનુંપ્રદર્શન કરી ગુજરાત ટીમને મજબૂત સ્‍થિતિમાં મૂકીને અને ટીમને જીત અપાવવામાં મહત્‍વપૂર્ણ યોગદાન આપ્‍યું છે. ઉમંગ ટંડેલ રણજી ટ્રોફી 2024-’25માં ગુજરાતની ટીમનો સૌથી વધુ રન બનાવનાર એકમાત્ર ખેલાડી બન્‍યો છે. 2024-’25ની રણજી ટ્રોફીમાં ગુજરાતની ટીમ માટે રમતી વખતે ઉમંગે 6 મેચમાં 49.63ની એવરેજની મદદથી 543 રન બનાવ્‍યા હતા, જેમાં તેણે સતત 5 અડધી સદી ફટકારી હતી અને પોતાના ઉચ્‍ચ પ્રદર્શનથી એક અલગ જ ઓળખ બનાવી છે. ક્રિકેટ કોચ ભગુ પટેલે જણાવ્‍યું હતું કે, ઉમંગ ટંડેલનું 2024-’25નું રણજી ટ્રોફીમાં પ્રદર્શન જોઈને મને આશા છે કે તેની પસંદગી દુલિપ ટ્રોફી માટે થઈ થશે. ઉમંગ ટંડેલની એન.સી.એ. કેમ્‍પ માટે પસંદગી થતાં તેના માતા-પિતા, ચાહકો, મિત્રો, શુભેચ્‍છકો અને સમગ્ર દમણના ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
અત્રે યાદ રહે કે, નેશનલ ક્રિકેટ એકેડમી (એન.સી.એ.) એ ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્‍વ કરવાની ક્ષમતા ધરાવતા યુવા ક્રિકેટરોને વિકસાવવાના હેતુથી બેંગલુરુમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની ક્રિકેટ સુવિધા છે. તેની સ્‍થાપના 2000માં કરવામાં આવી હતી અને તે એમ. ચિન્નાસ્‍વામી સ્‍ટેડિયમની નજીક સ્‍થિત છે. આ સુવિધાનો ઉપયોગ ઇજાગ્રસ્‍ત ખેલાડીઓના પુનર્વસન માટે પણ થાય છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રિય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી જે.પી.નડ્ડા સાથે સંઘપ્રદેશના વિવિધ મુદ્દાઓનીકરેલી ગહન ચર્ચા

vartmanpravah

વલસાડ જિલ્લાનું નૈસર્ગિક સૌદર્ય સોળે કળાએ ખીલ્યું: ચીચોઝરના શિવધોધનું અનોખુ આકર્ષણ:

vartmanpravah

મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડ ખાતે નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા જિલ્લા કક્ષાની રમતોત્‍સવનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી શાકભાજી માર્કેટમાં બિરાજમાન કરાયેલ દુર્ગામાતાની મૂર્તિનું શ્રધ્‍ધાપૂર્વક ભાવિકોએ વિસર્જન કર્યું

vartmanpravah

વલસાડ ડુંગરી હાઈવે બ્રિજ ઉપર સ્‍લેબ તૂટી પડતા ભંગાણ સર્જાયું : ટ્રાફિક પ્રભાવિત

vartmanpravah

ધરમપુર બેઠક ઉપર ચતુષ્કોણીય જંગઃ અપક્ષ ઉમેદવાર તરીકે આજે તા.પં. સભ્ય કલ્પેશ પટેલ ઉમેદવારી નોંધાવશે

vartmanpravah

Leave a Comment