March 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

આજે સેલવાસના અટલભવન ખાતે ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરનું ભવ્‍ય સ્‍વાગત કરાશે

એક લાખ કરતા વધુ સરસાઈથી દાદરા નગર હવેલીની બેઠક ઉપર ભવ્‍ય વિજય મેળવી આ બેઠક પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ચરણોમાં ધરવા કાર્યકરોમાં જાગેલો ભારે ઉત્‍સાહ અને આનંદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રીમતી કલાબેન મોહનભાઈ ડેલકરના સ્‍વાગત સમારંભનું આયોજન આવતી કાલ તા.16મી માર્ચના રોજ સવારે 11:00 વાગ્‍યે સેલવાસના અટલ ભવન ખાતે કરવામાં આવ્‍યું હોવાની જાણકારી પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી સુનિલ પાટીલ અને શ્રી જીતુ માઢાએ આપી છે.
આવતી કાલે યોજાનારા શ્રીમતી કલાબેન ડેલકરના સ્‍વાગત સમારંભમાં ભાજપના દરેક પ્રદેશ, જિલ્લા અને મંડળના પદાધિકારીઓ, ચૂંટાયેલા તમામ જન પ્રતિનિધિઓ, બૂથ પ્રમુખો અને સક્રિય કાર્યકર્તાઓ તથા સમર્થકોને મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા પણ પ્રદેશ ભાજપ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.
દાદરા નગર હવેલી લોકસભાની બેઠક એક લાખ કરતા વધુ સરસાઈથી ઐતિહાસિક વિજયી બનાવી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ચરણોમાં ભેટ ધરવા કાર્યકરોમાં ભારે ઉત્‍સાહ અને આનંદ દેખાઈ રહ્યો છે.

Related posts

ધરમપુરની ખારવેલ પ્રાથમિક શાળામાં તા.11-12 ઓક્‍ટો.એ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે

vartmanpravah

ચીખલીના મલિયાધરામાં વિધવા મહિલાના ઘરની છત ધરાશાયી : પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો

vartmanpravah

વાપી પાલિકાની સામાન્‍યસભામાં રૂા.3.56 કરોડની પુરાંતવાળું અંદાજિત 133 કરોડનું બજેટ રજૂ કરાયું

vartmanpravah

મશીન લર્નિંગ અને ડેટા માઈનિંગના ક્ષેત્રમાં સંશોધનના આધારે દમણની સરકારી પોલીટેકનિક કોલેજ દ્વારા ડો. અરૂણાને IUCAA એસોસિએટશીપ શોધ પુરસ્‍કારથી પુરસ્‍કૃત કરાયા

vartmanpravah

દમણ આંટિયાવાડના સરપંચે સમુહ ભોજનનું આયોજન કરી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

વાપી ભાજપ સંગઠન દ્વારા ભારતરત્‍ન અટલ બિહારી બાજપાઈની 5મી પુણ્‍યતિથિએ પુષ્‍પાંજલિનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment