એક લાખ કરતા વધુ સરસાઈથી દાદરા નગર હવેલીની બેઠક ઉપર ભવ્ય વિજય મેળવી આ બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ચરણોમાં ધરવા કાર્યકરોમાં જાગેલો ભારે ઉત્સાહ અને આનંદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રીમતી કલાબેન મોહનભાઈ ડેલકરના સ્વાગત સમારંભનું આયોજન આવતી કાલ તા.16મી માર્ચના રોજ સવારે 11:00 વાગ્યે સેલવાસના અટલ ભવન ખાતે કરવામાં આવ્યું હોવાની જાણકારી પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી સુનિલ પાટીલ અને શ્રી જીતુ માઢાએ આપી છે.
આવતી કાલે યોજાનારા શ્રીમતી કલાબેન ડેલકરના સ્વાગત સમારંભમાં ભાજપના દરેક પ્રદેશ, જિલ્લા અને મંડળના પદાધિકારીઓ, ચૂંટાયેલા તમામ જન પ્રતિનિધિઓ, બૂથ પ્રમુખો અને સક્રિય કાર્યકર્તાઓ તથા સમર્થકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પણ પ્રદેશ ભાજપ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.
દાદરા નગર હવેલી લોકસભાની બેઠક એક લાખ કરતા વધુ સરસાઈથી ઐતિહાસિક વિજયી બનાવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ચરણોમાં ભેટ ધરવા કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને આનંદ દેખાઈ રહ્યો છે.