Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામની વાડીયા હાઈસ્‍કૂલની ધો.10ની બે વિદ્યાર્થિની અકસ્‍માતનો ભોગ બની, પરીક્ષા સ્‍ટાફ ખડેપગે સેવામાં રહી બંનેને હિંમતભેર પરીક્ષા અપાવી

વાડિયા હાઈસ્‍કૂલની 6 વિદ્યાર્થિની ફણસા માછીવાડથી રિક્ષામાં સરીગામ કેન્‍દ્ર પર પરીક્ષા આપવા જઈ રહી હતી ત્‍યારે ઘટના બની

કનાડુ ફાટક પાસે પૂરપાટ ઝડપે આવતી ઈકો કારે રિક્ષાને અડફેટે લેતા અકસ્‍માત સર્જાયો હતો

સરીગામ પરીક્ષા કેન્‍દ્રના સુપરવાઈઝર તાત્‍કાલિક બંને વિદ્યાર્થિનીને દવાખાને લઈ જઈ સારવાર કરાવી પરીક્ષા અપાવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: હાલ ગુજરાત બોર્ડની એસ.એસ.સી.ની પરીક્ષા પૂર્ણ થવાના આરે છે ત્‍યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી જેમ બી. એફ. એન્‍ડ બી. એફ વાડિયા હાઈસ્‍કૂલની 6 વિદ્યાર્થિનીઓ ફણસા માછીવાડથી રિક્ષા મારફત સરીગામ કેન્‍દ્ર પર પરીક્ષા આપવા માટે જઈ રહી હતી. ત્‍યારે કનાડુ ફાટક પાસે સામેથી પૂરપાટ ઝડપે આવતી ઈકોકાર રિક્ષા સાથે અથડાઈ હતી. જો કે રિક્ષા પલટી ખાતા બચી ગઈ પરંતુ બે વિદ્યાર્થિની પ્રાચી ભરતભાઈ ટંડેલ અને ખ્‍યાતિ જગદીશભાઈ માછીને ઘૂંટણના ભાગે મૂઢ માર વાગ્‍યો હતો. આ જ અરસામાં એમની જ શાળાના શિક્ષક નિમેષભાઈ કે. ટંડેલ સરીગામ કેન્‍દ્ર પર સુપરવિઝનની કામગીરી માટે આ જ રસ્‍તે જઈ રહ્યા હતા. એમણે બનાવની માહિતી મેળવી તરત જ પરીક્ષા કેન્‍દ્ર સ્‍થળ સંચાલક તૃષારસિંહ બી. પરમાર તથા હિતેશ સી. દોડીયાને તાત્‍કાલિક જાણ કરી નજીકમાં આવેલા દવાખાનામાં લઈ ગયા હતા, જ્‍યાં પાટાપિંડી કરી 9:45 કલાકે બંને વિદ્યાર્થિનીઓને પરીક્ષા કેન્‍દ્ર પર પહોંચાડવામાં આવી હતી.
સ્‍થળ સંચાલકો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી મણિલાલ સી. ભુસારાને જાણ કરી જરૂરી માર્ગદર્શન લઈ બંને વિદ્યાર્થીઓને યોગ્‍ય બેઠક વ્‍યવસ્‍થા કરવામાં મદદરૂપ થયા હતા. પરીક્ષા કેન્‍દ્ર સ્‍થળ પર વિદ્યાર્થિનીઓને સહાનુભૂતિ આપી પોતપોતાના બ્‍લોકમાં બેસાડી હતી ત્‍યાં ભ્‍ણ્‍ઘ્‍ની ટીમ દ્વારા સતત ફોલોઅપ સાથે કે. ડી. બી હાઈસ્‍કૂલ સરીગામ કેન્‍દ્રમાં જોડાયેલા તમામ પરીક્ષા કર્મચારીઓ ખડે પગે રહી વિદ્યાર્થિનીઓને પરીક્ષા આપવા માટે માનસિક અને શારીરિક રીતે મક્કમતા સભર તૈયાર કરી સારી રીતે પરીક્ષા આપે એવું આયોજન કરી સંપૂર્ણ પરીક્ષા ભયમુક્‍ત રીતે આપવા પ્રેરિત કર્યા હતા.વાલીઓએ સરીગામ કેન્‍દ્રના સ્‍ટાફ મિત્રો તથા સ્‍થળ સંચાલક હિતેશભાઈ દોડીયા તથા તુષારસિંહ પરમારનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

યુ.કે.ના લેસ્‍ટરમાં પાકિસ્‍તાનીઓ દ્વારા દમણ-દીવ સહિત ભારતીય હિન્‍દુ સમુદાય ઉપર થઈ રહેલા હૂમલાના વિરોધમાં દમણ ખાતે યોજાયેલી વિશાળ મૌન રેલી

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા સ્‍ટ્રીટ વેન્‍ડર માટે લોન મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

દાદરા દેરાસર મંદિરનો 52મો ધ્‍વજારોહણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

‘‘વાદા કિયા તો નિભાના હી પડેગા” : મોદી સરકારે શરૂ કરેલી નવી પરંપરા કેન્‍દ્રીય મંત્રી અશ્વિની વૈષ્‍ણવે દાનહની પેટા ચૂંટણી દરમિયાન આપેલા વચનો પૂર્ણ કરી મોદી સરકારની વચનબધ્‍ધતાની કરાવેલી પ્રતિતિ

vartmanpravah

‘વિભાજન વિભીષિકા સ્‍મૃતિ દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લા ભાજપા દ્વારા શ્રી માછી મહાજન સ્‍કૂલમાં પ્રદર્શનીનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.૮ થી ૧૪ જાન્‍યુઆરી દરમિયાન પોષણ અભિયાન અંતર્ગત સ્‍વસ્‍થ બાળક સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

Leave a Comment