કેન્દ્રીય ગૃહમંત્રી સાથેની મુલાકાતથી પ્રદેશની કેટલીક ઉકેલ માંગતી સમસ્યાઓ અને પડતર પ્રશ્નોનું નિરાકરણ થવાની વધેલી સંભાવના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.01 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના કેટલાક મહત્વના મુદ્દાઓ ઉપર ગહન ચર્ચા-વિચારણાં કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી સાથેની પ્રશાસકશ્રીની મુલાકાતથી દાદરા નગર હવેલી અને દમણ-દીવની કેટલીક ઉકેલ માંગતી સમસ્યાઓ અને પડતર પ્રશ્નોનું નિરાકરણ થશે એવો મત દૃઢ બન્યો છે.