(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: વાપી હાઈવે મામલતદાર તાલુકા સેવા સદનના કમ્પાઉન્ડમાં નવનિર્માણ થયેલ વાપી તાલુકા પંચાયત ભવનનો શનિવારના રોજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ દ્વારા વાપી તાલુકા પંચાયતની નવી કચેરીનું ભવન સાકાર કરવામાં આવેલ છે. મામલતદાર કચેરી બલીઠામાં સાકાર થયેલ વાપી તાલુકા પંચાયત કચેરીનો લોકાર્પણ કાર્યક્રમ શનિવારે યોજાયો હતો. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રિબિન કાપી ભવનનું લોકાર્પણ કર્યું હતું. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, મામલતદાર કચેરીમાં તા.પં. કચેરીનું સંલગ્ન કામગીરી ચાલી રહી હતી. હવે સ્વતંત્ર ભવન ઉપલબ્ધ થવાથી લોકોની સુવિધા વધશે. આ પ્રસંગે સાંસદ ડો.કે.સી. પટેલ, જિ.પં. પ્રમુખ અલકાબેન શાહ, ડી.ડી.ઓ. મનીષ ગુરવાની, કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, તા.વિકાસ અધિકારી એસ.એ. જેઠવા અને તા.પં. પ્રમુખ વાપી શ્રીમતી વાસંતીબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.