Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી તાલુકા પંચાયત નવિન ભવનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે લોકાર્પણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપી હાઈવે મામલતદાર તાલુકા સેવા સદનના કમ્‍પાઉન્‍ડમાં નવનિર્માણ થયેલ વાપી તાલુકા પંચાયત ભવનનો શનિવારના રોજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ દ્વારા વાપી તાલુકા પંચાયતની નવી કચેરીનું ભવન સાકાર કરવામાં આવેલ છે. મામલતદાર કચેરી બલીઠામાં સાકાર થયેલ વાપી તાલુકા પંચાયત કચેરીનો લોકાર્પણ કાર્યક્રમ શનિવારે યોજાયો હતો. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રિબિન કાપી ભવનનું લોકાર્પણ કર્યું હતું. તેમણે આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, મામલતદાર કચેરીમાં તા.પં. કચેરીનું સંલગ્ન કામગીરી ચાલી રહી હતી. હવે સ્‍વતંત્ર ભવન ઉપલબ્‍ધ થવાથી લોકોની સુવિધા વધશે. આ પ્રસંગે સાંસદ ડો.કે.સી. પટેલ, જિ.પં. પ્રમુખ અલકાબેન શાહ, ડી.ડી.ઓ. મનીષ ગુરવાની, કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રે, તા.વિકાસ અધિકારી એસ.એ. જેઠવા અને તા.પં. પ્રમુખ વાપી શ્રીમતી વાસંતીબેન પટેલની પ્રેરક ઉપસ્‍થિતિ રહી હતી.

Related posts

સલવાવ ફાર્મસી કોલેજ ફસ્ટ સેમેસ્ટરનું ૧૦૦ ટકા પરિણામઃ જીટીયુ ટોપટેનમાં 4 વિદ્યાર્થીઓએ સિદ્ધિ

vartmanpravah

ચીખલીના ઘેજ ગામે હનુમાનજી મંદિર તરફ જતા માર્ગના નવીનીકરણનો પ્રારંભ કરાતા સ્‍થાનિકોમાં ખુશીની લહેર

vartmanpravah

વલસાડમાં ટીચર ટેલેન્ટ સર્ચ સિઝન- 5માં 61 શાળા-કોલેજના 350થી વધુ શિક્ષકોએ ભાગ લીધો

vartmanpravah

ખેડૂતો માટે સરકારનો નવતર પ્રયોગઃ વલસાડ જિલ્લામાં 2568 એકર જમીનમાં ખેતીના પાક પર ડ્રોનથી ખાતરનો છંટકાવ કરાશે

vartmanpravah

સેલવાસમાં જૈન સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી

vartmanpravah

વલસાડમાં શિક્ષકો જુની પેન્‍શન યોજનાના અમલીકરણ માટે રસ્‍તા ઉપર ઉતર્યા

vartmanpravah

Leave a Comment