September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સોશિયલ ગ્રુપ દ્વારા શહેરમાં વિવિધ સ્‍થળોએ પાણીની પરબ કાર્યરત કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાતાવરણમાં ગરમીના દિવસો ચાલુ થઈ ગયા છે એવામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપી સોશ્‍યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્‍ટના સભ્‍ય અને વાપીના સમાજ સેવક કિરણ રાવલ અને ટ્રસ્‍ટ ગ્રુપના અન્‍ય સભ્‍યો દ્વારા વાપીમાં લગભગ 4 જગ્‍યાએ ઠંડા પાણીની પરબોનું આયોજન ગત દિવસોમાં શુભ આરંભ કરવામાં આવ્‍યું છે. આ ઠંડા પાણીની પરબ આકારઝાર ગરમીની સીઝન ને ધ્‍યાનમાં રાખીને આ ઠંડા પાણીની પરબો લગભગ સતત ચાર મહિના ચાલું રહે છે. આમ આ ઠંડા પાણીની પરબનો લાભ રસ્‍તા પર જતા વટેમાર્ગુઓ તેમજ રસ્‍તા પર વેપાર કરનારા તેમજ સ્‍કૂલ, કોલેજ જતા વિદ્યાર્થીઓ લેતા રહે છે. આ ઠંડા પાણીની પરબો પર અમુક વખત મસાલા છાસનું પણ વિતરણ કરવામાં આવે છે. આમ વાપીના સમાજ સેવક કિરણ રાવલ દ્વારા ગરમીની સીઝનને ધ્‍યાનમાં રાખી દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠંડા પાણીની પરબોનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ઠંડા પાણીની પરબો પર રોજના અંદાજિત 26 થી 27 ઠંડા પાણીના કોલરનો વપરાશ થઈ જાય છે. આમ ઠંડા પાણીની પરબો પર અમુકવાર મસાલા છાસનું પણ વિતરણ કરવામાં આવે છે. આમ વાપી તેમજ આજુબાજુના વિસ્‍તારમાં લાગેલી ઠંડા પાણીની પરબો લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. આ પરબનો લાભ રોજના હજારો લોકો લઈ રહ્યા છે અને તરસ્‍યા માણસો આ પરબનું ઠંડુ પાણી પીને રાહત અનુભવી રહ્યા છે. આમ કિરણ રાવલ દ્વારા આ એક ખૂબ જ ઉત્તમ સમાજ સેવાનું કાર્ય માની શકાય.

Related posts

કપરાડાના કરચોંડ અને ફત્તેપુર ગામનો કોઝવે અતિવૃષ્ટિથી પાણીમાં ગરકાવ અનેક ગામો સંપર્ક વિહોણા: સ્થાનિકો જીવના જાખમે કોઝવે પાર કરી રહ્ના છે

vartmanpravah

દાદરાની સરલા પર્ફોર્મન્‍સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓએ પગાર વધારા સહિતના વિવિધ મુદ્દે જિલ્લા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

વલસાડ રવિવારી બજારમાં ગણપતિ ફાળા માટે મારામારી થઈઃ 50ની રસીદ સામે 100 ઉઘરાવાતા હતા

vartmanpravah

પ્રદેશની સળગતી સમસ્‍યા, દાનહ સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં દાનહ અને દમણ-દીવ ખાતે ભારત સરકારની ‘‘આયુષ્‍માન ભારત” યોજના બંધ હોવાની કરેલી રજૂઆત

vartmanpravah

કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેની દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન સાથેની બેઠકમાં સંઘપ્રદેશમાં એમએસએમઈ અને અન્‍ય ઉદ્યોગોના વિકાસ માટે નિર્ધારિત સમયમાં યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવાનો આપેલો ભરોસો

vartmanpravah

ઉમરગામમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.3.30 કરોડના ખર્ચે બનનારા એસટી બસ સ્‍ટેશનનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

Leave a Comment