March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દત્તક ગ્રહણ સંસ્‍થા દ્વારા નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખના હસ્‍તે બાળકને દત્તક અપાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.19: દાદરા નગર હવેલી અને દમણ-દીવના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિશેષ દત્તક ગ્રહણ સંસ્‍થા, ઝંડાચોક સેલવાસ ખાતે કાર્યરત છે. આ સંસ્‍થામાં કોઈપણ માતા-પિતા દ્વારા સમર્પિત બાળક, ત્‍યાગ કરેલ બાળક અથવા કોઈપણ બાળક જે નિરાધાર હોય અને એની ઉંમર 06 વર્ષની હોય તો એને આ એજન્‍સીમાં રાખવામાં આવે છે. પરંતુ જાણકારીના અભાવે બાળકો વંચિત રહી જાય છે.
ગત 16 સપ્‍ટેમ્‍બર, 2022ના રોજ ક્‍લેકટર ગૌરવસિંહ રાજાવતના માર્ગદર્શનમાં આવા જ એક આશ્રિત બાળકને એડોપ્‍શન રેગ્‍યુલેશન-2022 મુજબ અન્‍ય રાજ્‍યના નિવાસી માતા-પિતાને નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખના હસ્‍તે આપવામાં આવ્‍યું છે. એની સાથે સેલવાસની દત્તક ગ્રહણ સંસ્‍થામાંથી 11 બાળકોનું દત્તક ગ્રહણ થયું છે. જનતાને અનુરોધ છે કે દત્તક લેવા માટે સેન્‍ટ્રલ એડોપ્‍શન રિસોર્સ ઓથોરીટી પર ઓનલાઈન નોંધણી કરાવવી જરૂરી છે. કારણ કે, બાળકો દત્તક લેવા અને આપવા માટેની વ્‍યવસ્‍થા પારદર્શી બનાવાઈ છે જેથી હવેમાતા-પિતાએ દત્તક ગ્રહણ માટે બીજા રાજ્‍યમાં જવાની જરૂર નથી.
આના સિવાય અગર કોઈ 18 વર્ષની ઉંમરના ઘરેથી ભાગી ગયેલ હોય, ભીખ માંગતા બાળકો, ખોવાયેલા બાળકો વગેરે બાળકોના શિક્ષણ અને દેખભાળ માટે ઓપન શેલ્‍ટર હોમ ઝંડાચોક ખાતે કાર્યરત છે. તેથી બાળકોની સુરક્ષા માટે ઝંડાચોક સ્‍થિત કાર્યરત સેન્‍ટર અથવા 1098 ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી શકાશે.

Related posts

ફડવેલની એચ.ડી. સાર્વજનિક વિદ્યામંદિરના કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત સ્‍વામિનારાયણ સંપ્રદાયના સંતોના હસ્‍તે કરવામાં આવ્‍યું

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર રિંગરોડ બ્રીજ નીચે ક્રીએટા કારચાલક વળાંક લઈ રહ્યો હતો ત્‍યારે સામેથી આવતો ટેમ્‍પો ભટકાયો

vartmanpravah

નાના વાઘછીપામાં દોઢ વર્ષની માસુમ બાળકી પાણી ભરેલ ડોલમાં ઊંધી પડતા કરુણ મોત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ અને પંચાયતીરાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતના નેતૃત્‍વમાં સંઘપ્રદેશમાં ‘સ્‍વચ્‍છતા દિવસ’ની ઐતિહાસિક બનેલી ઉજવણી

vartmanpravah

પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા દ્વારા વલસાડ જિલ્લામાં 440 કે.વી. 765 કે.વી. હાઈટેન્‍શન લાઈનની કામગીરીમાં જમીન વળતર માટે ખેડૂતોની મિટીંગ યોજાઈ

vartmanpravah

સીબીએસઈ બોર્ડના જાહેર થયેલા પરિણામમાં કોસ્‍ટગાર્ડ પબ્‍લિક સ્‍કૂલની વિદ્યાર્થીની કુ. પર્લ રાઠોડ દમણમાં ટોપર બનીઃ કોમર્સ પ્રવાહમાં મેળવેલા 96.40 ટકા ગુણ

vartmanpravah

Leave a Comment