September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દત્તક ગ્રહણ સંસ્‍થા દ્વારા નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખના હસ્‍તે બાળકને દત્તક અપાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.19: દાદરા નગર હવેલી અને દમણ-દીવના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિશેષ દત્તક ગ્રહણ સંસ્‍થા, ઝંડાચોક સેલવાસ ખાતે કાર્યરત છે. આ સંસ્‍થામાં કોઈપણ માતા-પિતા દ્વારા સમર્પિત બાળક, ત્‍યાગ કરેલ બાળક અથવા કોઈપણ બાળક જે નિરાધાર હોય અને એની ઉંમર 06 વર્ષની હોય તો એને આ એજન્‍સીમાં રાખવામાં આવે છે. પરંતુ જાણકારીના અભાવે બાળકો વંચિત રહી જાય છે.
ગત 16 સપ્‍ટેમ્‍બર, 2022ના રોજ ક્‍લેકટર ગૌરવસિંહ રાજાવતના માર્ગદર્શનમાં આવા જ એક આશ્રિત બાળકને એડોપ્‍શન રેગ્‍યુલેશન-2022 મુજબ અન્‍ય રાજ્‍યના નિવાસી માતા-પિતાને નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખના હસ્‍તે આપવામાં આવ્‍યું છે. એની સાથે સેલવાસની દત્તક ગ્રહણ સંસ્‍થામાંથી 11 બાળકોનું દત્તક ગ્રહણ થયું છે. જનતાને અનુરોધ છે કે દત્તક લેવા માટે સેન્‍ટ્રલ એડોપ્‍શન રિસોર્સ ઓથોરીટી પર ઓનલાઈન નોંધણી કરાવવી જરૂરી છે. કારણ કે, બાળકો દત્તક લેવા અને આપવા માટેની વ્‍યવસ્‍થા પારદર્શી બનાવાઈ છે જેથી હવેમાતા-પિતાએ દત્તક ગ્રહણ માટે બીજા રાજ્‍યમાં જવાની જરૂર નથી.
આના સિવાય અગર કોઈ 18 વર્ષની ઉંમરના ઘરેથી ભાગી ગયેલ હોય, ભીખ માંગતા બાળકો, ખોવાયેલા બાળકો વગેરે બાળકોના શિક્ષણ અને દેખભાળ માટે ઓપન શેલ્‍ટર હોમ ઝંડાચોક ખાતે કાર્યરત છે. તેથી બાળકોની સુરક્ષા માટે ઝંડાચોક સ્‍થિત કાર્યરત સેન્‍ટર અથવા 1098 ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી શકાશે.

Related posts

ધરમપુર કાકડકુવા ગામે ડ્રાઈવરો માટે અમલી બનેલ કાયદાનો વિરોધ કરવા મોટી સંખ્‍યામાં ડ્રાઈવરોની સભા યોજાઈ

vartmanpravah

દમણ પોલીસે બંધ ઘરમાં ચોરીના ગુનામાં 03 આરોપીઓને વાપી રેલવે સ્‍ટેશનેથી ઝડપી પાડયા

vartmanpravah

વિધાનસભા ચૂંટણી-2022 અંતર્ગત જિલ્લાના 90 માઈક્રો ઓબ્‍ઝર્વરની તાલીમમાં ઓબ્‍ઝર્વરોએ માર્ગદર્શન આપ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશમાં ખાલી પડેલ જિ.પં. અને ગ્રા.પં.ની બેઠકો માટેની પેટા ચૂંટણી 17મી ઓક્‍ટોબરે યોજાશે

vartmanpravah

બાળકોના કુપોષણને નાબૂદ કરવા સંઘપ્રદેશમાંથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણવાડા ગ્રા.પં.ની તમામ આંગણવાડીમાં નોંધાયેલા કુપોષિત બાળકોની જવાબદારી લેતા નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવત

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગુજરાત સ્‍ટેટ યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનો જન્‍મદિવસ વૈદિક યજ્ઞ સાથે ઉજવાયો

vartmanpravah

Leave a Comment