October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના વંકાલમાં માટી ભરેલ ટ્રેકટર ઘૂસી જતા વીજ ટ્રાન્‍સફોર્મર જમીનદોસ્‍ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: ચીખલી તાલુકાના વંકાલ ગામના સુંદર ફળિયામાં માટી ભરેલ ટ્રેકટર ઘુસી જતા વીજ કંપનીનું ટ્રાન્‍સફોર્મર જમીન દોસ્‍ત થતા વીજ કંપનીને મોટું નુકશાનથયું હતું.
સદનસીબે કોઈ જાનહાની ન થતા રાહત થઈ હતી. વીજ કંપનીના અધિકારીઓ સ્‍થળ પર ધસી આવી સર્વે હાથ ધરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ શનિવારની બપોરના સમયે વંકાલ ગામના વાણીયાતળાવમાંથી માટી ભરી જઈ રહેલ ટ્રેક્‍ટરના ચાલકે સુંદર ફળીયા પાસે સ્‍ટેરયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર ટ્રાન્‍સફોર્મરના થાંભલા સાથે અથડાતા બન્ને થાંભલા તૂટી જતા ટ્રાન્‍સફોર્મર ભોંયભેંગુ થઈ જતા એક સમયે અફરા તફરી મચી જવા પામી હતી. ટ્રાન્‍સફોર્મર જમીનદોસ્‍ત થતા વીજ કંપનીને મોટું નુકશાન થવા પામ્‍યું હતું. જોકે વીજ લાઈન જ્‍યોતિર્થ ગામની હોવા છતાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
વીજ કંપનીના અધિકારીઓ દ્વારા જાણ થતા તરત જ વીજ પુરવઠો બંધ કરી નાયબ ઈજનેર વી.એમ. દેસાઈ સહિતનો સ્‍ટાફ સ્‍થળ પર નુકશાની અંગેનું સર્વે હાથ ધરાયુ હતું. અને વીજ પુરવઠો રિસ્‍ટોર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. વંકાલ ગામના વાણીયાતળાવમાં છેલ્લા કેટલાક દિવસોથી તળાવ ખોદવાની કામગીરી ચાલતી હોય માટી વહન કરતા વાહનોની અવર જવર વધી જવા પામેલ છે. ત્‍યારે આ પ્રકારના અકસ્‍માતો ટાળવા માટે તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે.
રસ્‍તાનું ચાલુ કામે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ તપાસમાં આવતાં પણ નથી રામ ભરોશે કામ ચાલી રહ્યું છે.વંકાલ ગામના સુંદર ફળીયા જતા માર્ગના નવીનીકરણનું કામ પ્રગતિમાં છે. પરંતુ આ માટી ભરેલા વાહનોની અવર જવરથી ઠેર ઠેર માટીના ઠર જામવા પામ્‍યા છે. અને આવી સ્‍થિતિમાં માર્ગ મકાન દ્વારા નવીનીકરણનું કામ ચાલુ જ રાખવામાં આવતા કામની ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થવા પામ્‍યા છે.

Related posts

દાનહના ખાનવેલમાં રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા સુશીલાબેન ભીમરાએ પોતાના વિશાળ ટેકેદારો સાથે ભાજપની બાંધેલી કંઠીઃ ખાનવેલ જિલ્લામાં ભાજપનું વધી રહેલું પ્રભુત્‍વ

vartmanpravah

દીવ ખાતે જાયન્‍ટસ ગ્રુપ દીવ દ્વારા નિઃશુલ્‍ક મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

આરટીઓ કચેરીમાં તા.૧૯મી નવેમ્બરના રોજ મોટર-વાહન પબ્લીકને લગતી તમામ કામગીરી બંધ રહેશે

vartmanpravah

ગુજરાતનું પ્રથમ ગામ ઝરોલી બનશે : પહાડમાંથી હાઈસ્‍પીડ બુલેટ ટ્રેન દોડશે : ટર્નલની કામગીરી પુર્ણ કરાઈ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શનમાં આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિત્તે દીવમાં જિલ્લા કક્ષાની પુરૂષ અને મહિલા શ્રેણીની દોરડાખેંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

આજે દમણમાં રાષ્‍ટ્રસંત જૈનાચાર્ય ગુરૂદેવ શ્રીમદ્‌ પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ તથા ગણિપ્રવર પ્રશાંતસાગરજી મહારાજ આદિ પૂજ્‍યોની પાવન પધરામણી અવસરે ભવ્‍ય સામૈયું યોજાશે

vartmanpravah

Leave a Comment