September 1, 2026
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવના ગાંધીપરામાં ઈકો કારે પલ્‍ટી મારી ઓટોરિક્ષામાં અથડાતા સર્જાયેલા ગંભીર અકસ્‍માતમાં એક બાળકનું હોસ્‍પિટલમાં મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.20: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના ગાંધીપરા કોમ્‍યુનિટી હોલ મુખ્‍ય રસ્‍તા ઉપર આજે ઈકો કારે પલ્‍ટી મારી ઓટોરિક્ષાને અડફેટે લીધી હતી. આ અકસ્‍માતમાંએક બાળકનું મોત થયું જ્‍યારે અન્‍ય ેકેટલાક ઘાયલ થયા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દીવની ઓટો રિક્ષા નાગવા તરફ જતી હતી, જેમાં બરોડાના પર્યટકો હતા અને એક દીવની સ્‍થાનિક મહિલા હતી. દીવ ગાંધીપરા મેઈનરોડ પર ઈકો ગાડી પલ્‍ટી મારતાં તેને ઓટો રિક્ષાને અડફેટે લેતાં ઓટો રિક્ષામાં બેસેલા પર્યટકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જ્‍યારે ઈકો કારમાં રહેલ પર્યટકોમાંથી એક ભાવનગરનો પર્યટક ઘાયલ હોવાથી તેને પણ સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડાયા જ્‍યારે તેમના બીજા સાથીઓ નાશી છૂટયા હતા. અકસ્‍માત સર્જાતા ઈજાગ્રસ્‍ત મુસાફરોને તાત્‍કાલિક સરકારી હોસ્‍પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્‍યા, જ્‍યાં સારવાર દરમિયાન એક બાળકને મૃત ઘોષિત કરવામાં આવ્‍યું હતું. જ્‍યારે અન્‍ય ઈજા પામેલા પર્યટકો તથા સ્‍થાનિકોને પ્રાથમિક સારવાર આપી હતી. જ્‍યારે ઓટો રિક્ષા ડ્રાઈવર અને એક પર્યટકને વધુ સારવાર માટે ઉના રિફર કરવામાં આવ્‍યા હતા. ઓટો રિક્ષામાં સવાર પર્યટકો બરોડાના રહેવાસી હોવાની માહિતી મળી છે. જ્‍યારે ઈકો કારમાં સાવર પર્યટકો નાશી છુટતા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે. આ અકસ્‍માત સર્જાતા દીવ જિલ્લાના એસ.પી. શ્રી ફુલઝેલે પિયુષ નિરાકર, એસ.ડી.પી.ઓ. શ્રી સંદિપ રૂપેલા, પી.એસ.આઈ. દિપીકા ભગત તથા પોલીસ કર્મીઓ હોસ્‍પિટલ તથા ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતા અને ઈજાગ્રસ્‍તોની પરિસ્‍થિતિની જાણકારી મેળવી હતી.

Related posts

ચીખલી સમરોલી સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દસ વર્ષ પૂર્ણ થતા હરિભક્તો દ્વારા દિવ્યતા અને ભવ્યતા સાથે કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર કે રાજકીય પક્ષોની નહીં પરંતુ મતદારોની થનારી અગ્નિપરીક્ષા

vartmanpravah

વલસાડમાં એસ.ટી. બસે ટક્કર મારેલા બનાવમાં બાઈક સવાર દંપતિમાંથી પતિનું સારવારમાં મોત

vartmanpravah

વાપીમાં અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ફોર્ટિફાઇડ ઘટકતત્વોની થેલેસેમિયા તથા સિકલસેલ એનિમિયાના દર્દીઓ પર અસર અંગે જનજાગૃતિ વર્કશોપ યોજાયો

vartmanpravah

સમાજ કલ્‍યાણ સચિવ ભાનુ પ્રભાએ આનંદીબેન પટેલના કાર્યક્રમમાં નાની નાની વાતોની પણ કાળજી રાખી આભાર વિધિમાં કાર્યક્રમ સાથે જોડાયેલા તમામ લોકોને જોડી પોતાની ટીમ ભાવનાની કરાવેલી પ્રતિતિ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૭૫ અમૃત સરોવરની કામગીરી મુદ્દે સરપંચ અને તલાટીઓનો સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment