Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણવાડા ગ્રા.પં.ના સરપંચ મુકેશ ગોસાવીએ ભામટી માહ્યાવંશી ફળિયામાં વરસાદના સમયે પાણી ભરાવાથી જાનમાલને થતા નુકસાનથી જાહેર બાંધકામ વિભાગના સંયુક્‍ત સચિવ પ્રાંજલ હજારિકાને માહિતગાર કર્યા

દમણવાડા ગ્રા.પં.ની સ્‍વચ્‍છતાથી સંયુક્‍ત સચિવ પ્રાંજલ હજારિકા અને નોડલ ઓફિસર રાજેશ પટેલ પ્રભાવિત : સ્‍વચ્‍છતાની આદત કાયમ જાળવી રાખવા પણ કરેલી તાકીદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.13
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા આજે ‘સ્‍વચ્‍છતા દિવસ’ની ઉજવણી ‘આદતોને બદલવાના અભિયાન’ની સાથે કરવામાં આવી હતી. જાહેર બાંધકામ વિભાગના સંયુક્‍ત સચિવ શ્રી પ્રાંજલ હજારિકાના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ જાહેર બાંધકામ વિભાગના આસિ. એન્‍જિનિયર નોડલ ઓફિસર શ્રી રાજેશભાઈ સી.પટેલની મસલત સાથે સરપંચ શ્રી મુકેશ ગોસાવી, જિ.પં.સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલ, ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ તથા પંચાયતના સભ્‍યોએ ફાળવેલ શિક્ષકો સાથે ટીમ બનાવી લોકોનેસ્‍વચ્‍છતા પ્રહરી એપની બાબતમાં માર્ગદર્શન આપ્‍યું હતું.
આ પ્રસંગે સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જાહેર બાંધકામ વિભાગના સંયુક્‍ત સચિવ શ્રી પ્રાંજલ હજારિકાને ભામટી માહ્યાવંશી ફળિયામાં છેલ્લા પાંચ-સાત વરસથી વરસાદી પાણીના ભરાવાના કારણે થતાં નુકસાનનો ઉકેલ લાવવા રજૂઆત કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, આ બાબતની જાણકારી માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને પણ આપવામાં આવેલ છે અને તેમણે જાહેર બાંધકામ વિભાગના સચિવશ્રીને મળી ભવિષ્‍યમાં કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડે તે રીતે ઉકેલ લાવવા કરેલ નિર્દેશની જાણકારી પણ સંયુક્‍ત સચિવને આપવામાં આવી હતી.
દમણવાડા ગ્રામ પંચાયતની સ્‍વચ્‍છતાથી જાહેર બાંધકામ વિભાગના સંયુક્‍ત સચિવ શ્રી પ્રાંજલ હજારિકા અને નોડલ ઓફિસર શ્રી રાજેશભાઈ સી.પટેલ ખુબ જ પ્રભાવિત થયા હતા અને આ પ્રકારે સ્‍વચ્‍છતા જાળવી રાખવા પણ તાકીદ કરી હતી.

Related posts

દાનહઃ મોરખલના ધોડીપાડા, ડુંગરીપાડાનો ખનકી ઉપરનો મુખ્‍ય રસ્‍તો ધોવાઈ જતા હાલાકી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ના જીવંત પ્રસારણ સાથે ફરી એકવાર દમણ જિલ્લાને જોડાવા મળેલી તક

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી દ્વારા રોટરી હરિયા હોસ્‍પિટલમાં ડોક્‍ટર-ડેની શાનદાર ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ વધુ 2779 મતદારો ઉમેરાયા

vartmanpravah

અતુલ રૂરલ ડેવલપમેન્‍ટ ફંડ દ્વારા તા.19 મેના રોજ પરીયા હાઈસ્‍કૂલમાં નિઃશુલ્‍ક નેત્રયજ્ઞ યોજાશે

vartmanpravah

દાનહઃ જગન્નાથ સેવા સમિતિ દ્વારા 13મી જગન્નાથ રથયાત્રા 1 જુલાઈના રોજઆયોજીત કરાશે

vartmanpravah

Leave a Comment