December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણવાડા ગ્રા.પં.ના સરપંચ મુકેશ ગોસાવીએ ભામટી માહ્યાવંશી ફળિયામાં વરસાદના સમયે પાણી ભરાવાથી જાનમાલને થતા નુકસાનથી જાહેર બાંધકામ વિભાગના સંયુક્‍ત સચિવ પ્રાંજલ હજારિકાને માહિતગાર કર્યા

દમણવાડા ગ્રા.પં.ની સ્‍વચ્‍છતાથી સંયુક્‍ત સચિવ પ્રાંજલ હજારિકા અને નોડલ ઓફિસર રાજેશ પટેલ પ્રભાવિત : સ્‍વચ્‍છતાની આદત કાયમ જાળવી રાખવા પણ કરેલી તાકીદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.13
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા આજે ‘સ્‍વચ્‍છતા દિવસ’ની ઉજવણી ‘આદતોને બદલવાના અભિયાન’ની સાથે કરવામાં આવી હતી. જાહેર બાંધકામ વિભાગના સંયુક્‍ત સચિવ શ્રી પ્રાંજલ હજારિકાના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ જાહેર બાંધકામ વિભાગના આસિ. એન્‍જિનિયર નોડલ ઓફિસર શ્રી રાજેશભાઈ સી.પટેલની મસલત સાથે સરપંચ શ્રી મુકેશ ગોસાવી, જિ.પં.સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલ, ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ તથા પંચાયતના સભ્‍યોએ ફાળવેલ શિક્ષકો સાથે ટીમ બનાવી લોકોનેસ્‍વચ્‍છતા પ્રહરી એપની બાબતમાં માર્ગદર્શન આપ્‍યું હતું.
આ પ્રસંગે સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જાહેર બાંધકામ વિભાગના સંયુક્‍ત સચિવ શ્રી પ્રાંજલ હજારિકાને ભામટી માહ્યાવંશી ફળિયામાં છેલ્લા પાંચ-સાત વરસથી વરસાદી પાણીના ભરાવાના કારણે થતાં નુકસાનનો ઉકેલ લાવવા રજૂઆત કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, આ બાબતની જાણકારી માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને પણ આપવામાં આવેલ છે અને તેમણે જાહેર બાંધકામ વિભાગના સચિવશ્રીને મળી ભવિષ્‍યમાં કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડે તે રીતે ઉકેલ લાવવા કરેલ નિર્દેશની જાણકારી પણ સંયુક્‍ત સચિવને આપવામાં આવી હતી.
દમણવાડા ગ્રામ પંચાયતની સ્‍વચ્‍છતાથી જાહેર બાંધકામ વિભાગના સંયુક્‍ત સચિવ શ્રી પ્રાંજલ હજારિકા અને નોડલ ઓફિસર શ્રી રાજેશભાઈ સી.પટેલ ખુબ જ પ્રભાવિત થયા હતા અને આ પ્રકારે સ્‍વચ્‍છતા જાળવી રાખવા પણ તાકીદ કરી હતી.

Related posts

સેલવાસ ન.પા. દ્વારા દુકાનોમાંથી પ્રતિબંધિત સિંગલ યુઝ રેનકોટ જપ્ત કરી વેપારીઓને દંડિત કરાયા

vartmanpravah

વલસાડ સેગવી પંચાયત ભાજપના સરપંચના નિવાસ સ્‍થાને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનું સન્‍માન

vartmanpravah

વાપી ચલામાં મા જનમ ટ્રસ્‍ટ દ્વારા શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવના સહયોગથી ‘‘રાસ રસિયા” નવરાત્રી મહોત્‍સવ ઉજવાશે

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવાઃ વલસાડ જિલ્લાની 384 ગ્રામ પંચાયતોમાં 51725 લોકો મહા શ્રમદાન અભિયાનમાં જોડાયા

vartmanpravah

વાપીમાં શ્રી સમસ્ત ગુજરાતી બ્રહમસમાજના સ્નેહ મિલનમાં ભુદેવો ઉમટયા,અનેક કૃતિઓ રજુ થઇ

vartmanpravah

હેગ ન્‍યાયાલયનો ચુકાદો અને ભારતમાં વિલિનીકરણ

vartmanpravah

Leave a Comment