October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ જીઆઈડીસીના અધિકારીઓની સામે આવેલી ઈરાદાપૂર્વકની નજર અંદાજ કરવાની નીતિ

લાડ કોમ્‍પ્‍લેક્‍સ પ્‍લોટ નંબર 239 માં લાંબા સમયથી અનઅધિકળત રીતે કાર્યરત ગેમ ઝોન સામે ફાયર વિભાગ દ્વારા ભરવામાં આવેલા પગલાં. જીઆઈડીસી અધિકારીઓએ ત્રણ વર્ષ અગાઉ ઈન્‍ડસ્‍ટ્રીયલ પ્‍લોટમાં ચાલતીકોમર્શિયલ પ્રવૃતિને બંધ કરવા નોટિસ આપી હતી તેમ છતાં ત્રીજા માળે બેરોકટોક ગેમ ઝોન કાર્યરત રહેતા અધિકારીઓની નીતિ સામે ઉઠી રહેલા વેધક સવાલો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.28: તાજેતરમાં રાજકોટ ખાતે બનેલી અગ્નિકાંડની દુર્ઘટના બાદ સરકારી તંત્ર સલામતીના ભાગરૂપે સમગ્ર રાજ્‍યમાં તપાસ હાથ ધરી નિયમ વિરુદ્ધ ચાલતી ગેમ ઝોન તેમજ આગની હોનારત સર્જાઈ શકે એવા શોપિંગો, મોલ અને જાહેર સ્‍થળોએ પગલા ભરવામાં આવી રહ્યા છે. ગતરોજ જાગૃત નાગરિકોની ફરિયાદના પગલે ઉમરગામ જીઆઈડીસી લાડ કોમ્‍પ્‍લેક્‍સ પ્‍લોટ નંબર 239 મા લાંબા સમયથી ચાલતી ગેમ ઝોન સામે ફાયર વિભાગે તપાસ હાથ ધરી છે. આ પ્‍લોટમા નિયમ વિરુદ્ધના કોમર્શિયલ પ્રકારના બાંધકામ થયેલા છે. જેના ત્રીજા માળે કેઝાદ મિષાી દ્વારા તાુકર ટેબલ લગાવી ગેમ રમાડવામાં આવી રહી હતી. ફાયર વિભાગની તપાસમાં સલામતી માટે કોઈપણ જાતના ઉપકરણો ઉપલબ્‍ધ ન હોવાનું સામે આવ્‍યું છે. તેમજ ફાયર વિભાગ સહિત સંબંધિત વિભાગોની પરવાનગી પણ લેવામાં આવી ન હતી. ફાયર વિભાગની તપાસ બાદ જીઆઇડીસીના અધિકારીઓએ પોલીસ તંત્રને લેખિત જાણકારી આપી તપાસ કરવા સૂચન કર્યું છે. હવે પોલીસ વિભાગ આ ઘટનામાં પ્‍લોટના માલિક અને સંચાલક સામે કેવાપ્રકારની કાર્યવાહી હાથ ધરે એમના ઉપર તમામની નજર મંડરાયેલી છે.
અત્રે નોંધનીય છે કે, આ પ્‍લોટમાં અન અધિકળત બાંધકામ અને એમાં ચાલતી ઘેર કાયદેસર પ્રવૃત્તિથી જવાબદાર વિભાગ જીઆઇડીસી માહિતગાર હતી. ત્રણ વર્ષ અગાઉ ઉમરગામ જીઆઇડીસીના અધિકારીઓએ અનઅધિકળત રીતે કરવામાં આવેલા બાંધકામ અને ઈન્‍ડસ્‍ટ્રીયલ પ્‍લોટમાં ચાલતી કોમર્શિયલ પ્રવૃતિ સામે 36 જેટલી નોટિસો જારી કરવામાં આવી હતી. જેમાં લાડ કોમ્‍પ્‍લેક્‍સ પ્‍લોટ નંબર 239 નો પણ સમાવેશ થઈ રહ્યો છે. પરંતુ જીઆઇડીસીના અધિકારીઓ નોટિસથી આગળ વધી શકતા નથી જેના પરિણામે ઉમરગામ જીઆઇડીસીમાં નિયમ વિરુદ્ધની પ્રવૃત્તિઓ બે રોકટોક કાર્યરત છે જેની સામે જીઆઇડીસી ગાંધીનગર સ્‍તરેથી તપાસ હાથ ધરવાની આવશ્‍યકતા જણાતા જેની ફરિયાદ ઉચ્‍ચસ્‍તરે કરવામાં આવી રહી છે.
—-

Related posts

દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ દ્વારા આયોજીત 5 દિવસીય સમર એડવેન્‍ચર કેમ્‍પનું મનાલી ખાતે સમાપન

vartmanpravah

ચીખલીના ઘેકટી ગામે જૂની અદાવતમાં થયેલ વિવાદમાં પોલીસે એક સ્‍થાનિક શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

vartmanpravah

વાપીમાં વૃષ્‍ટિ શાહનો ભવ્‍ય આરંગેત્રમ્‌ દિક્ષાંત સમારોહ યોજાયો

vartmanpravah

11મી જૂને દીવમાં કેન્‍દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્‍યક્ષ પદે મળનારી વેર્સ્‍ટન ઝોનલ કાઉન્‍સિલની બેઠક

vartmanpravah

દમણ જિલ્લામાં ભાજપના વિવિધ મંડળો દ્વારા ડો. શ્‍યામા પ્રસાદ મુખરજીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

દાનહ રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત દિવ્‍યાંગ પુનર્વાસ કેન્‍દ્ર સેલવાસમાં વિશ્વ દિવ્‍યાંગ દિવસ સમારોહનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment