Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ જીઆઈડીસીના અધિકારીઓની સામે આવેલી ઈરાદાપૂર્વકની નજર અંદાજ કરવાની નીતિ

લાડ કોમ્‍પ્‍લેક્‍સ પ્‍લોટ નંબર 239 માં લાંબા સમયથી અનઅધિકળત રીતે કાર્યરત ગેમ ઝોન સામે ફાયર વિભાગ દ્વારા ભરવામાં આવેલા પગલાં. જીઆઈડીસી અધિકારીઓએ ત્રણ વર્ષ અગાઉ ઈન્‍ડસ્‍ટ્રીયલ પ્‍લોટમાં ચાલતીકોમર્શિયલ પ્રવૃતિને બંધ કરવા નોટિસ આપી હતી તેમ છતાં ત્રીજા માળે બેરોકટોક ગેમ ઝોન કાર્યરત રહેતા અધિકારીઓની નીતિ સામે ઉઠી રહેલા વેધક સવાલો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.28: તાજેતરમાં રાજકોટ ખાતે બનેલી અગ્નિકાંડની દુર્ઘટના બાદ સરકારી તંત્ર સલામતીના ભાગરૂપે સમગ્ર રાજ્‍યમાં તપાસ હાથ ધરી નિયમ વિરુદ્ધ ચાલતી ગેમ ઝોન તેમજ આગની હોનારત સર્જાઈ શકે એવા શોપિંગો, મોલ અને જાહેર સ્‍થળોએ પગલા ભરવામાં આવી રહ્યા છે. ગતરોજ જાગૃત નાગરિકોની ફરિયાદના પગલે ઉમરગામ જીઆઈડીસી લાડ કોમ્‍પ્‍લેક્‍સ પ્‍લોટ નંબર 239 મા લાંબા સમયથી ચાલતી ગેમ ઝોન સામે ફાયર વિભાગે તપાસ હાથ ધરી છે. આ પ્‍લોટમા નિયમ વિરુદ્ધના કોમર્શિયલ પ્રકારના બાંધકામ થયેલા છે. જેના ત્રીજા માળે કેઝાદ મિષાી દ્વારા તાુકર ટેબલ લગાવી ગેમ રમાડવામાં આવી રહી હતી. ફાયર વિભાગની તપાસમાં સલામતી માટે કોઈપણ જાતના ઉપકરણો ઉપલબ્‍ધ ન હોવાનું સામે આવ્‍યું છે. તેમજ ફાયર વિભાગ સહિત સંબંધિત વિભાગોની પરવાનગી પણ લેવામાં આવી ન હતી. ફાયર વિભાગની તપાસ બાદ જીઆઇડીસીના અધિકારીઓએ પોલીસ તંત્રને લેખિત જાણકારી આપી તપાસ કરવા સૂચન કર્યું છે. હવે પોલીસ વિભાગ આ ઘટનામાં પ્‍લોટના માલિક અને સંચાલક સામે કેવાપ્રકારની કાર્યવાહી હાથ ધરે એમના ઉપર તમામની નજર મંડરાયેલી છે.
અત્રે નોંધનીય છે કે, આ પ્‍લોટમાં અન અધિકળત બાંધકામ અને એમાં ચાલતી ઘેર કાયદેસર પ્રવૃત્તિથી જવાબદાર વિભાગ જીઆઇડીસી માહિતગાર હતી. ત્રણ વર્ષ અગાઉ ઉમરગામ જીઆઇડીસીના અધિકારીઓએ અનઅધિકળત રીતે કરવામાં આવેલા બાંધકામ અને ઈન્‍ડસ્‍ટ્રીયલ પ્‍લોટમાં ચાલતી કોમર્શિયલ પ્રવૃતિ સામે 36 જેટલી નોટિસો જારી કરવામાં આવી હતી. જેમાં લાડ કોમ્‍પ્‍લેક્‍સ પ્‍લોટ નંબર 239 નો પણ સમાવેશ થઈ રહ્યો છે. પરંતુ જીઆઇડીસીના અધિકારીઓ નોટિસથી આગળ વધી શકતા નથી જેના પરિણામે ઉમરગામ જીઆઇડીસીમાં નિયમ વિરુદ્ધની પ્રવૃત્તિઓ બે રોકટોક કાર્યરત છે જેની સામે જીઆઇડીસી ગાંધીનગર સ્‍તરેથી તપાસ હાથ ધરવાની આવશ્‍યકતા જણાતા જેની ફરિયાદ ઉચ્‍ચસ્‍તરે કરવામાં આવી રહી છે.
—-

Related posts

સેલવાસ ન.પા.માં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી મુદ્દે ભાજપમાં પ્રગટ થયેલો અસંતોષ..?

vartmanpravah

ધરમપુર આદિવાસી સમાજે સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે કરેલ આંબેડકર વિરૂધ્ધ ટિપ્પણી બદલ રાજીનામાની માંગણી કરી

vartmanpravah

વલસાડ અને ધરમપુરમાં કિસાન દિવસ અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઈ : 233 ખેડૂતોએ લાભ લીધો

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ઊંડાણના જંગલ વિસ્‍તારના ચેકડેમોમાં પાણીના સંગ્રહ હેતુ હાથ ધરાયેલી ડિસીલ્‍ટીંગ કામગીરી

vartmanpravah

ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટર પ્રિયાંક કિશોરે ચિસદા ગામની મુલાકાત લઈ વિવિધ યોજનાઓ અંગે આપેલી જાણકારી

vartmanpravah

આજે સંઘપ્રદેશના ભાવિનું પરિણામઃ બહુમતિ લોકોના જન માનસનો પડનારો પડઘો: પ્રદેશમાં ભારે ઉત્તેજના અને રોમાંચનો માહોલ

vartmanpravah

Leave a Comment