April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લામાં આયુષ્‍માન કાર્ડમાં આવતી ભૂલો આયુષ્‍માન એપમાં સુધારો ન થતાં લાભાર્થીઓને લાભથી વંચિત રહેવાની નોબત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.07: પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજનાના આયુષ્‍યમાન કાર્ડમાં કેટલીક ગંભીર બીમારીઓમાં 10-લાખ રૂપિયા સુધીની સારવાર વિનામૂલ્‍યે થતી હોય ગરીબ-મધ્‍યમવર્ગના લોકો માટે આ યોજના આશીર્વાદ રૂપ સમાન છે. પરંતુ હાલે ચીખલી તાલુકા સહિત જિલ્લામાં હજ્‍જારોની સંખ્‍યામાં આયુષ્‍યમાન કાર્ડમાં નામોમાં ભૂલ આવી રહી છે. આયુષ્‍યમાનકાર્ડમાં ભાઇ, કુમાર કે અટક સહિત નામોમાં અનેક પ્રકારની ભૂલ આવતા જરૂરિયાતના સમયે હોસ્‍પિટલ દ્વારા એપ્રુવલ લેવાના સમયે રેશનકાર્ડ કે આધારકાર્ડ મુજબ નામ મેચ ન થતા એપ્રુવલ મળતું નથી અને એપ્રુવલ ન મળતા જરૂરિયાત મંદે પોતાના ગાંઠના રૂપિયા ખર્ચીને સારવાર કરાવવી પડતી હોય છે. અને તેવામાં આયુષ્‍યમાન કાર્ડનો કોઈ મતલબ રહેતો નથી.
વધુમાં પ્રાપ્ત વિગત મુજબ આયુષ્‍યમાન કાર્ડ બનાવવા માટે જે તે કર્મચારી દ્વારા આયુષ્‍યમાન એપમાં જઇ રેશનકાર્ડ નંબર નાંખવાનો હોય છે. જે નંબર નાંખતાની સાથે રેશનકાર્ડમાં તમામ પરિવારના સભ્‍યોના નામ ઓપન થતા હોય છે. આ સાથે ગામનું નામ પસંદ કરી પીનકોડ નાંખી સબમિટ કર્યા બાદ આયુષ્‍યમાન કાર્ડ જનરેટ થતું હોય છે. આ ઉપરાંત જેમનો કાર્ડ હોય પરંતુ કોઈ સમસ્‍યા હોય અને એપમાં કેસરી રંગ દર્શાવે તેવામાં ઇકેવાયસી કરવાનું અને લીલા રંગ દર્શાવે તો ડાઉનલોડ કરવાનું હોય છે.
આમ આયુષ્‍યમાન કાર્ડ બનાવવા માટે બનાવનાર કર્મચારીએ નામ ટાઇપ કરવાની પણ જરૂર નથી. રેશનકાર્ડ નંબર નાંખતાની સાથે સીધા નામો પસંદ થયા હોય છે. એટલે ટાઇપ મિસ્‍ટેક નો પણ સવાલ નથી. તેવામાં આયુષ્‍ય એપમાં જ કોઈક ગરબડ થવાના કારણે રેશનકાર્ડમાં જે પ્રકારનું નામ હોય તે આયુષ્‍યમાનકાર્ડમાં આવતું નથી.
આયુષ્‍યમાન કાર્ડમાં નામોમાં આવતી ભૂલમાં સુધારો કરવા માટે સ્‍થાનિક અધિકારીઓની રજુઆત બાદ પણ સુધારો થતો નથી. અને ડીજીટલ યુગની વાતો કરતી સરકારના તંત્ર પાસે એપમાં થતી ભૂલોમાં સુધારો માટેનો કોઈ વિકલ્‍પ નથી. જેમાં આખરે પ્રજાએ જ વેઠવાની નોબત આવી છે.
જિલ્લાના એડીએચઓ મયંકભાઈ ચૌધરીના જણાવ્‍યાનુસાર આયુષ્‍યમાન કાર્ડના નામમાં આવતી ભૂલો અંગે અમારી સ્‍ટેટ લેવલની મિટિંગ પણ ચર્ચા કરી છે. અને અમારી કક્ષાએ બધે જ અમે રજૂઆતો કરી છે. અને આ સોફટવેર સેન્‍ટ્રલનું છે. અમે પણ આ સમસ્‍યાનું ઝડપથી નિવારણ આવે તે માટે પ્રયત્‍નશીલ છે.

Related posts

પરમધર્મની છાયામાં રહીને, ફૂલીને, ફળીને, ફૂલી-ફાલીને કોઇ કહેકે અમે પરમધર્મથી પણ આગળ છીએ એ ઝેર છે : જે ધારા સનાતની વિચારધારા-પરમધરમને દબાવવા માંગે એ વિષ છે

vartmanpravah

ખડકીમાં એકલવાયું જીવન જીવતા પતિએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું

vartmanpravah

વાપી-વલસાડ સહિત ગુજરાતના શહેરોમાં નવરાત્રી અટકાવીને ખેલૈયાઓએ ભારતના ‘રતન’ રતન ટાટાને શ્રધ્‍ધાંજલી અર્પી

vartmanpravah

ફડવેલનાં સરપંચ અને કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં સમર્થકો સાથે ભાજપનાં તાં.પં. સભ્‍ય વારંવાર ખોટી ફરિયાદ કરતા તેમના વિરૂધ્‍ધ મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

સેલવાસમાં ધોધમાર વરસાદઃ 24 કલાકમાં 13.50 ઈંચ વરસેલો વરસાદ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો અથાક પરિશ્રમ : નવા લક્ષદ્વીપના નિર્માણનો જયઘોષ: કડમત ટાપુ ખાતે સી.યુ.સી., નિઓટ, વેસ્‍ટર્ન જેટી, નર્સરી સ્‍કૂલ અને એસ.બી.એસ. સેન્‍ટર જેવા વિસ્‍તારોની મુલાકાત અને ગુણવત્તા સાથે નિર્ધારીત સમયમર્યાદામાં કાર્યપૂર્ણ કરવા અધિકારીઓને દિશા-નિર્દેશ

vartmanpravah

Leave a Comment