October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ મોટા સુરવાડામાં બે યુવાનોએ ગ્રામજનો સમક્ષ એલ.ઈ.ડી. માધ્‍યમથી ભ્રષ્‍ટાચારનો પર્દાફાશ કર્યો

અલઈ પટેલ અને અવી પટેલ ટેકનોલોજીની મદદથી પાવર પોઈન્‍ટ પ્રેઝન્‍ટેશનથી રસ્‍તા સહિતના વિવિધકામોનો ભ્રષ્‍ટાચાર ઉઘાડો પાડયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: જાગૃત નાગરિકો અને યુવાનો વહિવટી તંત્રમાં ચાલી રહેલા ભ્રષ્‍ટાચારને કેવી રીતે ઉઘાડો પાડી શકે છે તેનુ જીવંત પ્રેરક ઉદાહરણ વલસાડના મોટા સુરવાડા ગામના બે યુવાનોએ પુરુ પાડયું છે. ગામમાં રોડ સહિતના થયેલા કામોમાં કેવો કેવી રીતે ભ્રષ્‍ટાચાર આચરાયો છે તેનો પર્દાફાસ ગ્રામજનો સમક્ષ એલ.ઈ.ડી. સ્‍ક્રીન ઉપર ટેકનોલોજીના માધ્‍યમથી વિડીયો ટેકનોલોજી સાથે પાવર પોઈન્‍ટ પ્રેઝન્‍ટેશન કર્યું હતું. ગ્રામજનોના મંતવ્‍યો લીધા અને આંદોલન કરવા માટે બે યુવાનોએ જબરજસ્‍થ પ્રોત્‍સાહન પુરુ પાડયું હતું.
વલસાડના મોટા સુરવાડા ગામે સંસદ ફંડમાંથી થયેલા રસ્‍તા વિગેરેના કામ તથા નાણાપંચના નાણાથી પંચાયતના વિકાસ કામોમાં ખુલ્લો ભ્રષ્‍ટાચાર આચરાયો હોવાની વિગતો એલ.ઈ.ડી. સ્‍ક્રીન ઉપર અલઈ પટેલ અને અવી પટેલ નામના બે યુવાનોએ ટેકનોલોજીની મદદથી ભ્રષ્‍ટાચારનો પર્દાફાસ કર્યો હતો. પ્રેઝન્‍ટેશન જોનારા ગ્રામજનો પણ પ્રભાવિત થયા હતા. તેમજ એક સુરે વિરોધ અને આંદોલન કરવાનો મુડ બનાવી લીધો હતો. ગામના જાગૃત નાગરિકોએ કલેક્‍ટરમાં પણ તા.24-5-2024ના રોજ અરજી કરીને રસ્‍તાના ભ્રષ્‍ટાચાર અંગે રજૂઆત કરી હતી. તદ્દઉપરાંત આર.ટી.આઈ. દ્વારા નાણાપંચની ગ્રાંટમાંથી થયેલાવિકાસ કામોની પણ સવિસ્‍તાર માહિતી એકત્ર કરીને ભ્રષ્‍ટાચાર અંગે સાવધાની અને જાગૃતિના દર્શન કરાવ્‍યા હતા.

Related posts

દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તામંડળ સચિવ એસ.એમ.ભોંસલેના માર્ગદર્શનમાં દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડના છીપવાડમાં શ્રી કૃષ્‍ણ પ્રણામી જૂના મંદિર ખાતે 10મી માર્ચે આયુષ મેળો યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશનું ગૌરવ બનેલી ‘નમો મેડિકલ કોલેજ એન્‍ડ એજ્‍યુકેશન રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ’ની રોશનીનો ઝગમગાટ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પર્યાવરણ અને ગૌમાતાને બચાવવા યુવા નેતા તનોજ પટેલની નવતર પહેલ

vartmanpravah

વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત વાપીમાં વોલ પેઈન્‍ટીંગ આકર્ષણનું કેન્‍દ્ર બની

vartmanpravah

અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાના રાજ્યમંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને ખેરગામ તાલુકા મથકે ‘‘વિશ્વ આદિવાસી દિવસ’’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment