April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા મોટી દમણમાં ‘‘વસંતપંચમી”ની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.14 : આજે ‘‘વસંતપંચમી”ના શુભ અવસર નિમિત્તે સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા, મોટી દમણમાં ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. અત્રે યાદ રહે કે, વસંતપંચમી ગુજરાતી પંચાંગ મુજબ મહા સુદ પાંચમના દિવસે ઊજવાતો હિંદુ તહેવાર છે જે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં કે જાન્‍યુઆરી મહિનાના અંતમાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી કળષ્‍ણ, રાધા, ભગવાન વિષ્‍ણુ અને માતા સરસ્‍વતીને પીળા રંગનાં વષાો અને ફૂલોથી શણગારીને ગુલાલ, ધૂપ-દીપ અને જળ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવે છે. વસંતપંચમીનો તહેવાર સરસ્‍વતી પૂજા અને શ્રી પંચમી તરીકે પણ જાણીતો છે. શીખ સમાજના લોકો આ દિવસે પતંગોત્‍સવ ઊજવે છે.
હિંદુ સંસ્‍કળતિમાં વસંતપંચમીનો દિવસ તે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે, એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે.
મોટી દમણ ખાતેની સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વસંતપંચમીના શુભ અવસરે માતા સરસ્‍વતીની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે સમૂહ પ્રાર્થના, પ્રાસંગિક વક્‍તવ્‍ય અને સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓને આનંદ-ઉલ્લાસથી ભાગ લીધો હતો.
શાળાના ઈન્‍ચાર્જ પ્રિન્‍સિપાલ શ્રી ભૂપેન્‍દ્ર પટેલ, મદદનીશ શિક્ષિકા શ્રીમતી પ્રમીલાસોલંકી અને શિક્ષક શ્રી ભરતભાઈ પ્રજાપતિએ ‘‘વસંતપંચમી”નું મહત્ત્વ વિદ્યાર્થીઓને સમજાવ્‍યું હતું. ઉપરાંત શ્રીમતી સ્‍વાતી કૈલાશ અને જયા ફુરકાને પણ ‘‘વસંતપંચમી”ના વિષયમાં પોતાનું મંતવ્‍ય રજૂ કર્યું હતું. ત્‍યારબાદ વિદ્યાર્થીઓને સમૂહ ભોજન પિરસવામાં આવ્‍યું હતું.

Related posts

ભાજપ સંગઠન દ્વારા પારડી શહેર તથા તાલુકા પ્રમુખ માટેના સેન્‍સ લેવાયા

vartmanpravah

કપરાડાના આસલોણા ગામે દમણગંગા નદીના કોઝવે પસાર કરતાં પિતા-પૂત્ર અને પડોશી પૂત્ર તણાયા

vartmanpravah

ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના હસ્‍તે કપરાડામાં નવનિર્મિત કમલ ગર્લ્‍સ હોસ્‍ટેલનું લોકાર્પણ કરાયું

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીમાં કોવિડ-19ને કારણે મૃત્‍યુ પામેલા વ્‍યક્‍તિઓના નજીકના સંબધિત પરિજનોને રૂપિયા પચાસ હજારની સહાય આપવા બહાર પડાયેલું જાહેરનામું

vartmanpravah

ચીખલી હાઈવે ઓવરબ્રિજ ઉપર અકસ્‍માતમાં હોન્‍ડના આધેડનું મોત

vartmanpravah

મોટી તંબાડી ખાતે 128.9પ લાખના ખર્ચે પાંચ વિકાસકાર્યોના લોકાર્પણ/ ખાતમુહૂર્ત કરતા પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરી 

vartmanpravah

Leave a Comment