March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિ.પં.ના સભ્‍યો-સરપંચોએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

ઉપ રાષ્‍ટ્રપતિ મહોદય જગદીપ ધનખડે પ્રદેશના જિ.પં. અને ન.પા. સભ્‍યો તથા સરપંચોને દિલ્‍હીના આપેલા આમંત્રણના સંદર્ભમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આપેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : દમણ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોએ આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. જેમાં તેમણે ઉપ રાષ્‍ટ્રપતિ મહોદય શ્રી જગદીપ ધનખડે પ્રદેશના જિલ્લા પંચાયત સભ્‍યો, સરપંચો તથા નગરપાલિકાના કાઉન્‍સિલરોને દિલ્‍હીના આપેલા આમંત્રણના સબંધમાં પણવાતચીત કરી હતી.
દમણ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રીનો આભાર પ્રગટ કર્યો હતો અને તેમના દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનની ખાસ નોંધ લીધી હતી.
દમણ જિ.પં. અને સરપંચોના પ્રતિનિધિ મંડળમાં દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, જિ.પં. સભ્‍ય મેહુલભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ ધોડી, શ્રીમતી વર્ષિકાબેન પટેલ, શ્રીમતી રીનાબેન પટેલ, શ્રીમતી સિમ્‍પલબેન અમ્રતભાઈ પટેલ, શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલ. સરપંચોમાં ભીમપોરના શ્રી શાંતુભાઈ પટેલ, કચીગામના શ્રી ભરતભાઈ પટેલ, કડૈયાના શ્રી શંકરભાઈ પટેલ, દમણવાડાના શ્રી મુકેશ ગોસાવી અને દાભેલના શ્રીમતી હેમાક્ષીબેન પટેલનો સમાવેશ થતો હતો.

Related posts

વાપીના ત્રણ તોડબાજ પત્રકારો વિરૂધ્‍ધ વધુ એક ફરિયાદ નોંધાઈ: તબીબ પાસે પાંચ લાખ માંગ્‍યા અને તબીબે 1.80 લાખ આપ્‍યા

vartmanpravah

ચીખલી એસ.ટી. બસ સ્‍ટેશનનો સ્‍લેબ ધરાશાયી થયાના 9 માસ બાદ પણ બાંધકામ ફરી શરૂ ન થતાં અનેક તર્ક-વિતર્ક

vartmanpravah

મિત્રો સાથે સાપુતારા ફરવા નિકળેલા નવસારીના બે યુવાનોના ચીખલી વાંઝણાપાસે થયેલ માર્ગ અકસ્‍માતમાં મોત

vartmanpravah

કપરાડા તાલુકાના બુરલા ગામે મુખ્‍ય પ્રાથમિક શાળાના બાળકોને ગરમ સ્‍વેટર અને ગ્રામજનોને કપડાં વિતરણ કરાયા

vartmanpravah

વલસાડ સહિત રાજ્યના જિ.પં.ના પ્રમુખોની નવી દિલ્હીમાં ગૃહમંત્રી અને સાંસદ સાથે મુલાકાત યોજાઈ

vartmanpravah

શ્રી રામદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ સરીગામ ભીલાડ દ્વારા ચારભુજાજી રેવાડ યાત્રાનું કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

Leave a Comment