Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

મહારાષ્‍ટ્રમાં ફૂટબોલ રમવા જઈ રહેલા દાનહના ખેલાડીઓનો ટેમ્‍પો ફૂરઝા ગામ નજીક પલ્‍ટી જતાં 9થી વધુ યુવાનો ઈજાગ્રસ્‍ત

સામાન્‍ય ઈજા પામેલ યુવાનોને તલાસરી ખાતેપી.એચ.સી.માં આપવામાં આવેલી સારવારઃ વધુ ઈજાગ્રસ્‍તોને સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: દાદરા નગર હવેલીના ખાનવેલ વિસ્‍તારના યુવાનો મહારાષ્ટ્રના તલાસરી ગામે ફૂટબોલ ટુર્નામેન્‍ટ રમવા માટે પીકઅપ ટેમ્‍પોમાં જઈ રહ્યા હતા તે સમયે કુરઝા રોડ પર અકસ્‍માત થતાં પીકઅપ ટેમ્‍પો પલ્‍ટી ગયો હતો જેમાં સવાર 15માંથી નવ જેટલા યુવાનોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્‍તોને સારવાર અર્થે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાનહના અંતરિયાળ વિસ્‍તારના યુવાનો ફૂટબોલ ટીમ બનાવી ટુર્નામેન્‍ટમાં ભાગ ફૂટબોલ કોચ વિકી જાનુ ગાવિત સાથે ખાનવેલ અને આજુબાજુના ગામના પંદર જેટલા યુવાનો ફૂટબોલ રમવા મહારાષ્ટ્રના તલાસરી ગામ ખાતે પીકઅપ ટેમ્‍પો નંબર એમએચ-48 એવાય-8163માં બેસીને જઈ રહ્યા હતા તે સમયે વરસાદ પણ ચાલુ હતો જેના કારણે ટેમ્‍પોચાલકે અચાનક સ્‍ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતાં ટેમ્‍પો પલ્‍ટી ગયો હતો. આ અકસ્‍માતમાં નવ જેટલા યુવાનોને ઇજા થઈ હતી. ઈજાગ્રસ્‍ત યુવાનોને તાત્‍કાલિક તલાસરી પી.એચ.સી. ખાતે લઈ જવામાં આવ્‍યા હતા, જ્‍યાં પ્રાથમિક સારવાર આપ્‍યા બાદ કેટલાક યુવાનોને ગંભીર ઇજા હોવાને કારણે વધુ સારવારઅર્થે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જેમાં બે નવયુવાન (1)નાકૂન સુનિલ પાઢેર (ઉ.વ.22) રહેવાસી- ખાનવેલ કુંભારપાડા અને (2)વિશ્વાસ અગુસ્‍ટિન વરઠા (ઉ.વ.22) રહેવાસી ખાનવેલ કુંભારપાડાને ગંભીર ઇજા હોવાને કારણે આઈ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્‍યા હોવાની માહિતી મળી છે. જ્‍યારે અન્‍ય (1)અનાલીઝા એસ કોસ્‍ટા (ઉ.વ.22), (2)અશ્‍મા પ્રકાશ મસયા (ઉ.વ.18) રહેવાસી-ખાનવેલ, (3)લુનજર રણજીત રાવતે (ઉ.વ.28) રહેવાસી રુદાના (4)કુલદીપ કાશીરામ વરઠા (ઉ.વ.29), (5)અરુણ લક્ષી વરઠા (ઉ.વ.23) રહેવાસી-રુદાના, (6)આનંદ રુબન નડગે (ઉ.વ.24), (7)વિશ્વાસ રોબન નડગે (ઉ.વ.22) રહેવાસી-ચિસદા, (8)શ્વેતા કાશીરામ વરઠા (ઉ.વ.16) રહેવાસી-રૂદાના અને (9)વિકી જાનુ ગાવિત (ઉ.વ.30) રહેવાસી- ખાનવેલ જેઓને સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા.

Related posts

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર સિનિયર સીટીઝ અને મહિલા મંડળના સહયોગથી શરદપૂર્ણિમા નિમિત્તે રાસ ગરબા યોજાયા

vartmanpravah

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ હેતુ પારિતોષિક માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ સાથે સીધી રીતે જોડાયેલા દીવના લોકો

vartmanpravah

ભાજપના સ્‍થાપના દિન નિમિત્તે વિશેષ

vartmanpravah

ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈસરોના ચેરમેન ડો. એસ. સોમનાથે પ્રથમ જ્‍યોતિર્લિં સોમનાથ મહાદેવના દર્શન કરી અનુભવેલી ધન્‍યતાઃ દેશની સુખ-સમૃદ્ધિની કરેલી કામના

vartmanpravah

વલસાડ જિલ્લામાં 32188 એન.એફ.એસ.એ. લાભાર્થીએ ઘર બેઠા આયુષ્‍યમાન કાર્ડ બનાવ્યા

vartmanpravah

Leave a Comment