April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દેશમાં નવા ત્રણ કાયદાના અમલને અનુસંધાને પારડી પોલીસ દ્વારા સેમિનારનું કરાયેલું આયોજન

ડી.વાય.એસ.પી. કુલદીપ નાઈ, સરકારી વકીલ ત્રિવેદી, પારડી બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ પટેલ અને વકીલ મંડળના સાહિસ્‍તાબેને લોકોને નવા કાયદા અંગેની આપેલી સમજ

બ્રિટિશ કાળના ત્રણ કાયદા આઈપીસી, સીઆરપીસી અને ઈન્‍ડિયન એવિડન્‍સ એક્‍ટનો અંત. હવે ભારતીય ન્‍યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષય અધિનિયમનો અમલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.01: તારીખ 1.7.2024 ના રોજ થી સમગ્ર ભારતમાં ભારત સરકાર તરફથી બ્રિટિશ કાળથી ચાલી આવતા ત્રણ કાયદાઓ આઈપીસી, સીઆરપીસી અને ઈન્‍ડિયન એવિડીયન્‍સ એક્‍ટ ની જગ્‍યાએ સરકાર તરફથી નવા ત્રણ કાયદાઓ ભારતીય ન્‍યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષય અધિનિયમનો અમલ જેવા કાયદાઓ અમલમાં આવ્‍યા છે. આ કાયદાઓને લઈ નાગરિકોને સુરક્ષાના વધુ અનુભવ થશે અને પોલીસને કાર્ય કરવાની સરળતા રહેશે. ગુનેગારોએ પોતાની પેટન બદલતા તેઓની ટેકનીકને પહોંચી વળવા કાયદાનો ડર રહે એવો કાયદો અમલમાં આવ્‍યોછે.
આ ત્રણે કાયદાઓની સમજની સાથે સાથે ડીવાયએસપી કુલદીપ નાઈ એ હાલમાં વધી રહેલ સાયબર ક્રાઈમની વિસ્‍તૃત માહિતી ઉપસ્‍થિત લોકોને આપી સાયબર ક્રાઈમથી કેવી રીતે બચી શકાય એની સમજ આપી હતી. સાથે સાથે આપણા ઘરે કામ કરવા માટે આવતા મજૂરોના છોકરાઓ અને આપણી શક્‍તિ પ્રમાણે મદદ કરી એમને સ્‍કૂલમાં ભણાવવા મોકલવા એ આપણી જવાબદારી હોય એને નિભાવવાની જોઈએ.
આ ઉપરાંત વલસાડ પોલીસ દ્વારા જે વિદ્યાર્થીઓએ પોતાનું ગ્રેજ્‍યુએશન પૂર્ણ કર્યું હોય એવા વિદ્યાર્થીઓ માટે વલસાડ પોલીસ હેડકવાટર દ્વારા સરકારી નોકરીઓ માટેની તૈયારી કેવી રીતે કરવી એનું માર્ગદર્શન ફ્રીમાં ચાલી રહ્યું હોય એમની સાથે સાથે ફિઝિકલ રીતે પણ ટ્રેનિંગ આપી અગ્નિવીર આર્મી તથા પોલીસ માટે ભરતીની તૈયારી પણ કરાવવામાં આવતી હોય એનો લાભ લેવાનું જણાયું હતું.
આજના આ સેમિનારમાં પારડી તાલુકાના સરપંચો, નગરના પ્રબુદ્ધ નાગરિકો તથા મોટી સંખ્‍યામાં મહિલાઓ પધાર્યા હતા. મહિલાઓને લગતા સુરક્ષાના કાયદાઓ અંગે વકીલ મંડળના સાહીસ્‍તાબેને મહિલાઓને માહિતગાર કર્યા હતા. આભાર વિધિ પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ જી.આર. ગઢવીએ નિભાવી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવ જિલ્લાના વિકાસ કામોની વિવિધ પ્રોજેક્‍ટોના સ્‍થળે રૂબરૂ પહોંચી કરેલું તલસ્‍પર્શી નિરીક્ષણ

vartmanpravah

1954 સુધી દાદરા નગર હવેલીના સ્‍વાતંત્ર્ય માટે પોર્ટુગીઝ સત્તાને પડકારરૂપ થાય તેવો કોઈ મોટો પ્રયત્‍ન થયો નહીં

vartmanpravah

‘માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમમાં દમણવાડા પંચાયત દ્વારા 1971 ભારત-પાકિસ્‍તાન યુદ્ધના લડવૈયા ફૌજી અમ્રતભાઈ રાઠોડનુંતેમના નિવાસ સ્‍થાને જઈ કરાયેલું સન્‍માન

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જે કહ્યું તે કર્યું: પોતાની કલ્‍પનાના પ્રદેશ નિર્માણ માટે અનેક વિટંબણા સાથે બાથ ભીડી દાનહ અને દમણ-દીવની કાયાપલટ માટે મેળવેલી સફળતા

vartmanpravah

નવી દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય ઈન્‍સ્‍પાયર એવૉર્ડ-માનકમાં સંઘપ્રદેશના બે વિદ્યાર્થીઓની કૃતિની થયેલીપસંદગી

vartmanpravah

વાપીના ઉદ્યોગપતિની પ્રથમ પર્યાવરણ લક્ષી પહેલ: આર્યન પેકેજીંગ ઈન્‍ડસ્‍ટ્રીઝના માલિક સુનિલભાઈ શાહે કંપનીની આસપાસ 20000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું

vartmanpravah

Leave a Comment