October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ અગામી બે વર્ષમાં ફક્‍ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના નકશામાં વિકસિત બેનમૂન પ્રદેશ બનશે

  • પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કાર્યશૈલી તથા દીર્ઘદૃષ્‍ટિ ભરેલા આયોજનના કારણે દાનહ અને દમણ-દીવનો શૈક્ષણિક, પ્રવાસન અને ઔદ્યોગિક ક્ષેત્રે થઈ રહેલો સતત વિકાસ

  • જે ઉચ્‍ચ અભ્‍યાસક્રમો માટે દેશના વિકસિત રાજ્‍યોના વિદ્યાર્થીઓ તરસી રહ્યા છે તે પૈકીના મોટાભાગના કોર્ષ દાનહ અને દમણ-દીવમાં શરૂ થઈ ચુક્‍યા છે અને આવતા દિવસોમાં અનેક નવા અભ્‍યાસક્રમો પણ થઈ રહેલા શરૂ

  • સંઘપ્રદેશ પ્રશાસનના મહત્‍વાકાંક્ષી નાઈટ માર્કેટના પ્રોજેક્‍ટના આરંભ બાદ દમણની ઔર વધશે રોનક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25: સંઘપ્રદેશની અત્‍યારે ચાલી રહેલી વિકાસની ગતિ યથાવત રહી તો આવતા બે વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ ફક્‍ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ એક વિકસિત બેનમૂન પ્રદેશ બનશે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કરેલા મહત્‍વાકાંક્ષી આયોજનના પગલે આવતા દિવસોમાં દાનહ અને દમણ-દીવનું રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે મહત્‍વવધતું રહેશે એવું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.
સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે છ વર્ષ પહેલાં અખત્‍યાર સંભાળ્‍યો ત્‍યારે દમણની છાપ એક દારૂ નગરી તરીકેની હતી. દાદરા નગર હવેલીની કોઈ ખાસ ગણતરી પણ નહીં હતી. તેની સામે આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ શૈક્ષણિક, પ્રવાસન અને ઔદ્યોગિક ક્ષેત્રે પોતાની ઓળખ બનાવી ચુક્‍યું છે.
આવતા દિવસોમાં સંઘપ્રદેશ પ્રશાસનના મહત્‍વાકાંક્ષી પ્રોજેક્‍ટ નાઈટ માર્કેટનો આરંભ દમણમાં થવાનો છે. રાત્રિ બજાર શરૂ થયા બાદ દમણમાં પ્રવાસીઓના ધસારાની સાથે આર્થિક ગતિવિધિ પણ તેજ બનશે.
કોરોના કાળના બે વર્ષને બાદ કરતા 2016ની સરખામણીમાં આ વર્ષે પ્રદેશમાં પ્રવાસીઓનો ધસારો અવિરત રહ્યો છે. દમણમાં શનિ અને રવિવારે ટ્રાફિક જામ જેવી સ્‍થિતિનો સામનો કરવો પડે છે. પ્રદેશની લગભગ તમામ હોટલો ફૂલ જઈ રહી છે. હોટલ ઉદ્યોગને પણ વેગ મળ્‍યો છે.
શૈક્ષણિક ક્ષેત્રે પણ પ્રદેશનો કલ્‍પનાની બહારનો વિકાસ થયો છે. જે ઉચ્‍ચ અભ્‍યાસક્રમો માટે દેશના વિકસિત રાજ્‍યોના વિદ્યાર્થીઓ તરસી રહ્યા છે તે પૈકીના મોટાભાગના કોર્ષ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શરૂ થઈ ચુક્‍યા છે અને આવતા દિવસોમાં અનેક નવા અભ્‍યાસક્રમો શરૂ કરવાનું આયોજન પણ હાથવેંતમાં હોવાનું પ્રશાસન દ્વારા જણાવવામાંઆવે છે.
સંઘપ્રદેશની દિશા અને દશા બદલવાનો શ્રેય એકમાત્ર પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કાર્યશૈલી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિના ફાળે જાય છે. સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના 28મી ઓગસ્‍ટના રોજ 6 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને 29મી ઓગસ્‍ટથી તેમના 7મા વર્ષનો આરંભ થઈ રહ્યો છે. હજુ તેઓ ઓછામાં ઓછા બે વર્ષ સુધી સંઘપ્રદેશના પ્રશાસક તરીકે રહેવા જોઈએ એવી બહુમતિ પ્રજાજનોની લાગણી વ્‍યક્‍ત થઈ રહી છે. તેમના 7મા વર્ષના પ્રવેશને વધાવવા માટે પણ લોકોમાં વ્‍યાપકપણે આનંદ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે.

Related posts

વાપી સ્‍ટેશને માથા ફરેલ બેખોફ રીક્ષા ચાલકે મહિલાને બિભત્‍સ ભાષા બોલી શરમજનક વર્તન કર્યું: રીક્ષા ચાલક હવાલાતમાં

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ મુંબઈની સુપ્રસિદ્ધ કોકિલાબેન હોસ્‍પિટલમાં શ્રી વિનોબા ભાવે અને દમણની નર્સિંગ કોલેજના 100 ટકા વિદ્યાર્થીઓને મળેલું પ્‍લેસમેન્‍ટ

vartmanpravah

વલસાડપારડીમાં પા પા પગલી પ્રોજેક્‍ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ‘‘વાલીઓ સાથે સંવાદોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇએ વાપીથી “મેરા બિલ, મેરા અધિકાર” યોજના ખુલ્લી મુકી

vartmanpravah

ચીખલી ચાસા ગામના નિવૃત શિક્ષકનું ટૂંકી માંદગી બાદ નિધન થતા તેમની ત્રણ દિકરીઓએ અગ્નિદાહ આપ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગાય-ભેંસ વર્ગમાં લમ્પી વાયરસના 5 શંકાસ્પદ પૈકી 1નો રિપોર્ટ પોઝિટિવ, તંત્ર એકશનમાં- તાત્કાલિક સારવારને પગલે રિકવરી આવતા રાહત

vartmanpravah

Leave a Comment