October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી, ખેરગામ અને ગણદેવી તાલુકામાં મેઘરાજાની તોફાની બેટીંગઃ અનેક જગ્‍યાએ વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી

ગણદેવી તાલુકાના નાંદરખા, આંતલીયા, ધકવાડામાં 2 વીજપોલ,
ખેરગામ તાલુકાના આછવણી, વાદ ગામમાં 11 જેટલા વીજ પોલ અને ચીખલી તાલુકાના ફડવેલ, કુકેરી, રેઠવાણીયા, સોલધરા, મજીગામ, બામણવેલ અને દેગામ સહિતના ગામોમાં વીજપોલ ધરાશાયી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: ચીખલી પંથકમાં મેઘરાજાએ આક્રમક મૂડ અખત્‍યાર કરતા વહેલી સવારે ચાર વાગ્‍યાથી બાર વાગ્‍યા સુધી અવિરતપણે ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણીની રેલમછેલ થઈ જવા પામી હતી. આ દરમ્‍યાન આઠ વાગ્‍યાના અરસામાં પવનની ગતિ વધવા સાથે વીજળીના ચમકારા વચ્‍ચે બે કલાકમાં જ દોઢ ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો હતો. ઘનઘોર વાતાવરણ વચ્‍ચે સતત વરસાદને પગલેવિઝીબિલિટી પણ ઘટતા લાઈટ ચાલુ કરી વાહનો હંકારવાની ફરજ પડી હતી.
મુશળધાર વરસાદથી રાષ્‍ટ્રીય ધોરીમાર્ગના સમરોલી ઓવરબ્રિજના છેડે તથા આલીપોર ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પણ મોટી માત્રામાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત ચીખલી-વાંસદા માર્ગ ઉપર થાલા બગલાદેવ મંદિર આગળ તથા બામણવેલ પાટિયાની આગળ પણ વરસાદી પાણીના નિકાલની વ્‍યવસ્‍થાના અભાવે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાની નોબત આવી હતી. સમરોલીમાં ચીખલી-બીલીમોરા માર્ગ પર પાણી ભરાયા હતા.
પવન સાથેના ભારે વરસાદ વચ્‍ચે તલાવચોરાના બારોલીયાના પીપળા ફળીયામાં સંજય ફાર્મ જતા માર્ગ ઉપર સવારે છ વાગ્‍યાની આસપાસ સમયાંતરે બે જેટલા વડના ઝાડો ધરાશયી થતા અને વીજલાઈન પર પડતા પાંચ વીજપોલ ધરાશયી થતા વીજપુરવઠો ખોરવાયો હતો. આ ઉપરાંત તાલુકાના ઘેજ ગામના બીડ નાયકીવાડ વિસ્‍તારમાં મળસ્‍કે પાંચેક વાગ્‍યાના અરસામાં ધીરૂભાઈ છનાભાઈ પટેલના ઘર ઉપર વૃક્ષ પડતા મોટું નુકસાન થવા સાથે એક મહિલાને સામાન્‍ય ઈજા પહોંચી હતી. આ ઉપરાંત સમરોલીના ધોડ ફળીયામાં નાનીબેન સોમાભાઈ અને ચીખલીના કસ્‍બામાં સતીષ ભીખુભાઈના ઘર ઉપર પણ ઝાડ પડતા પરિવારને નુકશાન થયું હતું.

Related posts

વાપી બલિઠા હાઈવે પર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ચાર દિવસીય દાનહ પ્રવાસનો મનન-મંથન અને ચિંતન સાથે આરંભ

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સેલવાસ કલેક્‍ટર કચેરીના પરિસરમાં સ્‍થાપવામાં આવેલ દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ. ઈન્‍દિરા ગાંધીની પ્રતિમાને હટાવાતા કોંગ્રેસે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહેલ ડેન્‍ગ્‍યુ નિવારણ અને નિયંત્રણ અભિયાનમાં દાનહ અને દમણ-દીવમાં છેલ્લા 3 અઠવાડિયામાં 2.86 લાખ મચ્‍છર ઉત્‍પત્તિ સ્‍થળોનો કરાયેલો નાશ

vartmanpravah

દાનહ જિલ્લા ન્યાયાલય ખાતે ૧૧ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન 

vartmanpravah

જેસીઆઈ નવસારી દ્વારા વિમેન્‍સ ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરાયું 

vartmanpravah

Leave a Comment