February 4, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુરખાઈ- અનાવલ માર્ગ પર મહાકાય વૃક્ષ ધરાશાયીઃ વાહનવ્‍યવહાર ખોરવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: ચીખલી તાલુકાના કુકેરી ગામે સુરખાઈ-અનાવલ માર્ગ ઉપર સવારે સાડા છ વાગ્‍યાની આસપાસ એક મહાકાય વૃક્ષ ધરાશયી બાદ થોડા સમયના અંતરે બીજા બે વૃક્ષો ધરાશયી થતા માર્ગ પરનો વાહન વ્‍યવહાર બંધ થઈ જવા પામ્‍યો હતો. સામાજિક વનીકરણ અને માર્ગ મકાનના બેદરકારી ભર્યા કારભાર વચ્‍ચે બનાવના આઠ કલાકે પણ વૃક્ષો માર્ગ પરથી ન ખસેડાતા વાહન વ્‍યવહાર પૂર્વવત થયો ન હતો. આ સ્‍થળે હનુમાનજીના મંદિર પાસે વળાંકમાં ઝાડો જુના અને મોટા હોવા સાથે અવાર નવાર અકસ્‍માતો સર્જાતા હોવાથી આ વૃક્ષો દૂર કરવા માટે સ્‍થાનિક હિતેશભાઈ દરબાર દ્વારા સામાજિક વનીકરણમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. આજે વૃક્ષો ધરાશયી થતા તેમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ કોઈ જાનહાની થાય તો જવાબદાર કોણ? આ બનાવ બાદ પણ સામાજિક વનીકરણના જવાબદારોની આંખ ઉધડશે ખરી કે તે જોવું રહ્યું.

Related posts

પારડીના ઐતિહાસિક તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્‍યો

vartmanpravah

બિપરજોય ચક્રવાતને ધ્‍યાનમાં રાખી 17મી જૂન સુધી જમ્‍પોરથી લાઈટ હાઉસ અને સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક સુધીનો સી-ફ્રન્‍ટ રોડ બંધ રહેશે

vartmanpravah

વલસાડમાં હાઈપ્રોફાઈલ બર્થ-ડે પાર્ટી મહેફીલમાં પોલીસે ભંગાણ પાડયું: ભાજપના નેતાઓ સહિત 15 ઝડપાયા

vartmanpravah

સંઘપ્રદેશમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આંગણવાડી વર્કરો-સહાયકો તથા આશા વર્કરોના વેતનમાં વધારાની કરેલી જાહેરાત

vartmanpravah

વાપીને વધુ એક ટ્રેન સ્‍ટોપેજ મળ્‍યું : ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેન વાપીમાં થોભશે

vartmanpravah

ધરમપુર તાલુકાના રાજપુરી જંગલના ગ્રામ ગૃપ સખીમંડળને ગરીબકલ્‍યાણ મેળો ફળ્‍યો

vartmanpravah

Leave a Comment