Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુરખાઈ- અનાવલ માર્ગ પર મહાકાય વૃક્ષ ધરાશાયીઃ વાહનવ્‍યવહાર ખોરવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: ચીખલી તાલુકાના કુકેરી ગામે સુરખાઈ-અનાવલ માર્ગ ઉપર સવારે સાડા છ વાગ્‍યાની આસપાસ એક મહાકાય વૃક્ષ ધરાશયી બાદ થોડા સમયના અંતરે બીજા બે વૃક્ષો ધરાશયી થતા માર્ગ પરનો વાહન વ્‍યવહાર બંધ થઈ જવા પામ્‍યો હતો. સામાજિક વનીકરણ અને માર્ગ મકાનના બેદરકારી ભર્યા કારભાર વચ્‍ચે બનાવના આઠ કલાકે પણ વૃક્ષો માર્ગ પરથી ન ખસેડાતા વાહન વ્‍યવહાર પૂર્વવત થયો ન હતો. આ સ્‍થળે હનુમાનજીના મંદિર પાસે વળાંકમાં ઝાડો જુના અને મોટા હોવા સાથે અવાર નવાર અકસ્‍માતો સર્જાતા હોવાથી આ વૃક્ષો દૂર કરવા માટે સ્‍થાનિક હિતેશભાઈ દરબાર દ્વારા સામાજિક વનીકરણમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. આજે વૃક્ષો ધરાશયી થતા તેમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ કોઈ જાનહાની થાય તો જવાબદાર કોણ? આ બનાવ બાદ પણ સામાજિક વનીકરણના જવાબદારોની આંખ ઉધડશે ખરી કે તે જોવું રહ્યું.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં મોટી દમણ કોસ્‍ટલ પોલીસ દ્વારા નવા કાયદાઓની જાણકારી માટે યોજાયો કાર્યક્રમ

vartmanpravah

ચીખલીના સમરોલીના રણછોડરાય મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી

vartmanpravah

દાનહ જિ.પં.ની સામાન્‍ય સભામાં શાસક પાંખે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કામો નહી થઈ રહ્યા હોવાનો કરેલો સ્‍વીકાર

vartmanpravah

આજે બામટી ખાતે કોમ્‍યુનીટી હોલ અને કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાશે

vartmanpravah

કપરાડાના લવકર ગામે પ્રાકૃતિક ફાર્મ સ્કૂલ યોજાઈ

vartmanpravah

ભીલાડ પોલીસ વાહન ડીટેન યાર્ડમાં આગ લાગીઃ 20 જેટલા વાહનો આગની લપેટમાં

vartmanpravah

Leave a Comment