June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ડાયટ એન્‍ડ બાયોમાર્કર્સ સ્‍ટડી ઇન્‍ડિયા(ડીએબીએસ-આઇ)નો શુભારંભ

આ સંશોધન એકંદર પોષણની સ્‍થિતિ, એનિમિયા, ઝેરની હાજરી અને બિન-ચેપી રોગો જેવા કે હાયપરટેન્‍શન, ડાયાબિટીસ અને હૃદયના રોગોના વ્‍યાપક અહેવાલો પ્રદાન કરશે અને ભવિષ્‍યમાં સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યાઓનો સામનો કરવા માટે નીતિઓ ઘડવામાં આ માહિતી મહત્‍વપૂર્ણ રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: સંઘપ્રદેશોના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ પ્રશાસને આઈસીએમઆર-એનઆઈએન, હૈદરાબાદના સહયોગથી ‘‘ડીએબીએસ-આઇ” નામની ઉચ્‍ચ પ્રાથમિકતા સંશોધન અભ્‍યાસનો પ્રારંભ કર્યો છે. આ અભ્‍યાસમાં સંઘપ્રદેશોના 51 પ્રાથમિક નમૂના એકમો (પી.એસ.યુ.એસ.) સામેલ છે. જેમાં દાદરા નગર હવેલીમાં 29, દમણમાં 16 અને દીવમાં 6નો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે દાનહ જિલ્લાના સેલવાસ ખાતેના કલેક્‍ટરાલયના સભાખંડમાં સંઘપ્રદેશ સ્‍તરીય ઈવેન્‍ટનું લોન્‍ચ ઈવેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જ્‍યાં દાદરા નગર હવેલીના કલેક્‍ટરશ્રીએ મહત્ત્વના આ રાષ્‍ટ્રીય અભ્‍યાસ સત્રનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં દાનહ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રી દામજીભાઈ કુરાડા, ઉપ પ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલ, સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજનીબેન શેટ્ટી અને પ્રશાસનિક વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
પ્રારંભિક સત્ર દરમિયાન સંઘપ્રદેશ અભ્‍યાસના રાજ્‍ય નોડલ અધિકારી ડૉ. મેઘલ શાહે જણાવ્‍યું હતું કે, ક્ષેત્રિય કાર્યની 8 જુલાઈ, 2024થી શરૂઆત થશે. આઈ.સી.એમ.આર. ટીમ અભ્‍યાસ માટે પસંદગી પામેલા આર્થિક રીતે નબળા પરિવારોની મુલાકાત કરશે. આ અભ્‍યાસ વિવિધ ઉંમર, શારીરિક અને શારીરિક ગતિવિધિ સમૂહોમાં વ્‍યક્‍તિગત ખાદ્ય અને પૌષક તત્ત્વોના સેવનનું આકલન કરવાના ઉદ્દેશ્‍યથી કરવામાં આવી રહ્યો છે. જેમાં માત્રાત્‍મક 24 કલાક આહાર પુનરાવલોકન, પ્રમાણભૂત માપન ખાદ્ય પદાર્થોના નમૂના અને બાયોમાર્કરો માટે લોહીના નમૂનાનો ઉપયોગ કરવામાં આવશે, જે શહેરી અને ગ્રામીણ વસતી વચ્‍ચે કરવામાં આવશે.
ICMR-NIN, હૈદરાબાદના અભ્‍યાસનાપ્રાદેશિક સંયોજક ડૉ. જે.જે. બાબુ ગેડમે અભ્‍યાસ અને તેના સંભવિત પરિણામો વિશે વિગતવાર રજૂઆત કરી હતી. આ સંશોધન એકંદર પોષણની સ્‍થિતિ, એનિમિયા, ઝેરની હાજરી અને બિન-ચેપી રોગો જેવા કે હાયપરટેન્‍શન, ડાયાબિટીસ અને હૃદયના રોગોના વ્‍યાપક અહેવાલો પ્રદાન કરશે. ભવિષ્‍યમાં આ સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યાઓનો સામનો કરવા માટે નીતિઓ ઘડવામાં આ માહિતી મહત્‍વપૂર્ણ રહેશે.
સંઘપ્રદેશના તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ અભ્‍યાસ માટે ICMR સંશોધન ટીમને સંપૂર્ણ સમર્થન આપે અને લોહી અને ખાદ્યપદાર્થોના નમૂના આપવામાં અચકાવું નહીં. તમારો સહકાર આ મહત્‍વપૂર્ણ સંશોધનની સફળતાને સુનિશ્ચિત કરશે.
BABS-I એ મુખ્‍ય આરોગ્‍ય બાયોમાર્કર્સ પર વિવિધ આહારની અસરોની તપાસ કરવા માટે રચાયેલ એક વ્‍યાપક અભ્‍યાસ છે. આ સંશોધન મુખ્‍ય આરોગ્‍ય અને પોષણ પરિમાણો પર મૂલ્‍યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરશે, જેનાથી વસતીના આરોગ્‍ય અને સુખાકારીમાં નોંધપાત્ર યોગદાન મળશે.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના આરોગ્‍ય વિભાગ દ્વારા “રાષ્‍ટ્રીય ડેન્‍ગ્‍યુ દિવસ”ની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

દાનહમાં ટોરેન્‍ટ પાવર સામે ભભૂકતો રોષઃ જવાબદારો સામે આકરા પગલાં ભરવા ઠેર ઠેરથી માંગ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના મુખ્‍ય અતિથિ પદે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે લક્ષદ્વીપના કવરત્તી ગાંધી સ્‍કવેર ખાતે રંગારંગ સમારોહ યોજાયો

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા(ગુ.મા.), રખોલીમાં ‘રાષ્ટ્રીય સેવા યોજના દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લાસ વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીના અધ્ય.ક્ષસ્થા ને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

vartmanpravah

વલસાડના યુવાનોની પ્રેરક કામગીરી : ઔરંગા નદીમાં વિસર્જીત થયેલ તમામ મૂર્તિઓનું વિસર્જન કરી કિનારો સ્‍વચ્‍છ કર્યો

vartmanpravah

Leave a Comment