April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી – ગણદેવી – ખેરગામ તાલુકામાં મેઘરાજાનું જોર વધ્‍યું લોકમાતાઓ બંન્ને કાંઠે વહેતી થઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: તાલુકામાં મંગળવારના રોજ ધોધમાર વરસાદ વરસ્‍યા બાદ બે દિવસ છુટા છવાયા ઝાપટા ચાલુ રહ્યા હતા. આ દરમ્‍યાન શુક્રવારના રોજ વહેલી સવારથી જ કાળા દિબાંગ વાદળો સાથેના ઘનઘોરવાતાવરણ વચ્‍ચે વહેલી સવારમાં જ વરસાદનું આગમન થયું હતું. અને આઠેક વાગ્‍યાના બે કલાકમાં જ ધોધમાર વરસાદ વરસતા માર્ગો પરથી પાણી વહેતા થઈ ગયા હતા. અને માર્ગો પર ઠેક ઠેકાણે પાણી ભરાયા હતા. સારા વરસાદથી તાલુકા મથક ચીખલી તાલુકા સહિત તાલુકાઓમાંથી પસાર થતી કાવેરી નદીની સપાટી નવ ફૂટે પહોંચી હતી. આ ઉપરાંત અંબિકા, કાવેરી, ખરેરા સહિતની લોકમાતાઓ તથા નાવણી નદી, ફૂગરી ખાડી, નીરજ ખાડી, મરકી ખાડી સહિતના સ્‍થાનિક કોતરોમાં પણ પાણીની સપાટી વધવા પામી હતી.
સારા વરસાદથી ખેતરોમાં પણ પૂરતા પ્રમાણમાં પાણીથી કેટલાક વિસ્‍તારમાં ડાંગરની રોપણી પણ ચાલુ થઈ જવા પામી હતી. જોકે મહત્તમ ખેડૂતોનું ધરૂ તૈયાર થતું હોય રોપણી પુરજોશમાં જોવા મળી ન હતી. તાલુકામાં બપોરે બે વાગ્‍યે બાદ વરસાદનું જોર ઘટયું હતું. પરંતુ વાદળો છવાયેલા રહેવા સાથે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. અને વિઝીબિલિટી પણ ઘટતા વાહન ચાલકોએ લાઈટો ચાલુ રાખી વાહનો હંકારવાની નોબત આવી હતી.
તાલુકામાં સવારે છ વાગ્‍યાથી 8-કલાકમાં 1.92 ઇંચ અને સાંજે ચાર વાગ્‍યે પુરા થતા ચોવીસ કલાકમાં 2.24 ઇંચ વરસાદ સાથે સિઝનનો કુલ વરસાદ 20.08 ઇંચ નોંધાવા પામ્‍યો હતો.

Related posts

‘‘પરીક્ષા પે ચર્ચા”માં ભાગ લેનાર શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના 38 શિક્ષકો અને 7 વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રીએ પત્ર લખી દેશની પ્રગતિ માટેનો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો

vartmanpravah

શિક્ષણ અને રમતગમતના સમન્‍વયથી જ સંપૂર્ણ વ્‍યક્‍તિત્‍વનો વિકાસ શકય છેઃ રમતગમત અધિકારી મનિષ સ્‍માર્ત

vartmanpravah

વાપીમાં ભારતરત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની દબદબાપૂર્વક ઉજવણી

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘પરિવર્તન-ડ્રાઈવ’ કાર્યક્રમનું આયોજન થયું

vartmanpravah

હીટ એન્‍ડ રનના નવા કાયદાના વિરોધમાં વાપી વિનંતીનાકા પાસે જાહેર રોડ પર ક્રેઈન મુકી દેવાઈ

vartmanpravah

કપરાડા વિધાનસભા વિસ્તારમાં નિર્માણ પામનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment