October 27, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં તણાઈ કે ડૂબી જવાથી થતી જાનહાનિ અટકાવવા જિલ્લા મિજિસ્‍ટ્રેટનું પ્રતિબંધનાત્‍મક જાહેરનામું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: રાજ્‍યના વિવિધ ભાગોમાં દરિયા કિનારે તથા પાણીના ભારે વહેણ ધરાવતા કોઝ-વે, નદી, નહેર, જળાશયો તેમજ પાણીનાધોધમાં ન્‍હાવા જવાથી ઘણા લોકોના તણાઈ જવાથી કે ડૂબી જવાથી મૃત્‍યુ થવાના કિસ્‍સાઓ અવાર-નવાર બનતા હોય છે. હાલમાં ચોમાસાની ઋતુ હોય જિલ્લામાં પણ નદી, નાળા, કોઝ-વે વગેરે પાણીનું ભારે વહેણ ચાલુ હોય તેમજ દરિયામાં ભરતીનો સમયે ઊંચા મોજાં ઉછળતા હોય છે. આવા સમયે સામાન્‍ય જનતા તથા પ્રવાસીઓ પોતાનો જીવ જોખમમાં મુકી ન્‍હાવા જતાં હોય છે. જેના કારણે લોકોના જાનમાલને નુકસાન થાય તેવી પુરી સંભાવના હોય લોકોના જાનમાલને થતું નુકસાન અટકાવવા આવા ભયજનક સ્‍થળોએ પ્રતિબંધ મુકવો જરૂરી જણાતા ઈ.ચા. જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી એ.આર.જ્‍હાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 થી મને મળેલી સત્તાની રૂએ તા.03-09-2024 સુધી નીચે મુજબના પ્રતિબંધો મુકયા છે,
(1) સમગ્ર વલસાડ જિલ્લામાં આવેલ તમામ નદી, નાળા નહેર, ચેકડેમ તથા તેનો નીચાણ વાળો વિસ્‍તાર જળાશયો, કોઝ-વે તથા નાના-મોટા ધોધ જેવા પાણીનું ભારે વહેણ ધરાવતાં ભયજનક સ્‍થળોએ કોઈપણ વ્‍યક્‍તિ/પ્રવાસીઓએ ન્‍હાવા જવા, કપડા ધોવા કે માછલી પકડવા માટે પ્રવેશ કરવો નહી તેમજ તે માટે મદદગારી કરવી નહી.
(2) સમગ્ર વલસાડ જિલ્લામાં આવેલ તમામ દરિયા કિનારાએ ભરતીના સમયે તથા ચોમાસાની ઋતુ દરમિયાન ઊંચા મોજાંઉછળતા હોવાથી કોઈપણ વ્‍યક્‍તિ/પ્રવાસીઓએ ન્‍હાવા જવા દરિયાના પાણીમાં પ્રવેશ કરવો નહીં તેમજ દરિયા કિનારે જોખમી રીતે ઉભા રહેવું નહીં.
(3) સમગ્ર વલસાડ જિલ્લામાં આવેલ તમામ કોઝ-વે ઉપર પાણીનું વહેણ ચાલુ હોય ત્‍યારે કોઈ વ્‍યક્‍તિએ જાતે અથવા વાહન સાથે કોઝ-વે ઉપરથી પસાર થવું નહી.
ઉપરના તમામ ભયજનક સ્‍થળોએ જોખમી રીતે ઉભા રહી મોબાઈલ/કેમેરામાં ફોટા/સેલ્‍ફી લેવાં નહી.
આ હુકમ કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણી માટે તથા આપત્તિ વ્‍યવસ્‍થાપન માટે મુકાયેલ કર્મચારીઓ તથા અધિકારીશ્રીઓને લાગુ પડશે નહીં. તેમજ આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કર્યે ભારતીય ન્‍યાય સંહિતા-2023ની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર થશે. હુકમનો ભંગ કરનાર સામે વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્‍સ્‍પેક્‍ટરથી નાયબ પોલીસ અધિક્ષક સુધીનો હોદ્દો ધરાવતા પોલીસ્‍સ અધિકારીઓને ફરિયાદ માંડવા અધિકળત કરવામાં આવ્‍યા છે.

Related posts

ગુજરાત બોર્ડના સામાન્‍ય પ્રવાહના પરિણામમાં દમણ જિલ્લાની 6 શાળાનું પરિણામ 100 ટકાઃ સંઘપ્રદેશ પ્રશાસને શિક્ષણની ગુણવત્તા સુધારવા લીધેલા પગલાંની અસર

vartmanpravah

ગુજરાત-મહારાષ્‍ટ્ર સરહદ ઉપર માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના અતિથિ ગૃહના નિર્માણનો આરંભ

vartmanpravah

ગણદેવી – વાંસદા સહિત જિલ્લામાં આચાર સંહિતાનો અમલ થતા 1542 હોડિંગ અને પેઈન્‍ટીગ દૂર કરાયા

vartmanpravah

વાપી બગવાડા ટોલ ચેકપોસ્‍ટ ઉપર થયેલા ટોલ વધારા મામલે કેન્‍દ્રીય પરિવહન મંત્રીને રજૂઆત કરાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવની સરકારી બેન્‍કના કર્મચારીઓની બે દિવસીય હડતાલ: સરકાર દ્વારા સરકારી બેન્‍કોને પ્રાઇવેટીકરણ કરવાનો વિરોધ

vartmanpravah

આજે રક્ષાબંધન પવિત્ર પર્વે નિમિત્તે વાપીપાલિકાની ભેટ : બહેનો અને બાળકો માટે સીટી બસમાં નિઃશુલ્‍ક સફર

vartmanpravah

Leave a Comment