Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘સદસ્‍યતા અભિયાન’ અંતર્ગત દિલ્‍હી કેન્‍દ્રિય ભાજપ કાર્યાલયમાં યોજાયેલ કાર્યશાળામાં દમણથી વસિમ સૈયદ અને દાનહના મુસ્‍તાકભાઈ તવાએ આપેલી હાજરી

દાનહ અને દમણ-દીવ માઈનોરિટી મોરચાના જનરલ સેક્રેટરી વસિમ સૈયદે લઘુમતિ મંત્રાલયના મંત્રી કિરણ રિજીજુ અને મોરચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જમાલ સિદ્દિકી સાથે મુલાકાત કરી દાનહ અને દમણ-દીવમાં લઘુમતિ મોરચાના સંગઠનને વધુ પ્રભાવશાળી બનાવવા પ્રગટ કરેલો સંકલ્‍પ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.27 : દિલ્‍હી ખાતે કેન્‍દ્રિય ભાજપ કાર્યાલયમાં લઘુમતિ મોરચાની ‘સદસ્‍યતા અભિયાન’ અંતર્ગત એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણથી માઈનોરિટી મોરચાના જનરલ સેક્રેટરી શ્રી વસિમ સૈયદ અને સેલવાસથી સદસ્‍યતા અભિયાનના સંયોજક શ્રી મુસ્‍તાકભાઈ તવાએ ભાગ લીધો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ભાજપ માઈનોરિટી મોરચામાં સભ્‍ય સંખ્‍યા વધારવા પણ મનોમંથન કરાયું હતું. જેમાં માઈનોરિટી મોરચાના જનરલ સેક્રેટરી શ્રી વસિમ સૈયદે ભાજપ લઘુમતિમોરચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જમાલ સિદ્દિકી સાથે મુલાકાત કરી ‘સદસ્‍યતા અભિયાન’ને વધુ મજબૂત અને પ્રભાવશાળી બનાવવાનો સંકલ્‍પ વ્‍યક્‍ત કર્યો હતો. તેમણે કેન્‍દ્રના લઘુમતિ વિભાગના મંત્રી શ્રી કિરણ રિજીજુની સાથે પણ શુભેચ્‍છા મુલાકાત કરી હતી.

Related posts

અરૂણાચલ પ્રદેશથી આઈ.એ.એસ. અધિકારી સ્‍વપ્‍નિલ નાયકનું થનારૂં સંઘપ્રદેશમાં આગમન

vartmanpravah

વાપી શહેર કોંગ્રેસ કોરોના મૃતકોને પ0 હજાર નહી પણ 4 લાખ વળતર માટે રેલી કાઢી આવેદન આપ્‍યું

vartmanpravah

મુંબઈની તાજ આર્ટ ગેલેરીમાં વાપીના જાણીતા ચિત્રકાર જાગૃતિ કાતરીયાની કૃતિઓ રાષ્‍ટ્રીય કલા પ્રદર્શનમાં આકર્ષક રહી

vartmanpravah

વાપી તાલુકા કક્ષાના યુવા ઉત્‍સવમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો ડંકો

vartmanpravah

દીવ-વણાંકબારાની મહિલાઓને પુરુષ સમોવડી બનાવવા જિ.પં. પ્રમુખ અમૃતાબેન બામણિયાએ શરૂ કરેલી પહેલ

vartmanpravah

કપરાડા તાલુકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે હીરાબેન પ્રભુભાઈ માહલા અને ઉપ પ્રમુખ તરીકે ફૂલજીભાઈ રાજીરામભાઈ ગુરવની વરણી

vartmanpravah

Leave a Comment