દાનહ અને દમણ-દીવ માઈનોરિટી મોરચાના જનરલ સેક્રેટરી વસિમ સૈયદે લઘુમતિ મંત્રાલયના મંત્રી કિરણ રિજીજુ અને મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દિકી સાથે મુલાકાત કરી દાનહ અને દમણ-દીવમાં લઘુમતિ મોરચાના સંગઠનને વધુ પ્રભાવશાળી બનાવવા પ્રગટ કરેલો સંકલ્પ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.27 : દિલ્હી ખાતે કેન્દ્રિય ભાજપ કાર્યાલયમાં લઘુમતિ મોરચાની ‘સદસ્યતા અભિયાન’ અંતર્ગત એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દમણથી માઈનોરિટી મોરચાના જનરલ સેક્રેટરી શ્રી વસિમ સૈયદ અને સેલવાસથી સદસ્યતા અભિયાનના સંયોજક શ્રી મુસ્તાકભાઈ તવાએ ભાગ લીધો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ભાજપ માઈનોરિટી મોરચામાં સભ્ય સંખ્યા વધારવા પણ મનોમંથન કરાયું હતું. જેમાં માઈનોરિટી મોરચાના જનરલ સેક્રેટરી શ્રી વસિમ સૈયદે ભાજપ લઘુમતિમોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જમાલ સિદ્દિકી સાથે મુલાકાત કરી ‘સદસ્યતા અભિયાન’ને વધુ મજબૂત અને પ્રભાવશાળી બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે કેન્દ્રના લઘુમતિ વિભાગના મંત્રી શ્રી કિરણ રિજીજુની સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી.