October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરા લાકડાના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી

લાકડાનો સરસામાન હોવાથી આગ જોતજોતામાં વરવું સ્‍વરૂપ પકડયું હતું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.30: વાપી ડુંગરામાં કાર્યરત એક લાકડાના ગોડાઉનમાં આજે શુક્રવારે બપોરે અચાનક ભિષણ આગ લાગી ઉઠતા અફરા તફરી મચી જવા પામી હતી.
વાપી ડુંગરા-કરવડ વિસ્‍તાર આગના બનાવો માટે કુખ્‍યાત છે. ભાગ્‍યે જ કોઈ મહિનો એવો પસાર ના થાય કે ભંગારના ગોડાઉનમાં આગ ના લાગી હોય. થોડા સમયથી શાંતિ હતી પરંતુ શુક્રવારે ફરી આ વિસ્‍તારમાં આગનો બનાવ બન્‍યો હતો. લાકડાના ગોડાઉનમાં અચાનક ભિષણ આગ લાગતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયર વિભાગે આગ બુઝાવવાની જહેમત શરૂ કરી હતી. આગમાં અન્‍ય કોઈ જાનહાની થવા પામેલ નથી. પરંતુ સમુળગુ ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતું. આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.

Related posts

વાપી સમસ્‍ત બ્રહ્મ સમાજ દ્વારા સલવાવ ગુરુકુળમાં શિવરાત્રી પૂજાનું આયોજન

vartmanpravah

ખરાબ મૌસમનો ભોગ બનતાં દીવના દરિયામાં વણાંકબારાની ફાયબર બોટે લીધી જળ સમાધી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સલાહકાર વિકાસ આનંદની અધ્‍યક્ષતામાં મંકીપોક્‍સ બાબતે યોજાયેલી સમીક્ષા બેઠક

vartmanpravah

ઈન્‍ડો-યુરોપિયન બિઝનેશ ફોરમ દ્વારા આયોજીત લંડનમાં ‘‘ઈન્‍ટરનેશનલ કોન્‍કલેવ ઓન ગુડ ગવર્નન્‍સ-2024”માં સન્‍માનિય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેવા દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલને મળેલું આમંત્રણ

vartmanpravah

RTE એકટ હેઠળ નબળા-વંચિત જુથના બાળકોને ધો.૧માં પ્રવેશ માટે તા.૧૪ થી ૨૬ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

Leave a Comment