લાકડાનો સરસામાન હોવાથી આગ જોતજોતામાં વરવું સ્વરૂપ પકડયું હતું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી,તા.30: વાપી ડુંગરામાં કાર્યરત એક લાકડાના ગોડાઉનમાં આજે શુક્રવારે બપોરે અચાનક ભિષણ આગ લાગી ઉઠતા અફરા તફરી મચી જવા પામી હતી.
વાપી ડુંગરા-કરવડ વિસ્તાર આગના બનાવો માટે કુખ્યાત છે. ભાગ્યે જ કોઈ મહિનો એવો પસાર ના થાય કે ભંગારના ગોડાઉનમાં આગ ના લાગી હોય. થોડા સમયથી શાંતિ હતી પરંતુ શુક્રવારે ફરી આ વિસ્તારમાં આગનો બનાવ બન્યો હતો. લાકડાના ગોડાઉનમાં અચાનક ભિષણ આગ લાગતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયર વિભાગે આગ બુઝાવવાની જહેમત શરૂ કરી હતી. આગમાં અન્ય કોઈ જાનહાની થવા પામેલ નથી. પરંતુ સમુળગુ ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતું. આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.