October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી દમણગંગા નદી કિનારે ગણેશ વિસર્જનનો પ્રતિબંધ હટાવાયો : 3 થી 4 ભક્‍તો વિસર્જન કરી શકશે

શ્રીજીની પ્રતિમા સાથે આવેલ ભાવિક ભક્‍તોને ડીજે સાથે યુપીએલ બ્રિજથી પરત ફરવું પડશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વાપી દમણગંગા નદી કિનારે તા.13 થી ગણેશ વિસર્જનનો પ્રતિબંધ હટાવાયો છે. જીઆઈડીસી દ્વારા 3 કિ.મી. લાંબી વરસાદી ગટરની ચાલી રહેલી કામગીરીને ધ્‍યાને રાખી આ વર્ષે દમણગંગા નદી કિનારે વિસર્જન માટે પ્રતિબંધ જાહેર કરાયો હતો જે હટાવી દેવામાં આવ્‍યો છે.
વાપીમાં દર વર્ષે શ્રી ગણેશ વિસર્જન માટે દમણગંગા નદી કિનારે વહિવટી તંત્ર પોલીસ, ફાયર વિભાગ તરફથી વ્‍યવસ્‍થા કરવામાં આવતી હતી. પરંતુ કિનારે વરસાદી પાણી ગટરની ચાલતી કામગીરીને લઈ ગણેશ વિસર્જન માટે પ્રતિબંધ જાહેર કરાયો હતો. લોકો અજાણ હોવાથી દોઢ અને પાંચ દિવસીય ગણેશનું વિસર્જન કરવા દમણગંગાપહોંચી ગયા હતા પરંતુ પોલીસે રાતા ખાડીએ મોકલી આપ્‍યા હતા. પરંતુ પોલીસે રાતા ખાડીએ મોકલી આપ્‍યા હતા. પરંતુ તા.13 દમણગંગા નદી કિનારે શ્રી ગણેશ વિસર્જન માટેની છૂટ અપાઈ છે. અલબત્ત કિનારા સુધી 3 થી 4 લોકો જઈ શકશે. બાકીના ભક્‍તો ડી.જે. સાથેના કાફલાએ યુ.પી.એલ. બ્રીજથી પરત ફરવું પડશે. આગળ જઈ શકાશે નહી. જો કે દમણગંગા નદી ઉપર વિસર્જન પ્રતિબંધથી લોકોને રાતાખાડી જવું પડતું તેમાં હવે રાહત મળશે.

Related posts

પારડી તાલુકાના પરીયા ગામના યુવકે અગમ્‍ય કારણસર ઝેરી દવા પીધી : વલસાડ સિવિલ હોસ્‍પિટલ ખાતે સારવાર હેઠળ

vartmanpravah

વલસાડમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે હલ્લાબોલ કાર્યક્રમ યોજાયોઃ કલેક્‍ટરને આવેદન અપાયું

vartmanpravah

સેલવાસની ખાનગી શાળાના સંગીત શિક્ષકે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

ધરમપુર હાઈવે ચોકડી પાસે પુટ્ટી પાવડરની આડમાં ટેમ્‍પોમાં ભરેલ રૂા.13.62 લાખનો દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

દાનહમાં આદિત્‍ય એનજીઓએ શહીદ દિવસ પર કેન્‍ડલ માર્ચ કાઢી, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુને આપેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

વલસાડના તીઘરા ગામના ગરીબ પરિવારના યુવકે પી.એચ.ડી. કરી સિધ્‍ધી મેળવી

vartmanpravah

Leave a Comment