January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી દમણગંગા નદી કિનારે ગણેશ વિસર્જનનો પ્રતિબંધ હટાવાયો : 3 થી 4 ભક્‍તો વિસર્જન કરી શકશે

શ્રીજીની પ્રતિમા સાથે આવેલ ભાવિક ભક્‍તોને ડીજે સાથે યુપીએલ બ્રિજથી પરત ફરવું પડશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વાપી દમણગંગા નદી કિનારે તા.13 થી ગણેશ વિસર્જનનો પ્રતિબંધ હટાવાયો છે. જીઆઈડીસી દ્વારા 3 કિ.મી. લાંબી વરસાદી ગટરની ચાલી રહેલી કામગીરીને ધ્‍યાને રાખી આ વર્ષે દમણગંગા નદી કિનારે વિસર્જન માટે પ્રતિબંધ જાહેર કરાયો હતો જે હટાવી દેવામાં આવ્‍યો છે.
વાપીમાં દર વર્ષે શ્રી ગણેશ વિસર્જન માટે દમણગંગા નદી કિનારે વહિવટી તંત્ર પોલીસ, ફાયર વિભાગ તરફથી વ્‍યવસ્‍થા કરવામાં આવતી હતી. પરંતુ કિનારે વરસાદી પાણી ગટરની ચાલતી કામગીરીને લઈ ગણેશ વિસર્જન માટે પ્રતિબંધ જાહેર કરાયો હતો. લોકો અજાણ હોવાથી દોઢ અને પાંચ દિવસીય ગણેશનું વિસર્જન કરવા દમણગંગાપહોંચી ગયા હતા પરંતુ પોલીસે રાતા ખાડીએ મોકલી આપ્‍યા હતા. પરંતુ પોલીસે રાતા ખાડીએ મોકલી આપ્‍યા હતા. પરંતુ તા.13 દમણગંગા નદી કિનારે શ્રી ગણેશ વિસર્જન માટેની છૂટ અપાઈ છે. અલબત્ત કિનારા સુધી 3 થી 4 લોકો જઈ શકશે. બાકીના ભક્‍તો ડી.જે. સાથેના કાફલાએ યુ.પી.એલ. બ્રીજથી પરત ફરવું પડશે. આગળ જઈ શકાશે નહી. જો કે દમણગંગા નદી ઉપર વિસર્જન પ્રતિબંધથી લોકોને રાતાખાડી જવું પડતું તેમાં હવે રાહત મળશે.

Related posts

ચીખલીના સરૈયામાં હાઈવા અને ટેમ્‍પો વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બેના મોત

vartmanpravah

ધરમપુરમાં આદિવાસી અમૃત કુંભ મહોત્‍સવ રથ આવી પહોંચતા ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલના હસ્‍તે ઉષ્‍માભેર સ્‍વાગત કરાયુ

vartmanpravah

વાપીની કેબીએસ કોલેજમાં રક્‍તદાન કેમ્‍પ તથાવૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા

vartmanpravah

વાપી નેશનલ હાઈવે યુપીએલ સવિસ રોડ ઉપર ચોમાસાના પાણીથી બનેલું તળાવ હવે ગંદકીના તળાવમાં ફેરવાયુંઃ હાઈવે ઓથોરિટી મૌન 

vartmanpravah

સરીગામ પ્રીમિયર લીગ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

દમણવાડા સ્‍કૂલમાં આનંદ-ઉત્‍સાહ સાથે કરાયેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

Leave a Comment