November 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી દમણગંગા નદી કિનારે ગણેશ વિસર્જનનો પ્રતિબંધ હટાવાયો : 3 થી 4 ભક્‍તો વિસર્જન કરી શકશે

શ્રીજીની પ્રતિમા સાથે આવેલ ભાવિક ભક્‍તોને ડીજે સાથે યુપીએલ બ્રિજથી પરત ફરવું પડશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વાપી દમણગંગા નદી કિનારે તા.13 થી ગણેશ વિસર્જનનો પ્રતિબંધ હટાવાયો છે. જીઆઈડીસી દ્વારા 3 કિ.મી. લાંબી વરસાદી ગટરની ચાલી રહેલી કામગીરીને ધ્‍યાને રાખી આ વર્ષે દમણગંગા નદી કિનારે વિસર્જન માટે પ્રતિબંધ જાહેર કરાયો હતો જે હટાવી દેવામાં આવ્‍યો છે.
વાપીમાં દર વર્ષે શ્રી ગણેશ વિસર્જન માટે દમણગંગા નદી કિનારે વહિવટી તંત્ર પોલીસ, ફાયર વિભાગ તરફથી વ્‍યવસ્‍થા કરવામાં આવતી હતી. પરંતુ કિનારે વરસાદી પાણી ગટરની ચાલતી કામગીરીને લઈ ગણેશ વિસર્જન માટે પ્રતિબંધ જાહેર કરાયો હતો. લોકો અજાણ હોવાથી દોઢ અને પાંચ દિવસીય ગણેશનું વિસર્જન કરવા દમણગંગાપહોંચી ગયા હતા પરંતુ પોલીસે રાતા ખાડીએ મોકલી આપ્‍યા હતા. પરંતુ પોલીસે રાતા ખાડીએ મોકલી આપ્‍યા હતા. પરંતુ તા.13 દમણગંગા નદી કિનારે શ્રી ગણેશ વિસર્જન માટેની છૂટ અપાઈ છે. અલબત્ત કિનારા સુધી 3 થી 4 લોકો જઈ શકશે. બાકીના ભક્‍તો ડી.જે. સાથેના કાફલાએ યુ.પી.એલ. બ્રીજથી પરત ફરવું પડશે. આગળ જઈ શકાશે નહી. જો કે દમણગંગા નદી ઉપર વિસર્જન પ્રતિબંધથી લોકોને રાતાખાડી જવું પડતું તેમાં હવે રાહત મળશે.

Related posts

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણની જન્‍મ જયંતિ ઉજવાઈ

vartmanpravah

વાપી પીએફ કચેરીના આસિ. કમિશ્‍નર અને એન્‍ફોર્સમેન્‍ટ ઓફિસરની જામીન અરજી નામંજુર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશના ત્રણેય જિલ્લાના જન પ્રતિનિધિઓની ત્રિ-દિવસીય એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળા સંપન્ન

vartmanpravah

સેલવાસની સનફાર્મા કંપનીના કર્મચારીઓ ઈન્‍દોર ખાતે નહીં જાય તો નોકરીમાંથી છૂટા કરવાની ચીમકી

vartmanpravah

નવસારીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું કિસાન મોરચાના દિપકભાઈ સોલંકીએ કરેલું સ્‍વાગત

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment