October 20, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

કચીગામ ચાર રસ્‍તાથી સોમનાથ જંક્‍શન સુધીનો રસ્‍તો આગામી 13મી ઓક્‍ટોબર સુધી વન-વે જાહેર

સોમનાથ જંક્‍શનથી કચીગામ ચાર રસ્‍તા સુધીના રસ્‍તાનું કરવામાં આવી રહેલું નવનિર્માણ કાર્યઃ તમામ વાહનચાલકો-પ્રવાસીઓને કચીગામ તળાવથી રીંગણવાડાના વૈકલ્‍પિક રસ્‍તાનો ઉપયોગ કરવા અનુરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : કચીગામ ચાર રસ્‍તાથી સોમનાથ જંક્‍શન સુધી સડક નિર્માણના કાર્યનો આરંભ થઈ રહ્યો હોવાથી આજથી લઈને આગામીતા.13મી ઓક્‍ટોબર, 2024 સુધી કચીગામ-સોમનાથ રોડને એકમાર્ગીય રસ્‍તો જાહેર કરવામાં આવ્‍યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે તમામ નાગરિકો અને વાહનચાલકોને સૂચિત કરવામાં આવે છે કે, કચીગામ ચારરસ્‍તાથી લઈને સોમનાથ જંક્‍શન સુધીના રસ્‍તાના નવનિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. જેના કારણે આ રોડને ટૂંકાગાળા કામચલાઉ રૂપે એકમાર્ગીય(વન વે) તરીકે જાહેર કરવામાં આવ્‍યો છે. આ ઉપરાંત તમામ સૂચિત કરવામાં આવે છે કે, આ માર્ગ ઉપર વાહનોને પાર્કિંગ કરવા કે થોભાવવાની પરવાનગી પણ આપવામાં આવી નથી. આ નિર્ણય પ્રવાસીઓ અને નિર્માણ કાર્યમાં સંકળાયેલા કર્મચારીઓની સુરક્ષાને ધ્‍યાનમાં રાખીને કરવામાં આવ્‍યો હોવાનું એમ દમણ જિલ્લા પ્રાદેશિક પ્રચાર અધિકારી અને ડેપ્‍યુટી કલેક્‍ટર (મુખ્‍યાલય) શ્રી રાહુલ દેવ બુરાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
અત્રે યાદ રહે કે, વાહનવ્‍યવહારને સરળ બનાવી રાખવા માટે નાગરિકો અને વાહનચાલકોને અનુરોધ કરવામાં આવ્‍યો છે કે, તેઓ કચીગામ તળાવથી રીંગણવાડાના વૈકલ્‍પિક રસ્‍તાનો ઉપયોગ કરે.

Related posts

ધરમપુર વિરવલ હાઈસ્‍કૂલ વિદ્યાર્થીઓ જર્જરીત ઓરડામાં ભણવા લાચાર : ચોમાસામાં સ્‍થિતિ દયનિય

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વરધામની ધજા સાથેની પદયાત્રાનું દમણથી પ્રસ્‍થાન કરાયું : પ્રગટેશ્વર દાદાના પ્રાગટય દિન અવસરે મંદિરના શિખરે ધજા ચઢાવાશે

vartmanpravah

હિંમતનગર સ્થિત સાબર ટ્રાફિક ઍજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટીઆરબી જવાનોને રેઈનકોટ વિતરણ કરાયા

vartmanpravah

સરીગામની કોરોમંડલ ઈન્‍ટરનેશનલ કંપનીએ ઉમરગામ તાલુકાની શાળામાં પ્રારંભ કરેલો મેજિક ઇંગ્‍લિશ એસએલએલ કાર્યક્રમ

vartmanpravah

આ તે કેવી ભક્‍તિ ? ઉત્‍સવ પૂર્ણ થાય બાદ શ્રીજીની દુર્દશા : ચીખલીમાં ગણેશજીની દસ દિવસ પૂજા-અર્ચના તો કરી પરંતુ વિસર્જન યોગ્‍ય ન કર્યું

vartmanpravah

દમણમાં ચોરીનો આરોપ લગાવી કિશોરને થાંભલા સાથે બાંધી ઢોર માર મારવાના પ્રકરણમાં પોલીસે ત્રણની અટક કરી

vartmanpravah

Leave a Comment