Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

કચીગામ ચાર રસ્‍તાથી સોમનાથ જંક્‍શન સુધીનો રસ્‍તો આગામી 13મી ઓક્‍ટોબર સુધી વન-વે જાહેર

સોમનાથ જંક્‍શનથી કચીગામ ચાર રસ્‍તા સુધીના રસ્‍તાનું કરવામાં આવી રહેલું નવનિર્માણ કાર્યઃ તમામ વાહનચાલકો-પ્રવાસીઓને કચીગામ તળાવથી રીંગણવાડાના વૈકલ્‍પિક રસ્‍તાનો ઉપયોગ કરવા અનુરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : કચીગામ ચાર રસ્‍તાથી સોમનાથ જંક્‍શન સુધી સડક નિર્માણના કાર્યનો આરંભ થઈ રહ્યો હોવાથી આજથી લઈને આગામીતા.13મી ઓક્‍ટોબર, 2024 સુધી કચીગામ-સોમનાથ રોડને એકમાર્ગીય રસ્‍તો જાહેર કરવામાં આવ્‍યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે તમામ નાગરિકો અને વાહનચાલકોને સૂચિત કરવામાં આવે છે કે, કચીગામ ચારરસ્‍તાથી લઈને સોમનાથ જંક્‍શન સુધીના રસ્‍તાના નવનિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. જેના કારણે આ રોડને ટૂંકાગાળા કામચલાઉ રૂપે એકમાર્ગીય(વન વે) તરીકે જાહેર કરવામાં આવ્‍યો છે. આ ઉપરાંત તમામ સૂચિત કરવામાં આવે છે કે, આ માર્ગ ઉપર વાહનોને પાર્કિંગ કરવા કે થોભાવવાની પરવાનગી પણ આપવામાં આવી નથી. આ નિર્ણય પ્રવાસીઓ અને નિર્માણ કાર્યમાં સંકળાયેલા કર્મચારીઓની સુરક્ષાને ધ્‍યાનમાં રાખીને કરવામાં આવ્‍યો હોવાનું એમ દમણ જિલ્લા પ્રાદેશિક પ્રચાર અધિકારી અને ડેપ્‍યુટી કલેક્‍ટર (મુખ્‍યાલય) શ્રી રાહુલ દેવ બુરાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
અત્રે યાદ રહે કે, વાહનવ્‍યવહારને સરળ બનાવી રાખવા માટે નાગરિકો અને વાહનચાલકોને અનુરોધ કરવામાં આવ્‍યો છે કે, તેઓ કચીગામ તળાવથી રીંગણવાડાના વૈકલ્‍પિક રસ્‍તાનો ઉપયોગ કરે.

Related posts

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ ઝૂંબેશને સંદર્ભે ભીમપોરમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

સરકારે નક્કી કરેલા દર પ્રમાણે લઘુત્તમ વેતન નહીં ચુકવાતા નરોલી ગામની પર્લ થેર્મોપ્‍લાસ્‍ટ પ્રાઇવેટ લી.ના કામદારો પગાર મુદ્દે હડતાલ પર

vartmanpravah

હેલ્‍પીંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ, કિડની કેર મહેતા હોસ્‍પિટલ, અને લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ દ્વારા નેશનલ ડોક્‍ટર્સ ડે ની કરાયેલુ ઉજવણી

vartmanpravah

ભ્રમણા જાળમાં ફસાયેલી ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસન- દાનહ અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમના ગ્રાહકોની રૂા.1000 કરોડ કરતા વધુની ડિપોઝીટ, રૂા.પ000 કરોડની માર્કેટ વેલ્‍યુ છતાં ટોરેન્‍ટ પાવર સાથે રૂા.પપપ કરોડનો સોદો !!

vartmanpravah

નવસારી-વિજલપોર નગરપાલિકાના વિસ્તારમાં રૂા.૧૨૯૮.૮૨/- લાખના ખર્ચે નિર્મિત ૨૧ એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટ તથા વોટર એટીએમનું લોકાર્પણ કરતાં નવસારી સાંસદ સી.આર.પાટીલ

vartmanpravah

વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘની મિટિંગ યોજાઈ : સદસ્‍યતા અભિયાનની માહિતી અપાઈ

vartmanpravah

Leave a Comment