October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સફળ પ્રયાસોથી ગોવા સ્‍ટેટ કો.ઓ. બેંકે દમણ-દીવ કો.ઓ.બેંકના બાકી નિકળતા તમામ નાણાં કુલ રૂા.102 કરોડની કરેલી ચૂકવણી

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીર્ઘદૃષ્‍ટિ વાપરી તે સમયના ડાયરેક્‍ટર બોર્ડને બર્ખાસ્‍ત કરી બેંકનો હવાલો એડમિનિસ્‍ટ્રેટરને સુપ્રત કર્યા બાદ બેંકની આર્થિક સ્‍થિતિમાં પણ થઈ રહેલો નિરંતર સુધારો તથા દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકને ભારતીય રિઝર્વ બેંકનું લાયસન્‍સ મેળવવા પણ મળેલી સફળતા

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : 1લી એપ્રિલ, 2017ના રોજથી ગોવા સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકનું વિભાજન થઈ નવી બેંક દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની સ્‍થાપના થઈ હતી. વિભાજન દરમિયાન રૂા.102 કરોડ ગોવા સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક પાસેથી દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકે લેવાના બાકી હતા.
દરમિયાન સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે બાકી નિકળતા નાણાં પરત મેળવવા માટે ગોવાના મુખ્‍યમંત્રી સહિત મંત્રીઓ સાથે આ વિષય ઉપર ચર્ચા કરી આ મુદ્દાને કેન્‍દ્ર સરકારના સ્‍તર ઉપર પણ ઉઠાવાયો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સફળ પ્રયાસથી ગઈકાલે બાકી નિકળતા નાણાં રૂા.3.92 કરોડ પણ દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના ખાતામાં જમા થતાં ગોવા કો-ઓપરેટિવ બેંક પાસે નિકળતા રૂા.102 કરોડની સંપૂર્ણ રાશી મળી ચુકી છે.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દીર્ઘદૃષ્‍ટિ વાપરી તે સમયના ડાયરેક્‍ટર બોર્ડને બર્ખાસ્‍ત કરી બેંકનો હવાલો એડમિનિસ્‍ટ્રેટરને સુપ્રત કર્યા બાદ બેંકની આર્થિક સ્‍થિતિમાં પણ સુધારો થયો છે અને ભારતીય રિઝર્વ બેંકનું લાયસન્‍સ પણ દમણ અને દીવ કો-ઓપરેટિવ બેંકને મળવા પામ્‍યું છે.
છેલ્લા ત્રણ વર્ષમાં દમણ-દીવ સ્‍ટેટકો-ઓપરેટિવ બેંકે એડમિનિસ્‍ટ્રેટરના કુશળ માર્ગદર્શનમાં ફક્‍ત નુકસાનને જ ઓછું નથી કર્યું, પરંતુ નફામાં પણ વધારો કર્યો છે. એટલું જ નહીં પરંતુ બેંકના ઋણ અને જમાના કારોબારમાં પણ વધારો થયો છે. બેંકે ભારતીય રિઝર્વ બેંકના તમામ પેરામીટરનો પાલન કરવાના કારણે ભારતીય રિઝર્વ બેંકે દમણ અને દીવ કો-ઓપરેટિવ બેંકને લાયસન્‍સ પણ જારી કર્યું છે.
અત્રે યાદ રહે કે, રૂા.102 કરોડની રાશી મળવાથી દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની આર્થિક સ્‍થિતિમાં ઔર વધુ સુધારો થશે જેનાથી ખાતાધારકો અને આમજનતાને તેનો ફાયદો મળશે.

Related posts

પારડીમાં તિરંગા બાઈક રેલી યોજાઈ : આઝાદીના 75માં વર્ષની ઊજવણીમાં યુવાધન હિલોળે ચઢયું

vartmanpravah

હવેથી દમણ મામલતદાર કાર્યાલયમાં જમીન મહેસૂલ ભરવાની પ્રક્રિયાઓનલાઈન: જમીન મહેસૂલની ચુકવણીની ઓફલાઈન પ્રક્રિયા તાત્‍કાલિક અસરથી બંધ

vartmanpravah

રાષ્‍ટ્રીય શાળા રમત સ્‍પર્ધા-2023 દિલ્‍હી અને ગ્‍વાલિયર ખાતે યોજાયેલ અંડર-19 બેડમિન્‍ટન રમતમાં સંઘપ્રદેશના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન

vartmanpravah

વલસાડ જિલ્લામાં કેરીમાં ફળ કપાસી (સ્‍પોન્‍જીટીસ્‍યુ) અટકાવવા 80 ટકા પરિપક્‍વતા ફળ તોડવા અનુરોધ

vartmanpravah

વાપીમાં એસ.સી., એસ.ટી. સમુદાય દ્વારા ભારત બંધ એલાનના સમર્થનમાં રેલી યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી હોવાનો વટ બતાવી વાપી બગવાડા સ્‍થિત શુભમ ગ્રીન સીટીના બિલ્‍ડરે સોસાયટીના રહેવાસીઓ સાથે કરેલી છેતરપિંડીઃ મામલતદારને પણ ગુમરાહ કર્યા

vartmanpravah

Leave a Comment