April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherતંત્રી લેખદમણદીવદેશ

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણી લગભગ માત્ર ઔપચારિકઃ દમણ-દીવ બેઠક માટે ચાલી રહેલો તેજ ગતિથી અંડરકરંટ

દાનહના ઊંડાણના આદિવાસીઓનું રૂખ કઈ તરફ ઢળે તેના ઉપર રહેશે વિજયની સરસાઈનો આધાર

દમણ-દીવ બેઠકના પ્રચાર યુદ્ધમાં ભાજપના લાલુભાઈ પટેલ સૌથી આગળઃ અપક્ષ ઉમેશભાઈ પટેલ સોશિયલ મીડિયા ઉપર મુસ્‍તાક જ્‍યારે કોંગ્રેસના કેતનભાઈ પટેલે અપનાવેલી વ્‍યુહાત્‍મક પ્રચારની નીતિ

લોકસભાની દાદરા નગર હવેલી અને દમણ-દીવ બેઠકની ચૂંટણી આગામી તા.7મી મેના રોજ નિર્ધારિત છે. ગઈકાલે ઉમેદવારી પત્રક પરત ખેંચાવાના અંતિમ દિવસ બાદ હવે લોકસભાની આ બંને બેઠકો ઉપર ચિત્ર પણ સ્‍પષ્‍ટ બન્‍યું છે.
લોકસભાની દાદરા નગર હવેલી બેઠકમાં ભાજપના શ્રીમતી કલાબેન ડેલકર સામે કોંગ્રેસના શ્રી અજીતભાઈ માહલા અને ભારત આદિવાસી પાર્ટીના શ્રી દિપકભાઈ કુરાડા વચ્‍ચે મુખ્‍ય મુકાબલો રહેશે એવું દેખાય છે. પરંતુ આ ચૂંટણી લગભગ ઔપચારિક જ બની રહેશે એવું આકલન પણ રાજકીય નિરીક્ષકો વ્‍યક્‍ત કરી રહ્યા છે. છતાંઊંડાણના આદિવાસી વિસ્‍તારનો અંડરકરંટ કોને દઝાડે અને કોને તારે તે હાલના તબક્કે અટકળનો વિષય છે.
લોકસભાની દમણ અને દીવ બેઠકમાં ભાજપના શ્રી લાલુભાઈ પટેલની સામે કોંગ્રેસના શ્રી કેતનભાઈ પટેલ અને અપક્ષ શ્રી ઉમેશભાઈ પટેલ વચ્‍ચે મુખ્‍ય જંગ રહેવાનો છે. હાલની તારીખે પ્રચાર યુદ્ધમાં ભાજપના શ્રી લાલુભાઈ પટેલ સૌથી વધુ આગળ છે. જ્‍યારે અપક્ષ શ્રી ઉમેશભાઈ પટેલ પોતાના સોશિયલ મીડિયા દ્વારા રજૂ કરાતી ક્‍લિપો ઉપર મુસ્‍તાક છે અને શ્રી કેતનભાઈ પટેલે વ્‍યુહાત્‍મક પ્રચારની નીતિ અપનાવેલી હોવાનું સમજાય છે.
અત્રે નોંધનીય છે કે, દમણ અને દીવની બેઠક માટે અંડરકરંટ ખુબ જ તીવ્ર ગતિથી ચાલી રહ્યો છે અને લોકો મૌન છે. દરેક ઉમેદવારોને આવકાર આપવામાં કોઈ કચાશ રાખતા નથી, પરંતુ પોતાનું મન પણ કળવા દેતા નથી. આ સંકેત તોફાન પહેલાની શાંતિ જેવો દેખાય છે. ત્‍યારે આવતા દશ દિવસમાં દમણ-દીવ બેઠકનું ઘડતર કેવું થાય તેના ઉપર ચૂંટણીના ગણિતનો આધાર રહેશે એવું માનવામાં આવી રહ્યું છે.

Related posts

વાપી ડેપોની મહિલા કન્‍ડકટરે ઈમાનદારીની મિશાલ જગાવી

vartmanpravah

લો..હવે..ઘરફોડ ચોરી બાદ વાહનોનો વારો: પારડી નગર પાલિકાના ત્રણ વાહનોમાંથી બેટરી ચોરાઈ

vartmanpravah

નવસારી જેસીઆઈ દ્વારા ‘જેસીઆઈ વીક’ની ધામધૂમથી ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના હસ્‍તે જિલ્લામાં મેગા સફાઈ અભિયાનનો સર્કિટ હાઉસથી પ્રારંભ કરાયો

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ પીએમ-સૂરજ પોર્ટલ સહિત અનેકવિધ યોજનાઓનું ઈ-લોન્‍ચિંગ કર્યું

vartmanpravah

ધરમપુરના માલનપાડામાં યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment