Vartman Pravah
Breaking NewsOtherતંત્રી લેખદમણદીવદેશ

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણી લગભગ માત્ર ઔપચારિકઃ દમણ-દીવ બેઠક માટે ચાલી રહેલો તેજ ગતિથી અંડરકરંટ

દાનહના ઊંડાણના આદિવાસીઓનું રૂખ કઈ તરફ ઢળે તેના ઉપર રહેશે વિજયની સરસાઈનો આધાર

દમણ-દીવ બેઠકના પ્રચાર યુદ્ધમાં ભાજપના લાલુભાઈ પટેલ સૌથી આગળઃ અપક્ષ ઉમેશભાઈ પટેલ સોશિયલ મીડિયા ઉપર મુસ્‍તાક જ્‍યારે કોંગ્રેસના કેતનભાઈ પટેલે અપનાવેલી વ્‍યુહાત્‍મક પ્રચારની નીતિ

લોકસભાની દાદરા નગર હવેલી અને દમણ-દીવ બેઠકની ચૂંટણી આગામી તા.7મી મેના રોજ નિર્ધારિત છે. ગઈકાલે ઉમેદવારી પત્રક પરત ખેંચાવાના અંતિમ દિવસ બાદ હવે લોકસભાની આ બંને બેઠકો ઉપર ચિત્ર પણ સ્‍પષ્‍ટ બન્‍યું છે.
લોકસભાની દાદરા નગર હવેલી બેઠકમાં ભાજપના શ્રીમતી કલાબેન ડેલકર સામે કોંગ્રેસના શ્રી અજીતભાઈ માહલા અને ભારત આદિવાસી પાર્ટીના શ્રી દિપકભાઈ કુરાડા વચ્‍ચે મુખ્‍ય મુકાબલો રહેશે એવું દેખાય છે. પરંતુ આ ચૂંટણી લગભગ ઔપચારિક જ બની રહેશે એવું આકલન પણ રાજકીય નિરીક્ષકો વ્‍યક્‍ત કરી રહ્યા છે. છતાંઊંડાણના આદિવાસી વિસ્‍તારનો અંડરકરંટ કોને દઝાડે અને કોને તારે તે હાલના તબક્કે અટકળનો વિષય છે.
લોકસભાની દમણ અને દીવ બેઠકમાં ભાજપના શ્રી લાલુભાઈ પટેલની સામે કોંગ્રેસના શ્રી કેતનભાઈ પટેલ અને અપક્ષ શ્રી ઉમેશભાઈ પટેલ વચ્‍ચે મુખ્‍ય જંગ રહેવાનો છે. હાલની તારીખે પ્રચાર યુદ્ધમાં ભાજપના શ્રી લાલુભાઈ પટેલ સૌથી વધુ આગળ છે. જ્‍યારે અપક્ષ શ્રી ઉમેશભાઈ પટેલ પોતાના સોશિયલ મીડિયા દ્વારા રજૂ કરાતી ક્‍લિપો ઉપર મુસ્‍તાક છે અને શ્રી કેતનભાઈ પટેલે વ્‍યુહાત્‍મક પ્રચારની નીતિ અપનાવેલી હોવાનું સમજાય છે.
અત્રે નોંધનીય છે કે, દમણ અને દીવની બેઠક માટે અંડરકરંટ ખુબ જ તીવ્ર ગતિથી ચાલી રહ્યો છે અને લોકો મૌન છે. દરેક ઉમેદવારોને આવકાર આપવામાં કોઈ કચાશ રાખતા નથી, પરંતુ પોતાનું મન પણ કળવા દેતા નથી. આ સંકેત તોફાન પહેલાની શાંતિ જેવો દેખાય છે. ત્‍યારે આવતા દશ દિવસમાં દમણ-દીવ બેઠકનું ઘડતર કેવું થાય તેના ઉપર ચૂંટણીના ગણિતનો આધાર રહેશે એવું માનવામાં આવી રહ્યું છે.

Related posts

વાપી ફાટક ઉપર જયપુર બાન્દ્રા ટ્રેન રાતે થોભી ગઈ, ટ્રેનનું ચેકિંગ કરાયું : મુસાફરોમાં અજુગતુ થયાનો ભય ફેલાયો

vartmanpravah

નાનાપોંઢા બજાર હવે દર રવિવારે ચાલું રહેશે : ગ્રામ પંચાયતે કરેલીજાહેરાત

vartmanpravah

ભારત ખાતેના અમેરિકી કાઉન્‍સિલ જનરલ માઈક હૈંકીએ દમણની લીધેલી મુલાકાત

vartmanpravah

વાપી ચલા કોટક મહિન્‍દ્રા બેંકના મેનેજરએ વલસાડ જુજવાગામે પોતાના બંગલામાં ફાંસો ખાઈ લેતા ચકચાર

vartmanpravah

વલસાડ જિલ્લાના યાત્રાધામો અને ધાર્મિક સ્‍થળોને હરિયાળા બનાવવા માટે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં સૌ પ્રથમવાર કકવાડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને NQAS પ્રમાણપત્ર એનાયત

vartmanpravah

Leave a Comment