April 19, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજથી ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ સંઘપ્રદેશના ત્રણ દિવસના પ્રવાસેઃ દમણ-દીવ અને દાનહ ઉપ રાષ્‍ટ્રપતિના સત્‍કાર માટે સજ્જ

ઉપ રાષ્‍ટ્રપતિ મોટી દમણના જમ્‍પોર ખાતે એવિઅરિ(પક્ષીઘર)નું ઉદ્‌ઘાટન કરશે

ઉપ રાષ્‍ટ્રપતિ આવતી કાલે સેલવાસ સ્‍થિત નમો મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઇન્‍સ્‍ટિટયૂટની મુલાકાત લેશે

ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ 22મી સપ્‍ટેમ્‍બરે પ્રધાનમંત્રી આવાસ યોજના(PMAY અર્બન) ફલેટ્‍સ ઘોઘલા અને STPદીવનું ઉદ્‌ઘાટન કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.19 : ઉપ રાષ્‍ટ્રપતિ, શ્રી જગદીપ ધનખડ 20થી 22 સપ્‍ટેમ્‍બર, 2024 દરમિયાન કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની ત્રણ દિવસીય મુલાકાત લેશે. ઉપ રાષ્‍ટ્રપતિની આ કેન્‍દ્ર શાસિત પ્રદેશની પ્રથમ મુલાકાત હશે.
આ પ્રવાસ દરમિયાન ઉપ રાષ્‍ટ્રપતિ અનેક મુખ્‍ય માળખાકીય સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્‍ટ્‍સની મુલાકાત લેશે અને ઉદ્‌ઘાટન કરશે. ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ 20મી સપ્‍ટેમ્‍બરના રોજ મોટી દમણના ખાતે જમ્‍પોર ખાતે એવિઅરિ (પક્ષીઘર)નું ઉદ્‌ઘાટન કરશે. તેઓ દમણમાં હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટર(આરોગ્‍ય મંદિર), સરકારી એન્‍જિનિયરિંગ કોલેજ અને રીંગણવાડા ખાતે વરકુંડ પંચાયત અને રીંગણવાડા શાળાની પણ મુલાકાત લેશે.
21 સપ્‍ટેમ્‍બરના રોજ શ્રીધનખડ દાદરા નગર હવેલીમાં સેલવાસ સ્‍થિત નમો મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઇન્‍સ્‍ટિટયૂટની મુલાકાત લેશે, જ્‍યાં તેઓ વિદ્યાર્થીઓ અને ફેકલ્‍ટી સભ્‍યો સાથે વાર્તાલાપ કરશે. તેઓ ડોકમર્ડી ઓડિટોરિયમ ખાતે વેસ્‍ટ ઝોન કલ્‍ચરલ સેન્‍ટર દ્વારા આયોજિત જાહેર કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
બીજા દિવસે બપોરે ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ દીવમાં સ્‍થાનિક પંચાયતો અને નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. વધુમાં, શ્રી ધનખડ ખુખરી વેસલ અને દીવના કિલ્લા સહિત મુખ્‍ય સ્‍થળોની મુલાકાત લેશે. જ્‍યારે 22 સપ્‍ટેમ્‍બરે ઉપ રાષ્‍ટ્રપતિશ્રી દીવમાં ઘોઘલા બ્‍લુ ફલેગ બીચ અને ઘોઘલા ટેન્‍ટ સિટીની મુલાકાત લેશે. તેઓ ઘોઘલામાં પ્રધાનમંત્રી આવાસ યોજના PMAY(શહેરી) ફલેટ્‍સ અને દીવમાં સુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ (STP)નું ઉદ્‌ઘાટન કરશે. શ્રી ધનખડ તેમના પ્રવાસના અંતિમ દિવસે દીવમાં કેવડી ખાતેના એજ્‍યુકેશન હબની પણ મુલાકાત લેશે.
ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ધનખડની સંઘપ્રદેશ યાત્રાને યાદગાર અને સફળ બનાવવા માટે પ્રશાસન દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ધનખડને વધાવવા માટે થનગની રહ્યું છે.

Related posts

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીની જી.ટી.યુ. ના ટોપ ટેનમાં સિધ્‍ધિ

vartmanpravah

દાદરા નગર હવેલી ‘‘વારલી સમાજ સંગઠન” દ્વારા પ્રદેશના સ્‍થાનિક આદિવાસીઓને ફેક્‍ટરીઓમાં નોકરીમાં પ્રાથમિકતા આપવા કલેક્‍ટરશ્રીને કરેલી રજૂઆત

vartmanpravah

વલસાડના ઉમરગામના ખેડૂતની નવી પહેલ, પ્રાકૃતિક ખેતીનો વ્‍યાપ વિસ્‍તરે તે માટે ખેડૂતોને નિઃશૂલ્‍ક જીવામૃતનું વિતરણ કર્યું

vartmanpravah

વલસાડ જિલ્લામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

vartmanpravah

સાવધાન….!: દાનહ અને દમણમાં 10 દિવસના વિરામ બાદ 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

દમણગંગા મધુબન જળાશય યોજનામાં જમીન ગુમાવનારા દાનહના આદિવાસી પરિવારોએ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં કરેલી ન્‍યાયની માંગ

vartmanpravah

Leave a Comment