(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૬: રાષ્ટ્રીય વિધિ સેવા પ્રાધિકરણ નવી દિલ્હી તેમજ દાદરા નગર હવેલી તેમજ દમણ-દીવ વિધિ સેવા પ્રાધિકરણ નિર્દેશ પ્રમાણે જિલ્લા વિધિ સેવા પ્રાધિકરણ દ્વારા ૧૧ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦.૦૦થી બપોરે ૨.૦૦ સુધી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન સેલવાસ ડીસ્ટ્રીકટ કોર્ટ ખાતે યોજવામા આવશે.
જિલ્લા ન્યાયાલયના સિવિલ તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી ધીરજ કાલેઍ જણાવ્યું કે, આ રાષ્ટ્રીય લોક અદાલતમા ચેક બાઉન્સ, રિકવરી, જમીન અધિગ્રહણ, કામદાર, વૈવાહિક તેમજ બીજા કેસોના સમાધાન માટે પ્રયાસ કરવામા આવશે. આ રાષ્ટ્રીય લોક અદાલતમાં સરકારના ગાઇડ લાઇન્સ પ્રમાણે કોવિદ-૧૯ને ધ્યાનમાં રાખી તેના નિયમોનો સખ્તપણે પાલન કરવામા આવશે. આ રાષ્ટ્રીય લોક અદાલતનો સમય સવારે ૧૦ થી બપોરે ૨ વાગ્યા સુધી છે પણ કોઈ કેસ લાંબો સમય ચાલશે તો સમય લંબિત પણ કરવામા આવશે.
Previous post