March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવવાપીસેલવાસ

દાનહ જિલ્લા ન્યાયાલય ખાતે ૧૧ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન 

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૬: રાષ્ટ્રીય વિધિ સેવા પ્રાધિકરણ નવી દિલ્હી તેમજ દાદરા નગર હવેલી તેમજ દમણ-દીવ વિધિ સેવા પ્રાધિકરણ નિર્દેશ પ્રમાણે જિલ્લા વિધિ સેવા પ્રાધિકરણ દ્વારા ૧૧ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦.૦૦થી બપોરે ૨.૦૦ સુધી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન સેલવાસ ડીસ્ટ્રીકટ કોર્ટ ખાતે યોજવામા આવશે.
જિલ્લા ન્યાયાલયના સિવિલ તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી ધીરજ કાલેઍ જણાવ્યું કે, આ રાષ્ટ્રીય લોક અદાલતમા ચેક બાઉન્સ, રિકવરી, જમીન અધિગ્રહણ, કામદાર, વૈવાહિક તેમજ બીજા કેસોના સમાધાન માટે પ્રયાસ કરવામા આવશે. આ રાષ્ટ્રીય લોક અદાલતમાં સરકારના ગાઇડ લાઇન્સ પ્રમાણે કોવિદ-૧૯ને ધ્યાનમાં રાખી તેના નિયમોનો સખ્તપણે પાલન કરવામા આવશે. આ રાષ્ટ્રીય લોક અદાલતનો સમય સવારે ૧૦ થી બપોરે ૨ વાગ્યા સુધી છે પણ કોઈ કેસ લાંબો સમય ચાલશે તો સમય લંબિત પણ કરવામા આવશે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય પ્રવાસન અને સંસ્‍કૃતિ મંત્રી જી. કિશન રેડ્ડી સાથે કરેલી મુલાકાત

vartmanpravah

વલસાડ જિલ્લામાં લોકડાયરાના માધ્‍યમ થકી રાજ્‍ય સરકારની યોજનાઓનો પ્રચાર પ્રસાર

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ધોરણ-10 અને 12નું પરિણામ જાહેર

vartmanpravah

ધરમપુરમાં પરંપરાગત રાજાશાહીથી રમાતી નારિયેળ ટપ્‍પાની રમત સાથે દિવાસાની ઉજવણી

vartmanpravah

ડાહ્યાભાઈ પટેલ કોંગ્રેસના સાંસદ હોવા છતાં તેમણે એનડીએ સરકાર સાથે રાખેલા તાલમેલના કારણે દમણ-દીવના કામોને પણ મળેલી અગ્રતા

vartmanpravah

વલસાડ બ્રહ્મસમાજનું ગૌરવ, શિવાની આચાર્ય પીએચડી થયા

vartmanpravah

Leave a Comment