Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિશ્વ હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ધરમપુરમાં તા.29 સપ્‍ટેમ્‍બરે યોગ શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત યોગ શિબિરનું આયોજન તા.29 સપ્‍ટેમ્‍બરને રવિવારના રોજ સવારે 6 થી 8 વાગ્‍યા સુધી દક્ષિણ ઝોનના ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ ધરમપુર તાલુકાના બામટી ગામે લાલ ડુંગરી ગ્રામ પંચાયતના મેદાન પર કરવામાં આવ્‍યું છે.
આ યોગ શિબિરમાં હૃદયને લગતા આસન, પ્રાણાયામ, વિવિધ મુદ્રાઓ, જીવનશૈલી, ભોજન પદ્ધતિ વગેરેનું માર્ગદર્શન તજજ્ઞ દ્વારા આપવામાં આવશે. હૃદય રોગના નિષ્‍ણાત ડોક્‍ટર અકેન દેસાઈ પ્‍ઝ (પ્‍ફૂફુશણૂશઁફૂ) ઝશ્વફગ્‍(ર્ઘ્‍ીશ્વફુશંશ્રંશિંતદ્દ) દ્વારા હૃદય રોગના કારણ, લક્ષણ અને નિદાન વિષયમાંસંવાદ કરવામાં આવશે. આ પ્રસંગે લોકસભાના દંડકશ્રી અને વલસાડ-ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા અને ધરમપુરના ધારાસભ્‍યશ્રી અરવિંદભાઈ પટેલ ઉપસ્‍થિત રહેશે.
આ સંપૂર્ણ કાર્યક્રમની તૈયારી માટે જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રીતિબેન વૈષ્‍ણવ અને જિલ્લાની યોગ ટીમ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. જાહેર જનતાને આ શિબિરનો લાભ લેવા યોગ બોર્ડ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે. યોગ શિબિર પૂર્ણ થયા બાદ 8 વાગ્‍યાથી દરેક શિબિરાર્થી માટે શ્રીમદ રાજચંદ્ર હોસ્‍પિટલ ધરમપુર તરફથી ફ્રી આંખની તપાસ અને ચશ્‍મા વિતરણનો કેમ્‍પ યોજવામાં આવશે જેમાં સાથે ફ્રી એનિમિયાની તપાસ (શરીરમાં હિમોગ્‍લોબીનનું પ્રમાણ) તેમજ ઘ્‍ભ્‍ય્‍ ની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. વધુ વિગત માટે વલસાડ જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રીતિબેન વૈષ્‍ણવનો મો.નં. 9998213149, અશ્વિનભાઈ બસ્‍તાનો મો.નં. 9879622376, શિવમભાઈ ગુપ્તાનો મો.નં. 7359037834 અને રેણુકાબેન નિમાવતનો મો.નં. 8320310436 પર સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રના સહયોગથી ધરમપુરના લેડી વિલ્‍સન મ્‍યુઝિયમમાં ચાલી રહેલા વેકેશન વર્કશોપમાં વિદ્યાર્થીઓને સાંજે ટેલીસ્‍કોપથી કરાવાતું આકાશદર્શન

vartmanpravah

વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ વલસાડની ૩૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈઃ કારોબારી પ્રમુખ તરીકે ફરીવાર બળવંતસિંહ સોલંકીની નિમણૂંક

vartmanpravah

ધરમપુરમાં સ્‍વામી વિવેકનંદજીની 162મી જન્‍મજયંતી રંગેચંગે ઉજવાઈ: 3000 યુવાનોએ રેલી અને સંમેલનમાં ભાગ લીધો

vartmanpravah

મોજ-મસ્‍તી કરવા દમણ આવેલા દારૂડિયાઓને કોળી પટેલ સમાજના હોલમાં આશરો આપવો તે સમાજના બંધારણની અવહેલનાઃ યુવા આગેવાન અને ધારાશાષાી મયંકભાઈ પટેલ

vartmanpravah

દાનહ લોકસભાની બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર અજીત માહલાએ પ્રચંડ રેલી યોજી ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

સિલધા ગામના આબાડપાણી ફળિયામાં રસ્‍તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah

Leave a Comment