March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભિલાડ પોલીસ મથકના નવ નિયુક્‍ત પીએસઆઈ આર.પી.દોડીયાનુ એસ.આઈ.એ.ના અગ્રણી ઉદ્યોગપતિએ કરેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના હોલમાં શુક્રવારના રોજ સાંજે એસઆઈએ પ્રમુખ શ્રી નિર્મલભાઈ દૂધાનીની અધ્‍યક્ષ સ્‍થાન અને સેક્રેટરી શ્રી કૌશિકભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભીલાડ પોલીસ મથકમાં નવા નિયુક્‍ત થયેલા પી.એસ.આઈ. શ્રી આર.પી. દોડિયાનો સત્‍કાર સમારંભ યોજાયો હતો. એસ.આઈ.એ. સેક્રેટરી શ્રી કૌશિકભાઈ પટેલે નવા પી.એસ.આઈ.ને સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનથી વાકેફ કરી, સરીગામ જીઆઈડીસીમાં ફાયર સ્‍ટેશન, કેમેરા સિસ્‍ટમ અને મોટા એકમોમાં સેફટીની સુવિધા સહિત ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરની જાણકારી આપી હતી. અને એસ્‍ટેટમાં આકસ્‍મિક ઘટના સમયે ભીલાડ પોલીસ મથક દ્વારા મળી રહેતો સહયોગ મળતો રહે તેવી આશા વ્‍યક્‍ત કરી હતી. એસ.આઈ.એ.નાં પૂર્વ પ્રમુખ શ્રી કમલેશભાઈ ભટ્ટેએસ્‍ટેટમાં પોલીસ મથક સ્‍થાપવા માટે તૈયાર કરેલી ફાઇલની પ્રોસેસ ઘણા સમયથી અટકી પડી હોવાની યાદ તાજી કરી હતી.
ભીલાડ પોલીસ મથકમાં નવા નિયુક્‍ત થયેલા પી.એસ.આઈ. શ્રી આર.પી. દોડિયાએ એસ્‍ટેટમાં કેમેરાની કામગીરીની પ્રશંસા કરી હતી. અને વડોદરા ઈન્‍ડસ્‍ટ્રીઝ એસ્‍ટેટમાં કરેલી કામગીરી સરીગામ એસ્‍ટેટમાં કામ કરવા અગવડતા નહિ પડે હોવાનું જણાવી કાયદાકીય રીતે પૂરતો સહયોગ આપવા આશ્વાસન આપ્‍યું હતું.
સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનનાં સત્‍કાર સમારંભ પ્રસંગે નોટિફાઇડ અધિકારી શ્રી નીતિનભાઈ ઓઝા, શ્રી દામોદરભાઈ પારેખ, શ્રી આનંદભાઈ પટેલ, શ્રી દિલીપભાઈ ભંડારી, શ્રી સજ્જન મુરારકા, શ્રી મધુકર જોશવા, શ્રી સમિમ રીઝવી, શ્રી સ્‍વપિ્નલ પાટીલ, શ્રી સપન ઠાકર સહિત સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન કમિટીનાં સભ્‍યો અને સિનિયર ઉદ્યોગપતિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં સીબીએસઈ વિદ્યાર્થીઓએ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ધાર્મિક યજ્ઞ સાથે કરી

vartmanpravah

દીવમાં તથા વણાકબારામાં નવા એસએચઓની નિયુક્‍તિ

vartmanpravah

વલસાડ કાંજણહરી ગામે શરાબ-કબાબની મહેફિલ માણતા સરપંચ-સંઘના પ્રમુખ સહિત 41 ઝડપાયા

vartmanpravah

વાપીમાં છઠ્ઠ પૂજાની ભવ્‍ય ઉજવણી : હજારો ભાવિકાઓ સૂર્યનારાયણ ભગવાનનો અર્ઘ્ય અભિષેક કર્યો

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલતી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના અંતિમ દિવસે ‘‘કૃષ્‍ણ સુદામા ચરિત્ર”નું કરાયેલું વર્ણન

vartmanpravah

સેલવાસ ટોકરખાડા શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment