April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લા ક્‍વોરી ઓનર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્‍યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો રાખેલો મક્કમ નિર્ધાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.06: ક્‍વોરી ઉદ્યોગ સંબંધિત કામદારોની રોજગારી, ટ્રાન્‍સપોર્ટ સહિતના નાના-મોટા ઉદ્યોગને આર્થિક નુકશાન અંગેની જવાબદારી પણ સરકારની રહેશે તેમ જણાવાયુંછે.
નવસારી જિલ્લા ક્‍વોરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ સલીમભાઈ પટેલ, ઉપપ્રમુખ શૈલેન્‍દ્રસિંહ રાજપૂત સહિતના હોદ્દેદારો સભ્‍યો દ્વારા જિલ્લા કલકેટર ક્ષિપ્રા આગ્રેને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે ક્‍વોરી ઉદ્યોગને લગતા લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ આવેલ નથી. હાલમાં પર્યાવરણીય મંજૂરી અને ખાણકામ આયોજન કારણસર રાજ્‍યની અંદાજીત 60-ટકા થી વધુ ખાણોના રોયલ્‍ટી એકાઉન્‍ટ બંધ કરી દેવામાં આવેલ છે. જિલ્લા સ્‍તરની પર્યાવરણીય કમિટી દ્વારા ઇસ્‍યુ કરવામાં આવેલ તમામ ઇસી રાજ્‍ય સ્‍તરની પર્યાવરણ કમિટી દ્વારા રીએપ્રિસલની કાર્યવાહી 26/10/24 સુધીમાં પૂર્ણ નહિ થાય તો રાજ્‍યભરની બાકી રહેલ ખાણોના પણ એટીઆર બંધ થનાર છે.
ક્‍વોરી ઉદ્યોગને સ્‍પર્શતા પાયારૂપ પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત બ્‍લેક ટ્રેપ ક્‍વોરી ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન દ્વારા અગાઉ વારંવાર રજૂઆત કરાતા જાન્‍યુઆરી-11, ડિસેમ્‍બર-16, 18અને મે-22 માં સરકાર દ્વારા કમિશનરની સહી થી લેખિત બાહેંધરી આપવામાં આવેલ હતી જેના બે વર્ષથી વધુનોસમય વીતવા છતાં નિરાકરણ આવ્‍યું નથી.
ગુજરાતનો ક્‍વોરી ઉદ્યોગ રોયલ્‍ટી ઉપરાંત જીએસટી, ઇન્‍કમટેક્‍સની સ્‍થાઇ આવક સરકારને આપે છે. રોજગારીની મહત્તમ તકો ઊભી કરવા ઉપરાંત પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્રે કલ્‍યાણયોજનામાં નિયમિત યોગદાન છે. આગામી સમયમાં ક્‍વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારોની રોજગારીની જવાબદારી, સંકળાયેલ ટ્રાન્‍સપોર્ટ ઉદ્યોગ તથા અન્‍ય નાના મોટા ઉદ્યોગોની આર્થિક નુકસાન અંગે સરકારશ્રીની જવાબદારી રહેશે.

Related posts

‘સંકલ્‍પ સપ્તાહ – સબકી આકાંક્ષાયેં – સબકા વિકાસ’ અંતર્ગત શુક્રવારે દમણ કૃષિ વિભાગ દ્વારા કચીગામના સરકારી કૃષિ ફાર્મમાં કૃષિ મહોત્‍સવ યોજાશે

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ (ગ્રાન્‍ટેડ) રંગોળી અને દિવડા શણગાર સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

દાનહના મસાટ ખાતેની સન પ્‍લાસ્‍ટિક કંપનીમાં કામ કરતા યુવાનની તબિયત બગડતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

વલસાડ ખાતે ગ્રાહકોની સમસ્‍યાઓ અને ખાદ્ય સુરક્ષા પર સેમિનાર યોજાયો

vartmanpravah

દાનહ એનએસએસના વોલ્‍યુન્‍ટરો રાજપુરા પંજાબ ખાતે રાષ્‍ટ્રીય એક્‍તા શિબિરમાં ભાગ લેશે

vartmanpravah

દમણના ઉપ વન સંરક્ષક જોજોના અણઘડ વહીવટથી ખોરંભે પડનારી જિલ્લાની કેટલીક મહત્‍વની યોજનાઓ

vartmanpravah

Leave a Comment