Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલને પગલે ચીખલી તાલુકામાં વરસાદથી ડાંગરના પાકને થયેલનુકસાન અંગે સર્વેની કામગીરી હાથ ધરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: ચાલુ સીઝને ચીખલી તાલુકામાં ડાંગરનો પાકમાં ખેડૂતોને સારી એવી સફળતા મળી હતી પરંતુ લહેરાઈ રહેલા પાકને પાછોતરા વરસાદનું ગ્રહણ નડતા મોટેભાગનો ડાંગરનો પાક પડી જવા પામ્‍યો છે અને જેમણે કાપણી કરી નથી હતી તે પલળી ગયો છે જેને પગલે ખેડૂતોની આશા અપેક્ષા પર પાણી ફરી વળવા સાથે મહેનત અને ખર્ચ પણ માથે પડ્‍યો છે.
ઉપરોક્‍ત સંજોગોમાં સરકાર દ્વારા સર્વે કરાવી સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે તે અંગેના અખબારી અહેવાલ વચ્‍ચે ખેતીવાડી શાખા દ્વારા છેલ્લા બે દિવસથી ચાલુ રહેલી સર્વેની કામગીરીમાં ગતિ વધારી તાલુકાના તમામ ગામોમાં ખેતીવાડી શાખાના અધિકારી અને ગ્રામ સેવકોની છ જેટલી ટીમ ઉતારી નુકસાનીનું સર્વે કરવામાં આવી રહ્યું છે.
જોકે આ સર્વે પ્રાથમિક સ્‍તરનું હોવાનું અને સહાય અંગે સરકાર માટે હાલે કોઈ સ્‍પષ્ટ સૂચના ન હોય તેવા સંજોગોમાં સર્વે બાદ ખેડૂતોને સહાય મળશે કે કેમ તે માટે હજુ પણ અવઢવભરી સ્‍થિતિ છે. ત્‍યારે સરકાર દ્વારા માત્ર સર્વે કરાવવાથી સંતોષ માનવાના સ્‍થાને સર્વે બાદ સહાય પણ ચૂકવવામાં આવે તે જરૂરછે.
ફડવેલના તાલુકા સભ્‍ય મહેશભાઈ પટેલના જણાવ્‍યાનુસાર અમારા ગામમાં આજે ખેતીવાડી શાખાના વિસ્‍તરણ અધિકારી અને ગ્રામસેવકની ટીમ આવી હતી. અને ખેડૂતોને સાથે રાખી ડાંગરના પાકમાં નુકશાનીનું સર્વે કરવામાં આવ્‍યું હતું.

Related posts

હર ઘર તિરંગા અભિયાન હેઠળ વલસાડ રેસર્સ ગૃપ 14 ઓગસ્ટે એકતા દોડ યોજશે

vartmanpravah

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અને દીલ્‍હીમાં સર્જાયેલ ગોઝારા આગની ઘટનાને પગલે સંઘપ્રદેશ પ્રશાસન જાગ્‍યું દાદરા નગર હવેલી જિલ્લા કલેક્‍ટરે ફાયર સેફટીને લઈને જાહેરનામુ બહાર પાડયું

vartmanpravah

ચેકીંગમાં ગયેલ વીજ કર્મચારીઓ પર ચાકુથી હુમલો કરનારા ત્રણને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

કપરાડાના સુખાલામાં તા.9 ફેબ્રુઆરીએ આયુષ મેળો યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ કોચવાડા ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતની મુલાકાત લીધી

vartmanpravah

થ્રીડી ‘રાષ્‍ટ્રીય પોષણ મિશન’ના પ્રભારી સંધ્‍યા રાયના નેતૃત્‍વમાં અને પ્રદેશ પ્રભારી વિજ્‍યા રહાટકરની ઉપસ્‍થિતિમાં નાની દમણ સોમનાથ ડીઆઈએ હોલમાં કુપોષણમાંથી બહાર આવેલા બાળકોનો સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment