July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલવાડા ખાતે શ્રી વિશ્વેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજિત નવરાત્રીએ જમાવેલુ આકર્ષણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.16: ઉમરગામ તાલુકાના વલવાડા ખાતે શ્રી સાંઈ મંદિર, શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિર અને શ્રી તડકેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આયોજિત નવરાત્રીએ ખેલૈયોમાં ભારે આકર્ષણ જમાવ્‍યું હતું. ડીજેના તાલે અને સુરીલા અવાજમાં ખેલૈયાઓની ચાલેલી રમઝટમાં આજુબાજુના ગામડાઓમાંથી આવનારા ભાવિક ભક્‍તોનો ભારે ઘસારો જોવા મળ્‍યો હતો.
નવરાત્રી દરમિયાન કાર્યક્રમને નિહાળવા માટે રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓની પણ શુભેચ્‍છા મુલાકાત જોવા મળી હતી. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દવે સાહેબે પણ મુલાકાત કરી હતી. નવ દિવસ સુધી ખેલૈયાઓને પ્રોત્‍સાહન આપવા માટે આયોજક મંડળ દ્વારા પ્રોત્‍સાહક ઇનામોની જાહેરાત પણ કરવામાં આવી હતી. જેમાં ઉંમરવાન વ્‍યક્‍તિઓ, બાળકો તેમજ યુવાનોને પ્રોત્‍સાહિત કરવા માટે દરરોજ 50 જેટલા ઈનામોની જાહેરાત કરવામાં આવતી હતી.
આ નવરાત્રિના કાર્યક્રમમાં સ્‍થાનિક અને રાજકીય આગેવાન શ્રી દિનેશભાઈ ભાણાભાઈ પટેલ, શ્રી પરવેશભાઈ પટેલ, શ્રી નરેશભાઈ દેસાઈ, સાઈ સેવા ટ્રસ્‍ટના સભ્‍ય શ્રી બીપીનભાઈ વસી અને એમની ટીમેકાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં પ્રથમ પેટ્રોલિયમ અને નોબેલિટી સ્‍ટોરના શ્રી કાળુભાઈ તરફથી આર્થિક સહયોગ આપવામાં આવ્‍યો હતો.

Related posts

કરવડમાં ઈંટના ભઠ્ઠાની આડમાં ચાલતા જુગારધામ પર એલસીબીની રેઈડ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ડેંગ્‍યુના પ્રકોપને કારણે રક્‍ત અને પ્‍લેટલેટ્‍સની માંગમાં વધારો

vartmanpravah

દીવના તડ ચેકપોસ્‍ટ પર બુટલેગરોને લગામ લગાડવા પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય હાઈકમાન્‍ડ દ્વારા દાનહ અને દમણ-દીવભાજપના યુવા નેતા વિશાલભાઈ ટંડેલને આસામ રાજ્‍યના ઓબીસી મોર્ચાના પ્રભારી તરીકેની આપેલી મહત્‍વની જવાબદારી

vartmanpravah

વલસાડપારડીમાં પા પા પગલી પ્રોજેક્‍ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ‘‘વાલીઓ સાથે સંવાદોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

તોફાની વાવાઝોડું સાથે વરસાદના પગલે ચીખલી તાલુકામાં આંબા પર લાગેલી મંજરી(મોર) ખરી પડવાની શકયતા

vartmanpravah

Leave a Comment