October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલવાડા ખાતે શ્રી વિશ્વેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજિત નવરાત્રીએ જમાવેલુ આકર્ષણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.16: ઉમરગામ તાલુકાના વલવાડા ખાતે શ્રી સાંઈ મંદિર, શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિર અને શ્રી તડકેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આયોજિત નવરાત્રીએ ખેલૈયોમાં ભારે આકર્ષણ જમાવ્‍યું હતું. ડીજેના તાલે અને સુરીલા અવાજમાં ખેલૈયાઓની ચાલેલી રમઝટમાં આજુબાજુના ગામડાઓમાંથી આવનારા ભાવિક ભક્‍તોનો ભારે ઘસારો જોવા મળ્‍યો હતો.
નવરાત્રી દરમિયાન કાર્યક્રમને નિહાળવા માટે રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓની પણ શુભેચ્‍છા મુલાકાત જોવા મળી હતી. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દવે સાહેબે પણ મુલાકાત કરી હતી. નવ દિવસ સુધી ખેલૈયાઓને પ્રોત્‍સાહન આપવા માટે આયોજક મંડળ દ્વારા પ્રોત્‍સાહક ઇનામોની જાહેરાત પણ કરવામાં આવી હતી. જેમાં ઉંમરવાન વ્‍યક્‍તિઓ, બાળકો તેમજ યુવાનોને પ્રોત્‍સાહિત કરવા માટે દરરોજ 50 જેટલા ઈનામોની જાહેરાત કરવામાં આવતી હતી.
આ નવરાત્રિના કાર્યક્રમમાં સ્‍થાનિક અને રાજકીય આગેવાન શ્રી દિનેશભાઈ ભાણાભાઈ પટેલ, શ્રી પરવેશભાઈ પટેલ, શ્રી નરેશભાઈ દેસાઈ, સાઈ સેવા ટ્રસ્‍ટના સભ્‍ય શ્રી બીપીનભાઈ વસી અને એમની ટીમેકાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં પ્રથમ પેટ્રોલિયમ અને નોબેલિટી સ્‍ટોરના શ્રી કાળુભાઈ તરફથી આર્થિક સહયોગ આપવામાં આવ્‍યો હતો.

Related posts

વલસાડની અટાર પી.કે.ડી વિદ્યાલયમાં વ્‍યકિત વિશેષ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

હિંમતનગર : ડીએસપી ઓફિસ ખાતે સાબરકાંઠા પોલીસ દ્વારા લોન મેળો યોજાયો મોટી સંખ્‍યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ દ્વારા આયોજીત 5 દિવસીય સમર એડવેન્‍ચર કેમ્‍પનું મનાલી ખાતે સમાપન

vartmanpravah

વાપી-સુરત રોટરી ક્‍લબ દ્વારા સહાહનીય કામગીરી : 121 લાભાર્થીઓને નિઃશુલ્‍ક આધુનિક કૃત્રિમ પગ અર્પણ કર્યા

vartmanpravah

‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા કરચોડમાં ‘માઁ-બેટી સ્‍નેહમિલન’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રદેશ મુખ્‍યાલય પર જય ગુરૂદેવનું શાકાહારી સંમેલનનું આયોજન કરાયુ

vartmanpravah

Leave a Comment