Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

28 મે ના શનિવારે આંબાતલાટ ખાતે આદિવાસી સાંસ્‍કળતિક સંમેલન યોજાશે

આંબાતલાટ હિલ સ્‍ટેશન ઉપર તડામાર તૈયારી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.25
તા.28-5-2022ના રોજ સાંજે 7-00 વાગે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આંબાતલાટ દહીંગઢ ડુંગર (હિલ સ્‍ટેશન) ખાતે આદિવાસી સાંસ્‍કળતિક સંમેલન મળશે. જેના આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
માવલી માતાના સાનિધ્‍યમાં યોજાનારા સાંસ્‍કળતિક કાર્યક્રમમાં ઢોડિયા, કુંકણા, વારલી, આદિમજૂથ સંસ્‍કળતિની વિસરાય જતી સાંસ્‍કળતિક પરંપરાને ઉજાગર કરવાનો પ્રયાસ સાંસ્‍કળતિક સમિતિ દ્વારા કરવામાં આવ્‍યો છે. તુર-થાળી નૃત્‍ય, ઢોડિયા-કુંકણા સમાજની લગ્ન રીત સાથે લોકબોલીમાં લગ્ન ગીતો, માદળ નૃત્‍ય, ડાક વાદન, તારપા નૃત્‍ય, કાહળ્‍યા નૃત્‍ય, લોકબોલીમાં નાટકો, રજૂ કરવામાં આવશે.
આ કાર્યક્રમનો મુખ્‍ય આશય આદિવાસી સંસ્‍કળતિને જીવંત રાખવાનો છે. સાથે આ વિસ્‍તારમાં સંસ્‍કળતિના જતન સાથે આજની યુવાપેઢીને માહિતગાર કરવાનો છે. આ એક પ્રથમ પ્રયાસ છે. આ વિસ્‍તાર યુવાનો માટે વિવિધ પરીક્ષા માટે વિનામૂલ્‍યે તાલીમવર્ગ, લાયબ્રેરીની સુવિધા આપવાનો છે.
આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા અધ્‍યક્ષ આદિવાસી સાંસ્‍કળતિક સમિતિ આંબાતલાટ દ્વારા જણાવાયું છે.
————

Related posts

દમણ પોલીસે સોમનાથની એક મોબાઈલ દુકાનમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલ્‍યો: એક આરોપી સહિત મુદ્દામાલ બરામદ

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણી લગભગ માત્ર ઔપચારિકઃ દમણ-દીવ બેઠક માટે ચાલી રહેલો તેજ ગતિથી અંડરકરંટ

vartmanpravah

‘સેવ હ્યુમન લાઈફ’ સંસ્‍થા દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈઃ 68 યુનિટ રક્‍ત એકત્ર થયું

vartmanpravah

જિલ્લા વિકાસ અધિકારી વલસાડ દ્વારા મમતા દિવસની મુલાકાત

vartmanpravah

વાપી જીઆઈડીસી સેકન્‍ડ ફેઝમાં પાર્ક કરેલ ટ્રકમાં આગ લાગતા અફરા તફરીના દૃશ્‍યો સર્જાયા

vartmanpravah

દાનહના કુડાચા ગામે એક કિશોરે ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

Leave a Comment