April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

28 મે ના શનિવારે આંબાતલાટ ખાતે આદિવાસી સાંસ્‍કળતિક સંમેલન યોજાશે

આંબાતલાટ હિલ સ્‍ટેશન ઉપર તડામાર તૈયારી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.25
તા.28-5-2022ના રોજ સાંજે 7-00 વાગે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આંબાતલાટ દહીંગઢ ડુંગર (હિલ સ્‍ટેશન) ખાતે આદિવાસી સાંસ્‍કળતિક સંમેલન મળશે. જેના આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
માવલી માતાના સાનિધ્‍યમાં યોજાનારા સાંસ્‍કળતિક કાર્યક્રમમાં ઢોડિયા, કુંકણા, વારલી, આદિમજૂથ સંસ્‍કળતિની વિસરાય જતી સાંસ્‍કળતિક પરંપરાને ઉજાગર કરવાનો પ્રયાસ સાંસ્‍કળતિક સમિતિ દ્વારા કરવામાં આવ્‍યો છે. તુર-થાળી નૃત્‍ય, ઢોડિયા-કુંકણા સમાજની લગ્ન રીત સાથે લોકબોલીમાં લગ્ન ગીતો, માદળ નૃત્‍ય, ડાક વાદન, તારપા નૃત્‍ય, કાહળ્‍યા નૃત્‍ય, લોકબોલીમાં નાટકો, રજૂ કરવામાં આવશે.
આ કાર્યક્રમનો મુખ્‍ય આશય આદિવાસી સંસ્‍કળતિને જીવંત રાખવાનો છે. સાથે આ વિસ્‍તારમાં સંસ્‍કળતિના જતન સાથે આજની યુવાપેઢીને માહિતગાર કરવાનો છે. આ એક પ્રથમ પ્રયાસ છે. આ વિસ્‍તાર યુવાનો માટે વિવિધ પરીક્ષા માટે વિનામૂલ્‍યે તાલીમવર્ગ, લાયબ્રેરીની સુવિધા આપવાનો છે.
આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા અધ્‍યક્ષ આદિવાસી સાંસ્‍કળતિક સમિતિ આંબાતલાટ દ્વારા જણાવાયું છે.
————

Related posts

દમણવાડા ગ્રા.પં.ના સરપંચ મુકેશ ગોસાવીએ ભામટી માહ્યાવંશી ફળિયામાં વરસાદના સમયે પાણી ભરાવાથી જાનમાલને થતા નુકસાનથી જાહેર બાંધકામ વિભાગના સંયુક્‍ત સચિવ પ્રાંજલ હજારિકાને માહિતગાર કર્યા

vartmanpravah

જર્જરિત મકાનના સ્‍થાને નવું મકાન બનાવવા મુખ્‍યમંત્રીને રજૂઆત કરવા છતાં હલ નહીં નીકળતાં બિલપુડી વનસેવા મહા વિદ્યાલયના વિદ્યાર્થીઓનું 36 કલાકથી મામલતદાર કચેરીએ ધરણાં-પ્રદર્શન

vartmanpravah

જંગલ જનજીવન આંદોલન દ્વારા આયોજીત અસ્‍મિતા રેલીમાં દાનહના બેદરકાર અને લાપરવાહ રાજકીય નેતાઓના કારણે આદિવાસી સમાજને થઈ રહેલા અન્‍યાયનો પડેલો પડઘો

vartmanpravah

કચીગામ હત્‍યા પ્રકરણમાં એક સગીર સહિત 4 આરોપીઓની દમણ પોલીસે મુંબઈથી કરેલી ધરપકડ

vartmanpravah

ટોરેન્‍ટ પાવરે સંઘપ્રદેશ પ્રશાસન સાથે કરેલા એગ્રીમેન્‍ટનો ભંગ કરતા વીજળી વિતરણનું કાર્ય પરત લઈ લેવા સંઘપ્રદેશના પ્રશાસકશ્રીને આદિવાસી એકતા પરિષદની અરજ

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય, પોલીસ, શિક્ષણ, એક્‍સાઈઝ, પંચાયત અને નગરપાલિકા વિભાગ દ્વારા પ્રદેશમાં તમ્‍બાકુના નિયંત્રણના પ્રભાવશાળી અમલ માટે થનારા પ્રયાસો

vartmanpravah

Leave a Comment