Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રજ્જુ શ્રોફ યુનિવર્સિટીમાં બિઝનેસ બાજીગર ફેર યોજાયો : પુસ્‍તકની સાથે પ્રેક્‍ટિકલ અભ્‍યાસનો પ્રયાસ કરાયો

છેલ્લા 17 વર્ષથી બિઝનેસ બાજીગર ફેરનું આયોજન થાય છે,
આ વર્ષે 1 હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ જોડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપીની જાણીતી રજ્જુ શ્રોફ યુનિવર્સિટીમાં બિઝનેસ બાજીગર ફેરનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા પ્રકારના સ્‍ટોલ કાર્યરત કરાયા હતા.
દક્ષિણ ગુજરાતની જાણીતી એવી રોફેલ એમ.બી.એ. કોલેજમાં વિદ્યાર્થીઓને પુસ્‍તકના જ્ઞાનની સાથે સાથે પ્રેક્‍ટિકલ જ્ઞાન મળે તે માટે બાજીગર બિઝનેસ ફેરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દક્ષિણ ગુજરાતના મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ અહી એમ.બી.એ.નો અભ્‍યાસ કરે છે. ભવિષ્‍યમાં તેઓ ઉદ્યોગ સાહસિક બને, વેપારના ગુણે કેળવાય તેવા હેતુલક્ષીથી એમ.બી.એ કોલેજ પરિસરમાં બિઝનેસ બાજીગર ફેરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 1 હજાર ઉપરાંત વિદ્યાર્થીઓએ ભાગ લઈને ફેરને સફળ બનાવ્‍યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા કાર્યરત કરાયેલા સ્‍ટોલ વચ્‍ચે સ્‍પર્ધા પણ હતી. ત્રણ જજીસ પેનલ દ્વારા જજ કરીને ત્રણ સ્‍ટોલ ગૃપને વિજેતા જાહેર કરીને ઈનામ આપવામાં આવ્‍યા હતા. કોલેજ દ્વારા છેલ્લા 17 વર્ષથી બિઝનેસ બાજીગર ફેરનું આયોજન કરવામાં આવે છે. આ આયોજન કોલેજના ડીન ડો.કેદાર શુકલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું.

Related posts

દાનહના પદાધિકારીઓએ કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીનું કરેલું સ્‍વાગત

vartmanpravah

20મી નવેમ્‍બરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે દાનહ-દમણ-દીવમાં સરકારી/ગેર સરકારી, ખાનગી કંપની, સંસ્‍થા, વિવિધ એકમો/પ્રતિષ્ઠાનોમાં કાર્યરત મહારાષ્ટ્રના મતદારોને રજા આપવા સંઘપ્રદેશ ચૂંટણી વિભાગનો આદેશ

vartmanpravah

‘હુ ઇસ હુસેન’ નામની લંડનની સંસ્‍થા દ્વારા આખા વિશ્વમાં રક્‍તદાન શિબિરો યોજાઈ

vartmanpravah

સહ સભ્‍ય સચિવ અને દમણના ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ સિનિયર ડીવીઝન પી.એચ.બનસોડના અધ્‍યક્ષ સ્‍થાને ઝરી ખાતે સ્‍નેહાલયમાં બાળકોના દેખભાળની સ્‍થિતિ જાણવા યોજાયેલી બાલ કલ્‍યાણ સમિતિની બેઠક

vartmanpravah

ગુજરાતનું ગૌરવ-આદિવાસી સમાજનું અણમોલ નારી રત્‍ન: ટાંકલ ગામના ડો.રીટાબેન પટેલે આઈજી તરીકે ચંદીગઢ ખાતે ચાર્જ સંભાળ્‍યો

vartmanpravah

દાનહ પીપરીયામાં નિર્માણાધીન ફલાય ઓવરબ્રીજ માટે કલેકટર દ્વારા ભારી વાહનોના અવર-જવર માટે ડાયવર્ઝન અંગે જારી કરાયેલો આદેશ

vartmanpravah

Leave a Comment