February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રજ્જુ શ્રોફ યુનિવર્સિટીમાં બિઝનેસ બાજીગર ફેર યોજાયો : પુસ્‍તકની સાથે પ્રેક્‍ટિકલ અભ્‍યાસનો પ્રયાસ કરાયો

છેલ્લા 17 વર્ષથી બિઝનેસ બાજીગર ફેરનું આયોજન થાય છે,
આ વર્ષે 1 હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ જોડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપીની જાણીતી રજ્જુ શ્રોફ યુનિવર્સિટીમાં બિઝનેસ બાજીગર ફેરનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા પ્રકારના સ્‍ટોલ કાર્યરત કરાયા હતા.
દક્ષિણ ગુજરાતની જાણીતી એવી રોફેલ એમ.બી.એ. કોલેજમાં વિદ્યાર્થીઓને પુસ્‍તકના જ્ઞાનની સાથે સાથે પ્રેક્‍ટિકલ જ્ઞાન મળે તે માટે બાજીગર બિઝનેસ ફેરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દક્ષિણ ગુજરાતના મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ અહી એમ.બી.એ.નો અભ્‍યાસ કરે છે. ભવિષ્‍યમાં તેઓ ઉદ્યોગ સાહસિક બને, વેપારના ગુણે કેળવાય તેવા હેતુલક્ષીથી એમ.બી.એ કોલેજ પરિસરમાં બિઝનેસ બાજીગર ફેરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 1 હજાર ઉપરાંત વિદ્યાર્થીઓએ ભાગ લઈને ફેરને સફળ બનાવ્‍યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા કાર્યરત કરાયેલા સ્‍ટોલ વચ્‍ચે સ્‍પર્ધા પણ હતી. ત્રણ જજીસ પેનલ દ્વારા જજ કરીને ત્રણ સ્‍ટોલ ગૃપને વિજેતા જાહેર કરીને ઈનામ આપવામાં આવ્‍યા હતા. કોલેજ દ્વારા છેલ્લા 17 વર્ષથી બિઝનેસ બાજીગર ફેરનું આયોજન કરવામાં આવે છે. આ આયોજન કોલેજના ડીન ડો.કેદાર શુકલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું.

Related posts

દાનહ રોટરી ક્‍લબ દ્વારા બે દિવસીય વુમન્‍સ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રારંભ કરાયો : કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસે કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

સેલવાસનો યુવાન નદીમા ન્‍હાવા જતા ડુબી જતા મોત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 સેલવાસનો યુવાન એના મિત્રો સાથે દમણગંગા નદીમા ન્‍હાવા ગયો હતો. તે સમયે ડુબી જતા એનું મોત થયુ હતુ. પ્રાપ્ત વિગત અનુસાર શ્રી અજય પંકજ શર્મા ઉ.વ.22 રહેવાસી પાતલિયા ફળિયા જે બપોરના સમયે ગરમી હોવાને કારણે એના મિત્રો સાથે સર્કીટ હાઉસની આગળ દમણગંગા નદીમાં નહાવા માટે એના મિત્રો સાથે નીકળ્‍યો હતો. પરંતુ તે એના મિત્રો કરતા આગળ જ નદી કિનારે પોહચી ગયો હતો અનેનદીમાં કુદી પડયો હતો. પાછળ આવેલ એમના મિત્રોએ એને નદીમા ડુબતો જોઈને તેઓ પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ બચી શકયો ના હતો. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસની ટીમને જાણ કરતા તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી અને ફાયરવિભાગની ટીમે અજયની લાશને શોધી નદીમાંથી બહાર કાઢવામા આવ્‍યો હતો. ત્‍યારબાદ લાશને પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામા આવી હતી.

vartmanpravah

દાનહઃ રખોલી પુલનું સમારકામ ચાલુ હોવાના કારણે ભારેથી અતિ ભારે વાહનોના અવર-જવર પર 23 જૂન સુધી પ્રતિબંધ યથાવત

vartmanpravah

આજે લોકસભાની દમણ-દીવ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલ પોતાનું ઉમેદવારી પત્રક ભરશે

vartmanpravah

દીવના વણાકબારાથી 150 કિલોમીટર દૂર જલારામ કૃપા બોટમાં પાણી ભરાતા દરિયામાં ગરકાવ: ખલાસીઓનો બચાવ

vartmanpravah

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં ભવ્‍ય આનંદ મેળો યોજાયો

vartmanpravah

Leave a Comment