October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીનાતલાવચોરા ગામે પરિણિતાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: ચીખલીના તલાવચોરા નજીકના બારોલીયા મંદિર ફળિયા ગામની 42 વર્ષીય પરણિત મહિલાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમ્‍યાન મોત નીપજ્‍યું હતું.
બનાનવી પ્રાપ્ત માહિતી અનુસાર વિદેશમાં પતિએ કમાણી કરી પત્‍નીને મોકલેલ સોનાના દાગીના તેમજ રોકડ રકમ બાબતે પતિએ પત્‍નીને પૂછતા માઠું લાગી આવતા મહિલાએ સ્‍યુસાઇડ નોટ લખી ખેતરમાં કચરૂ મારવાની દવા પી લેતા સારવાર દરમ્‍યાન મોત નીપજ્‍યું હતું. જોકે પત્‍નીએ લખેલ સ્‍યુસાઇડ નોટમાં ફળીયામાં રહેતા યુવકને રૂા.11 લાખ આપ્‍યા હોય તે બાબતે અવાર નવાર માંગણી કરતા આપતો ન હોય અને છ મહિનાથી વિદેશ જતો રહ્યો હોવાનું નોટમાં જણાવાયું હતું.
તલાવચોરા બારોલીયા મંદિર ફળીયા ખાતે રહેતા ફરિયાદી નાનુભાઈ છનાભાઈ પટેલ (ઉ.વ. 55) 27 વર્ષથી ઓમાન મસ્‍તકમાં નોકરી કરી રહ્યા હોય તે દરમ્‍યાન સોનાના દાગીના તેમજ રોકડ રકમ પત્‍ની ચંદનબેનને આપેલ હોય જે બાબતે ગત 24મી ઓક્‍ટોબરના રોજ તેમણે પૂછતા મનદુઃખ લાગી આવતા 25મી ઓક્‍ટોબરની બપોરના સમયે ખેતરમાં તેણીએ કચરૂ મારવાની દવા પી લેતા પ્રથમ ડુંગરી વૈદ હોસ્‍પિટલમાં બાદ વલસાડનીહોસ્‍પિટલમાં ખસેડવામાં આવતા જ્‍યાં રવિવારની વહેલી સવારના સમયે ફરજ પરના તબીબે ચંદનબેન નાનુભાઈ પટેલ (ઉ.વ.42)ને મૃત જાહેર કરી હતી. જોકે પતિએ વિદેશમાં કમાઈ ને મોકલેલ નાણાંમાંથી ગામના જ એક યુવાનને ચંદનબેને રૂા. 11 લાખ આપ્‍યા હોય જે રૂપિયા પરત ન આપી યુવક પ્રીત ઉર્ફે લાલુ સુભાષભાઈ પાછલા છ મહિનાથી ન્‍યુઝીલેન્‍ડ વિદેશ જતો રહેતા પતિ અને પત્‍ની વચ્‍ચે બોલાચાલી થતા જેના કારણે પત્‍ની એ ઝેર દવા પી લીધી હોવાનું પત્‍નીના કપડામાંથી નિકળેલ સ્‍યુસાઈડ નોટમાંથી જાણવા મળ્‍યું હતું. ઉપરોક્‍ત બનાવ બાબતે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

વાપીમાં હાઈવે ઉપર 1.60 લાખના ગાંજા સાથે બે ઝડપાયા

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં ભંગારના ગોડાઉનમાં આગ ભભુકતા દોડધામ મચી

vartmanpravah

આજે નાણા-ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારનું બજેટ રજૂ કરશે

vartmanpravah

દમણ ન.પા.ના ચીફ ઓફિસર સંજામ સિંઘના નેતૃત્‍વમાં દમણ ન.પા.ના ફિલ્‍ડ સુપરવાઈઝરો હવે યુનિફોર્મ, આઈકાર્ડ તથા સેફટી શુઝમાં દેખાશેઃ પ્રમુખ અસ્‍પીભાઈ દમણિયા અને ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિએ કરેલું વિતરણ

vartmanpravah

કલગામ હનુમાનજી મંદિરે વિકલાંગ શ્રદ્ધાળુઓની સહાય માટે યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટે વ્‍હીલચેરની ઉભી કરેલી વ્‍યવસ્‍થા

vartmanpravah

શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ, વલસાડ દ્વારા મુંબઈ ખાતે ત્રી દશાબ્‍દિ મહોત્‍સવ (પર્લ જ્‍યુબીલી) : 2024 યોજાયો

vartmanpravah

Leave a Comment