January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીનાતલાવચોરા ગામે પરિણિતાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: ચીખલીના તલાવચોરા નજીકના બારોલીયા મંદિર ફળિયા ગામની 42 વર્ષીય પરણિત મહિલાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમ્‍યાન મોત નીપજ્‍યું હતું.
બનાનવી પ્રાપ્ત માહિતી અનુસાર વિદેશમાં પતિએ કમાણી કરી પત્‍નીને મોકલેલ સોનાના દાગીના તેમજ રોકડ રકમ બાબતે પતિએ પત્‍નીને પૂછતા માઠું લાગી આવતા મહિલાએ સ્‍યુસાઇડ નોટ લખી ખેતરમાં કચરૂ મારવાની દવા પી લેતા સારવાર દરમ્‍યાન મોત નીપજ્‍યું હતું. જોકે પત્‍નીએ લખેલ સ્‍યુસાઇડ નોટમાં ફળીયામાં રહેતા યુવકને રૂા.11 લાખ આપ્‍યા હોય તે બાબતે અવાર નવાર માંગણી કરતા આપતો ન હોય અને છ મહિનાથી વિદેશ જતો રહ્યો હોવાનું નોટમાં જણાવાયું હતું.
તલાવચોરા બારોલીયા મંદિર ફળીયા ખાતે રહેતા ફરિયાદી નાનુભાઈ છનાભાઈ પટેલ (ઉ.વ. 55) 27 વર્ષથી ઓમાન મસ્‍તકમાં નોકરી કરી રહ્યા હોય તે દરમ્‍યાન સોનાના દાગીના તેમજ રોકડ રકમ પત્‍ની ચંદનબેનને આપેલ હોય જે બાબતે ગત 24મી ઓક્‍ટોબરના રોજ તેમણે પૂછતા મનદુઃખ લાગી આવતા 25મી ઓક્‍ટોબરની બપોરના સમયે ખેતરમાં તેણીએ કચરૂ મારવાની દવા પી લેતા પ્રથમ ડુંગરી વૈદ હોસ્‍પિટલમાં બાદ વલસાડનીહોસ્‍પિટલમાં ખસેડવામાં આવતા જ્‍યાં રવિવારની વહેલી સવારના સમયે ફરજ પરના તબીબે ચંદનબેન નાનુભાઈ પટેલ (ઉ.વ.42)ને મૃત જાહેર કરી હતી. જોકે પતિએ વિદેશમાં કમાઈ ને મોકલેલ નાણાંમાંથી ગામના જ એક યુવાનને ચંદનબેને રૂા. 11 લાખ આપ્‍યા હોય જે રૂપિયા પરત ન આપી યુવક પ્રીત ઉર્ફે લાલુ સુભાષભાઈ પાછલા છ મહિનાથી ન્‍યુઝીલેન્‍ડ વિદેશ જતો રહેતા પતિ અને પત્‍ની વચ્‍ચે બોલાચાલી થતા જેના કારણે પત્‍ની એ ઝેર દવા પી લીધી હોવાનું પત્‍નીના કપડામાંથી નિકળેલ સ્‍યુસાઈડ નોટમાંથી જાણવા મળ્‍યું હતું. ઉપરોક્‍ત બનાવ બાબતે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

સેલવાસ આદિવાસી ભવનનું સંચાલન આદિવાસીઓના હાથમાં સુપ્રત કરવા પ્રશાસનનો ઈરાદો

vartmanpravah

સેલવાસના સસ્‍પેન્‍ડેડ મામલતદાર ટી.એસ.શર્મા અને ખાનવેલના એલ.આર.ઓ. બ્રિજેશ ભંડારીની પોલીસે કરેલી ધરપકડઃ 6 દિવસના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

2023 સુધી સંઘપ્રદેશને ટીબીમુક્‍ત બનાવવા પ્રશાસનનો સંકલ્‍પ : ભાવિ પેઢીને સુરક્ષિત રાખવાની પહેલ

vartmanpravah

દાનહના સુરંગી ગામે મહેસૂલ વિભાગ ખાનવેલ દ્વારા 26મી ફેબ્રુઆરીના શનિવારે શિબિર યોજાશે

vartmanpravah

ચીખલીના વાંઝણા ગામે કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગના બનાવના બીજા દિવસે ટાંકલ આરોગ્‍ય કેન્‍દ્રમાં સારવાર હેઠળ 18 પૈકી 11 વિદ્યાર્થીઓને રજા અપાઈ

vartmanpravah

ભારત સ્‍કાઉટ ગાઈડના રાષ્‍ટ્રીય મુખ્‍યાલય નવી દિલ્‍હીના ઉપ નિર્દેશક દર્શના પાવસકર દાનહની વિશેષ મુલાકાતે

vartmanpravah

Leave a Comment