March 3, 2026
Vartman Pravah
દમણ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિન નિમિત્તે સંઘપ્રદેશમાં સોળે કળાઍ ખિલેલો સેવા સમર્પણનો ભાવ

ફક્ત ભાજપ જ નહીં પરંતુ પ્રદેશના જન જનમાં ઉભરેલો ઋણ સ્વીકારનો ભાવ

 

સંઘપ્રદેશને સ્વચ્છ રાખવાની સીધી જવાબદારી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની: ગૌરવ સિંહ રાજાવત

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘સત્યાગ્રહ સે સ્વચ્છાગ્રહ’ રથને પ્રદેશના પંચાયતી રાજ સચિવ ગૌરવ સિંહ રાજાવત અને જિ.પં. પ્રમુખ બાબુભાઈ પટેલે કરાવેલું પ્રસ્થાન

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૧૭
દમણ જિલ્લા પંચાયત દ્વારા આજે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા’ અને સત્યાગ્રહ સે સ્વચ્છાગ્રહ’ રથયાત્રા અભિયાનનો પ્રદેશના પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત અને જિ.પં.પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે લીલી ઝંડી બતાવી આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સંઘપ્રદેશના નાણાં, પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતે જણાવ્યું હતું કે, આજે ૧૭મી સપ્ટેમ્બર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસથી રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ રજી ઓક્ટોબર સુધી ‘સત્યાગ્રહ સે સ્વચ્છાગ્રહ’ રથ દમણ જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં ફરી જાગૃતિ ફેલાવશે અને ગાંધી જયંતિના દિવસે જેટી ઉપર આયોજીત સમારંભમાં પૂર્ણાહુતિ કરાશે.
શ્રી ગૌરવસિંહ રાજાવતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દમણ જિલ્લાને સ્વચ્છ બનાવવાની સીધી જવાબદારી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની છે તેમણે જનપ્રતિનિધિઓને સ્વચ્છતા આદત બને તે દિશામાં જન આંદોલન છેડવા અનુરોધ કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે, આપણે પ્લાસ્ટિક મુક્ત દમણનું નિર્માણ કરવાનું છે. જેના માટે પચાસ માઈક્રોનથી ઓછી પ્લાસ્ટિકની થેલી કે ચીજવસ્તુઓ વપરાશમાં નહી આવે તેની તકેદારી લેવાની છે.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે પોતાના સંભાષણમાં જિલ્લા પંચાયત દ્વારા સ્વચ્છતા માટે થઈ રહેલા પ્રયાસની સરાહના કરી હતી. તેમણે સંપૂર્ણ સાથ સહકાર આપવા પોતાની પ્રતિબદ્ધતા પણ દર્શાવી હતી.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન, દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી મૈત્રી પટેલ, બી.ડી.ઓ.શ્રી પ્રેમજીભાઈ મકવાણા, જિલ્લા પંચાયતના સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી કાનન, જિ.પં.ની કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ, જિ.પં.ની વર્ક્સ સમિતિના અધ્યક્ષ શ્રીમતી રીનાબેન પટેલ, જિ.પં.ની શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી વર્ષિકાબેન પટેલ, જિ.પં.સભ્યો, દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી તથા અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્ના હતા.

Related posts

નવી રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિના ત્રણ વર્ષઃ સંઘપ્રદેશમાં નવી શિક્ષણ નીતિની સફળતાના સંદર્ભમાં યોજાયો વાર્તાલાપ

vartmanpravah

દાનહ જિ.પં.ના જેડી(યુ)ના બેનર હેઠળ ચૂંટાયેલા મોટાભાગના સભ્‍યોની નીતિ અને નિયત સ્‍પષ્‍ટ નહીં હોવાથી આવતા દિવસોમાં મોટા રાજકીય નુકસાન વેઠવાની સંભાવના

vartmanpravah

સાંસદ ઉમેશભાઈ પટેલે લોકસભામાં દમણ-દીવ સહિત ભારતના માછીમારોની પાકિસ્‍તાની જેલમાંથી છોડાવવા કરેલી બુલંદ રજૂઆત

vartmanpravah

સ્‍વ. ગૌતમસિંહ નટવરસિંહ ગોહિલ તેમજ સમસ્‍ત પિતૃઓના શ્રેયાર્થે આજથી નરોલીના ગૌરી શંકર બંગલો, ગોહિલ ફળિયા ખાતે શિવકથાનું આયોજન

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024ની આદર્શ આચારસંહિતા અંતર્ગત દમણમાં ફલાઈંગ સ્‍ક્‍વોડ દ્વારા 12.27 લાખની જપ્ત કરેલી રોકડ

vartmanpravah

ઓલ ઈન્‍ડિયા નેશનલ ઈન્‍ડિપેન્‍ડેન્‍સ કરાટે ચેમ્‍પિયનશીપમાં વિજેતા ખેલાડીઓનું સન્‍માન કરાયું

vartmanpravah

Leave a Comment