January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી શામળાજી રોડ પર ખાડાઓને લીધે ખટાણા ગામના બે લોકોના અકસ્‍માત મોત

કોન્‍ટ્રાક્‍ટર અને એજન્‍સી વિરુદ્ધ ફરિયાદ કરવા એ.પી.ને રજૂઆત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: આજરોજ તા.10/11/2024 ના દિને જિલ્લા પોલીસ વડાશ્રી વલસાડ અને પી.આઇ શ્રી ધરમપુર ને નેશનલ 56 વાપી થી શામળાજી રોડ પર પડેલ ખાડાઓના કારણે અકસ્‍માતનો ભોગ બની ખટાણા ગામના બે લોકોએ જીવ ગુમાવ્‍યો હોય અને અગાઉ પણ ખરાબ રોડના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્‍યો હોય જેથી આ વિભાગના અધિકારી તેમજ કોન્‍ટ્રાકટર પર કાયદેસરની ફરિયાદ દાખલ કરવા બાબતે ફરિયાદ કરવામાં આવી હતી.
નેશનલ 56 વાપી થી શામળાજી રોડ કરવડ થી ખાનપુરસુધી અંદાજિત 22.5 કરોડના ખર્ચે બનાવવામાં આવ્‍યો હતો અને આ રોડ બનાવવાની શરૂઆત જ્‍યારે થઈ હતી ત્‍યારે 28/3/2023 ના દિને રોડના કામમાં ભ્રષ્ટાચાર બાબતે લેખિતમાં ફરિયાદ કરી હતી અને ત્‍યારબાદ 20/7/2023 ના દિન એ પહેલાજ વરસાદમાં રોડની હાલત ખરાબ થઈ જતા લેખિતમાં ફરિયાદ કરી હતી અને ત્‍યારબાદ 24/7/2024 ના દિને પણ આ રસ્‍તાનું પ્રોપર કામ કરવા બાબતે ફરિયાદ કરવામાં આવી હતી. ત્‍યારબાદ તાલુકા પંચાયતની સામાન્‍ય સભામાં પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આટલી રજૂઆત કરવા છતાં પણ આ કોન્‍ટ્રાક્‍ટર વિરુદ્ધ કોઈપણ શિક્ષાત્‍મક પગલાં લેવામાં ન આવ્‍યા હોવાને કારણે ગઈકાલે સાંજે અમારા ખટાણા ગામના બે વ્‍યક્‍તિએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્‍યો છે અને અગાઉ પણ આજ રસ્‍તા પર પડેલ ખાડાઓના કારણે અનેક લોકો ને જીવ ગુમાવ્‍યો છે.
જે બાબતે તાત્‍કાલિક જવાબદાર અધિકારી પર અને આ રોડનું કામ કરનાર કોન્‍ટ્રાક્‍ટર અને એજન્‍સી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે અને આ રોડ બન્‍યા પછી ખરાબ રસ્‍તાને કારણે મરણ જનારના દરેક પરિવારને સહાયરૂપ યોગ્‍ય વળતર આપવામાં આવે એવી માગ કરવામાં આવી હતી.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસને શ્રમિકોના લઘુત્તમ દૈનિક વેતન સહિત રૂા.35 વિશેષ ભથ્‍થાંની કરેલી જાહેરાત

vartmanpravah

વાપીમાં કચ્‍છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા ગરબાનું કરાયેલું આયોજન

vartmanpravah

જેસીઆઈ નવસારીના 58મા ઈન્‍સ્‍ટોલેશન સેરેમનીમાં નવા પ્રમુખની વરણી કરાઈ

vartmanpravah

ભાજપના સામાજિક ન્‍યાય સપ્તાહ અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ યુવા મોર્ચાએ સામરવરણી મંડળ ખાતે યુવા સંવાદ કાર્યક્રમનું કરેલું આયોજન

vartmanpravah

દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવનમાં ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના છઠ્ઠા દિવસે કૃષ્‍ણ જન્‍મોત્‍સવ અને રૂક્ષ્મણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ખાનવેલના ભગતપાડામાં વિશેષ રેવન્‍યુ શિબિરનું કરાયું આયોજન

vartmanpravah

Leave a Comment