Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી શામળાજી રોડ પર ખાડાઓને લીધે ખટાણા ગામના બે લોકોના અકસ્‍માત મોત

કોન્‍ટ્રાક્‍ટર અને એજન્‍સી વિરુદ્ધ ફરિયાદ કરવા એ.પી.ને રજૂઆત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: આજરોજ તા.10/11/2024 ના દિને જિલ્લા પોલીસ વડાશ્રી વલસાડ અને પી.આઇ શ્રી ધરમપુર ને નેશનલ 56 વાપી થી શામળાજી રોડ પર પડેલ ખાડાઓના કારણે અકસ્‍માતનો ભોગ બની ખટાણા ગામના બે લોકોએ જીવ ગુમાવ્‍યો હોય અને અગાઉ પણ ખરાબ રોડના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્‍યો હોય જેથી આ વિભાગના અધિકારી તેમજ કોન્‍ટ્રાકટર પર કાયદેસરની ફરિયાદ દાખલ કરવા બાબતે ફરિયાદ કરવામાં આવી હતી.
નેશનલ 56 વાપી થી શામળાજી રોડ કરવડ થી ખાનપુરસુધી અંદાજિત 22.5 કરોડના ખર્ચે બનાવવામાં આવ્‍યો હતો અને આ રોડ બનાવવાની શરૂઆત જ્‍યારે થઈ હતી ત્‍યારે 28/3/2023 ના દિને રોડના કામમાં ભ્રષ્ટાચાર બાબતે લેખિતમાં ફરિયાદ કરી હતી અને ત્‍યારબાદ 20/7/2023 ના દિન એ પહેલાજ વરસાદમાં રોડની હાલત ખરાબ થઈ જતા લેખિતમાં ફરિયાદ કરી હતી અને ત્‍યારબાદ 24/7/2024 ના દિને પણ આ રસ્‍તાનું પ્રોપર કામ કરવા બાબતે ફરિયાદ કરવામાં આવી હતી. ત્‍યારબાદ તાલુકા પંચાયતની સામાન્‍ય સભામાં પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આટલી રજૂઆત કરવા છતાં પણ આ કોન્‍ટ્રાક્‍ટર વિરુદ્ધ કોઈપણ શિક્ષાત્‍મક પગલાં લેવામાં ન આવ્‍યા હોવાને કારણે ગઈકાલે સાંજે અમારા ખટાણા ગામના બે વ્‍યક્‍તિએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્‍યો છે અને અગાઉ પણ આજ રસ્‍તા પર પડેલ ખાડાઓના કારણે અનેક લોકો ને જીવ ગુમાવ્‍યો છે.
જે બાબતે તાત્‍કાલિક જવાબદાર અધિકારી પર અને આ રોડનું કામ કરનાર કોન્‍ટ્રાક્‍ટર અને એજન્‍સી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે અને આ રોડ બન્‍યા પછી ખરાબ રસ્‍તાને કારણે મરણ જનારના દરેક પરિવારને સહાયરૂપ યોગ્‍ય વળતર આપવામાં આવે એવી માગ કરવામાં આવી હતી.

Related posts

વાપીની બાયર કંપની ખાતે એક્રિલોનાઇટ્રાયલ ઝેરી ગેસનું ગળતર થતાં જિલ્લામાં જિલ્‍લા કલેકટરશ્રી દ્વારા ઓફસાઇટ ઇમરજન્‍સી જાહેર કરાઇઃ ડિસ્‍ટ્રીક ઓફસાઇટ ઇમરજન્‍સી પ્‍લાન અંતર્ગત મોકડ્રીલ યોજાઇ

vartmanpravah

વાપી બલીઠા હાઈવે ઉપરથી 8.22 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ પીકઅપ ઝડપાઈ

vartmanpravah

રૂ. ૨૯.૩૮ કરોડના ખર્ચે બનનાર જિલ્લા પંચાયતનના નવા ભવનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ભૂમિપૂજન કરાયું

vartmanpravah

વાપી સી-ટાઈપ જી.આઈ.ડી.સી. વિસ્‍તારમાં કેમિકલ ભરેલી ટેન્‍કર વિજપોલ સાથે ભટકાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના કુકેરીની શાંતાબા વિદ્યાલયમાં મેડીકલમાં પ્રવેશ મેળવનાર 14-જેટલા વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના તંત્રી અને દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીના પિતાશ્રીનું નિધન

vartmanpravah

Leave a Comment